PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી, પંજાબ પોલીસના 7 અધિકારીઓ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-26 16:42:25

5 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં પંજાબમાં 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ભટિંડાના એસપી ગુરબિંદર સિંહ, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, ઈન્સ્પેક્ટર બલવિંદર સિંહ, ઈન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બની તે સમયે, ગુરબિન્દર સિંહ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ઓપરેશન) તરીકે તૈનાત હતા અને ફિરોઝપુરમાં ફરજ પર હતા. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી વિધાનસભા ચૂંટણી માટે એક રેલીમાં ભાગ લેવા પંજાબના ફિરોજપુર  જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 


સુપ્રીમ કોર્ટે નીમી હતી તપાસ સમિતિ


PM મોદીની સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સમિતિએ અગાઉ રાજ્યના અનેક અધિકારીઓને આ ચૂક માટે જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે, સુરક્ષામાં ખામીની તપાસ માટે એક સમિતિની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે ઘટનાથી ઉદ્ભવતા પ્રશ્નોને 'એકતરફી તપાસ' માટે છોડી શકાય નહીં.


 18 ઓક્ટોબર 2023ના રોજ સોંપાઈ હતી રિપોર્ટ 


સસ્પેન્શન ઓર્ડર મુજબ, 18 ઓક્ટોબર, 2023 ના રોજ, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે સિંહે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. પંજાબી ભાષામાં જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારીના સ્તરે મામલાને ધ્યાનમાં લીધા પછી, સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


PM મોદીના કાફલાની કરાઈ હતી નાકાબંધી 

 

PM મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરાયેલી નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો હતો. ભાજપના નેતાઓએ આ ક્ષતિને લઈને તત્કાલીન ચરણજીત સિંહ ચન્ની સરકાર પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું હતું કે વડાપ્રધાનની યાત્રાની યોજના છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી. સુરક્ષા ભંગની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિએ સુરક્ષા ભંગ માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ક્ષતિ માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .