Punjab બાદ આ રાજ્યમાં Congress એકલા હાથે ચૂંટણી લડશે, એક તરફ ગઠબંધનની વાતો તો બીજી તરફ...


  • Published By :
  • Published Date : 2023-09-14 09:53:52

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 2024માં મોદીને પરાસ્ત કરવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ છે. 28 પાર્ટીઓએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. INDIA એલાયન્સની અનેક મીટિંગ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતા મિટીંગમાં દેખાય છે પરંતુ જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે વિપક્ષી એકતામાં તિરાડ દેખાતી હોય તેવું લાગે છે. 



પંજાબમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે 

પંજાબમાં કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તે બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ પણ બધી લોકસભા બેઠકો પર તેમનો પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દિલ્હીમાં પણ બધી બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. 


પંજાબ બાદ હરિયાણામાં એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડશે 

પંજાબ માટે જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બધી 13 લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભલે રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી દળોનું ઈન્ડિયા જોડાણ બન્યું હોય, પરંતુ પંજાબમાં તેમની સાથે કોઈ સમજૂતી નથી. પંજાબની જેમ હરિયાણા માટે પણ આવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જાહેરાત કરી છે કે હરિયાણાની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ પક્ષ એકલો ભાજપને ટક્કર આપવા સક્ષમ છે તેવી વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.


એક તરફ સંગઠનની વાત તો બીજી તરફ એકતામાં તિરાડ!

મહત્વનું છે કે INDIA ગઠબંધનને લઈ અનેક વખત પાર્ટીઓની બેઠકો મળી છે. અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ છે. ગઈકાલે પણ ઈન્ડિયા અલાયન્સની બેઠક મળી હતી જેમાં સીટ શેરિંગ જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ સિટ શેરિંગને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. રાજકીય સ્તરે તો એકતા દેખાઈ રહી છે પરંતુ જ્યારે રાજ્યોની વાત થાય ત્યારે આ એકતામાં તિરાડ પડતી દેખાઈ રહી હોય તેવું લાગે છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?