Punjab બાદ આ રાજ્યમાં Congress એકલા હાથે ચૂંટણી લડશે, એક તરફ ગઠબંધનની વાતો તો બીજી તરફ...


  • Published By :
  • Published Date : 2023-09-14 09:53:52

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 2024માં મોદીને પરાસ્ત કરવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ છે. 28 પાર્ટીઓએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. INDIA એલાયન્સની અનેક મીટિંગ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતા મિટીંગમાં દેખાય છે પરંતુ જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે વિપક્ષી એકતામાં તિરાડ દેખાતી હોય તેવું લાગે છે. 



પંજાબમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે 

પંજાબમાં કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તે બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ પણ બધી લોકસભા બેઠકો પર તેમનો પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દિલ્હીમાં પણ બધી બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. 


પંજાબ બાદ હરિયાણામાં એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડશે 

પંજાબ માટે જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બધી 13 લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભલે રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી દળોનું ઈન્ડિયા જોડાણ બન્યું હોય, પરંતુ પંજાબમાં તેમની સાથે કોઈ સમજૂતી નથી. પંજાબની જેમ હરિયાણા માટે પણ આવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જાહેરાત કરી છે કે હરિયાણાની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ પક્ષ એકલો ભાજપને ટક્કર આપવા સક્ષમ છે તેવી વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.


એક તરફ સંગઠનની વાત તો બીજી તરફ એકતામાં તિરાડ!

મહત્વનું છે કે INDIA ગઠબંધનને લઈ અનેક વખત પાર્ટીઓની બેઠકો મળી છે. અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ છે. ગઈકાલે પણ ઈન્ડિયા અલાયન્સની બેઠક મળી હતી જેમાં સીટ શેરિંગ જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ સિટ શેરિંગને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. રાજકીય સ્તરે તો એકતા દેખાઈ રહી છે પરંતુ જ્યારે રાજ્યોની વાત થાય ત્યારે આ એકતામાં તિરાડ પડતી દેખાઈ રહી હોય તેવું લાગે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.