Punjab બાદ આ રાજ્યમાં Congress એકલા હાથે ચૂંટણી લડશે, એક તરફ ગઠબંધનની વાતો તો બીજી તરફ...


  • Published By :
  • Published Date : 2023-09-14 09:53:52

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 2024માં મોદીને પરાસ્ત કરવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ છે. 28 પાર્ટીઓએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. INDIA એલાયન્સની અનેક મીટિંગ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતા મિટીંગમાં દેખાય છે પરંતુ જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે વિપક્ષી એકતામાં તિરાડ દેખાતી હોય તેવું લાગે છે. 



પંજાબમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે 

પંજાબમાં કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તે બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ પણ બધી લોકસભા બેઠકો પર તેમનો પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દિલ્હીમાં પણ બધી બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. 


પંજાબ બાદ હરિયાણામાં એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડશે 

પંજાબ માટે જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બધી 13 લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભલે રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી દળોનું ઈન્ડિયા જોડાણ બન્યું હોય, પરંતુ પંજાબમાં તેમની સાથે કોઈ સમજૂતી નથી. પંજાબની જેમ હરિયાણા માટે પણ આવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જાહેરાત કરી છે કે હરિયાણાની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ પક્ષ એકલો ભાજપને ટક્કર આપવા સક્ષમ છે તેવી વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.


એક તરફ સંગઠનની વાત તો બીજી તરફ એકતામાં તિરાડ!

મહત્વનું છે કે INDIA ગઠબંધનને લઈ અનેક વખત પાર્ટીઓની બેઠકો મળી છે. અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ છે. ગઈકાલે પણ ઈન્ડિયા અલાયન્સની બેઠક મળી હતી જેમાં સીટ શેરિંગ જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ સિટ શેરિંગને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. રાજકીય સ્તરે તો એકતા દેખાઈ રહી છે પરંતુ જ્યારે રાજ્યોની વાત થાય ત્યારે આ એકતામાં તિરાડ પડતી દેખાઈ રહી હોય તેવું લાગે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.