Punjab બાદ આ રાજ્યમાં Congress એકલા હાથે ચૂંટણી લડશે, એક તરફ ગઠબંધનની વાતો તો બીજી તરફ...


  • Published By :
  • Published Date : 2023-09-14 09:53:52

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 2024માં મોદીને પરાસ્ત કરવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ છે. 28 પાર્ટીઓએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. INDIA એલાયન્સની અનેક મીટિંગ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતા મિટીંગમાં દેખાય છે પરંતુ જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે વિપક્ષી એકતામાં તિરાડ દેખાતી હોય તેવું લાગે છે. 



પંજાબમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે 

પંજાબમાં કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તે બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ પણ બધી લોકસભા બેઠકો પર તેમનો પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દિલ્હીમાં પણ બધી બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. 


પંજાબ બાદ હરિયાણામાં એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડશે 

પંજાબ માટે જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બધી 13 લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભલે રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી દળોનું ઈન્ડિયા જોડાણ બન્યું હોય, પરંતુ પંજાબમાં તેમની સાથે કોઈ સમજૂતી નથી. પંજાબની જેમ હરિયાણા માટે પણ આવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જાહેરાત કરી છે કે હરિયાણાની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ પક્ષ એકલો ભાજપને ટક્કર આપવા સક્ષમ છે તેવી વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.


એક તરફ સંગઠનની વાત તો બીજી તરફ એકતામાં તિરાડ!

મહત્વનું છે કે INDIA ગઠબંધનને લઈ અનેક વખત પાર્ટીઓની બેઠકો મળી છે. અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ છે. ગઈકાલે પણ ઈન્ડિયા અલાયન્સની બેઠક મળી હતી જેમાં સીટ શેરિંગ જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ સિટ શેરિંગને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. રાજકીય સ્તરે તો એકતા દેખાઈ રહી છે પરંતુ જ્યારે રાજ્યોની વાત થાય ત્યારે આ એકતામાં તિરાડ પડતી દેખાઈ રહી હોય તેવું લાગે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.