અભિવાદન ઝીલ્યા બાદ PM તો આગળ વધી ગયા, પરંતુ ટ્રાફિકમાં અટવાઈ ગયા અમદાવાદીઓ


  • Published By :
  • Published Date : 2022-12-02 10:46:27

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ અમદાવાદના નરોડાથી લઈ ચાંદખેડા સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગ રૂપે પીએમના આગમનના થોડા સમય પહેલેથી રોડ-રસ્તાને બંધ કરી દેવાયા હતા. રસ્તા બંધ થતા હજારો લોકોને મુશ્કેલી વઠેવી પડી હતી.

 

વ્યવસ્થાના ભાગરૂપેે અનેક રસ્તાઓ કરાયા હતા બંધ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં મેગા રોડ શો યોજ્યો હતો. નરોડાથી લઈ ચાંદખેડા સુધી તેમણે રોડ-શો કર્યો હતો. મુખ્યત્વે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતી આ યાત્રા હતી. પરંતુ આ યાત્રાને કારણે અમદાવાદીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત AMTS-BRTS બસ પણ બંધ હોવાને કારણે મુસાફરો પણ અટવાઈ ગયા હતા. 

Traffic goes stagnant as Ahmedabad goes Vibrant | Ahmedabad News - Times of  India

સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા 

વડાપ્રધાન મોદી જે રસ્તે જવાના હતા તે રસ્તાને અડધો કલાક પહેલીથી બંધ કરી દેવામાં આવતો. જેને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળો પર તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે પીએમના ગયા પછી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા તો પીએમ મોદીના આગમનની રાહ જોવામાં અને તેમના ગયા પછી ટ્રાફિક જામ દૂર થાય તે માટે રાહ જોવા અમદાવાદીઓ મજબૂર બન્યા હતા.

રોડ શોને કારણે સુભાષ બ્રિજ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

અનેક સ્થળોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને ફરી ફરીને પોતાના સ્થાને જવું પડતું હતું. ટ્રાફિક જામ હોવાને કારણે સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કલાકો સુધી લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.