PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે મોટી કાર્યવાહી, પંજાબ પોલીસના 7 અધિકારીઓ સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-26 16:42:25

5 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં પંજાબમાં 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ભટિંડાના એસપી ગુરબિંદર સિંહ, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, ઈન્સ્પેક્ટર બલવિંદર સિંહ, ઈન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બની તે સમયે, ગુરબિન્દર સિંહ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ઓપરેશન) તરીકે તૈનાત હતા અને ફિરોઝપુરમાં ફરજ પર હતા. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી વિધાનસભા ચૂંટણી માટે એક રેલીમાં ભાગ લેવા પંજાબના ફિરોજપુર  જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 


સુપ્રીમ કોર્ટે નીમી હતી તપાસ સમિતિ


PM મોદીની સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સમિતિએ અગાઉ રાજ્યના અનેક અધિકારીઓને આ ચૂક માટે જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે, સુરક્ષામાં ખામીની તપાસ માટે એક સમિતિની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે ઘટનાથી ઉદ્ભવતા પ્રશ્નોને 'એકતરફી તપાસ' માટે છોડી શકાય નહીં.


 18 ઓક્ટોબર 2023ના રોજ સોંપાઈ હતી રિપોર્ટ 


સસ્પેન્શન ઓર્ડર મુજબ, 18 ઓક્ટોબર, 2023 ના રોજ, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દ્વારા આ ઘટના અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે સિંહે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. પંજાબી ભાષામાં જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારીના સ્તરે મામલાને ધ્યાનમાં લીધા પછી, સંબંધિત અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


PM મોદીના કાફલાની કરાઈ હતી નાકાબંધી 

 

PM મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા કરાયેલી નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો હતો. ભાજપના નેતાઓએ આ ક્ષતિને લઈને તત્કાલીન ચરણજીત સિંહ ચન્ની સરકાર પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું હતું કે વડાપ્રધાનની યાત્રાની યોજના છેલ્લી ઘડીએ બદલવામાં આવી હતી. સુરક્ષા ભંગની તપાસ કરતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિએ સુરક્ષા ભંગ માટે પંજાબ સરકારના અનેક અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે હવે આ ક્ષતિ માટે સાત પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.