અભિવાદન ઝીલ્યા બાદ PM તો આગળ વધી ગયા, પરંતુ ટ્રાફિકમાં અટવાઈ ગયા અમદાવાદીઓ


  • Published By :
  • Published Date : 2022-12-02 10:46:27

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ અમદાવાદના નરોડાથી લઈ ચાંદખેડા સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગ રૂપે પીએમના આગમનના થોડા સમય પહેલેથી રોડ-રસ્તાને બંધ કરી દેવાયા હતા. રસ્તા બંધ થતા હજારો લોકોને મુશ્કેલી વઠેવી પડી હતી.

 

વ્યવસ્થાના ભાગરૂપેે અનેક રસ્તાઓ કરાયા હતા બંધ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં મેગા રોડ શો યોજ્યો હતો. નરોડાથી લઈ ચાંદખેડા સુધી તેમણે રોડ-શો કર્યો હતો. મુખ્યત્વે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતી આ યાત્રા હતી. પરંતુ આ યાત્રાને કારણે અમદાવાદીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત AMTS-BRTS બસ પણ બંધ હોવાને કારણે મુસાફરો પણ અટવાઈ ગયા હતા. 

Traffic goes stagnant as Ahmedabad goes Vibrant | Ahmedabad News - Times of  India

સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા 

વડાપ્રધાન મોદી જે રસ્તે જવાના હતા તે રસ્તાને અડધો કલાક પહેલીથી બંધ કરી દેવામાં આવતો. જેને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળો પર તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે પીએમના ગયા પછી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા તો પીએમ મોદીના આગમનની રાહ જોવામાં અને તેમના ગયા પછી ટ્રાફિક જામ દૂર થાય તે માટે રાહ જોવા અમદાવાદીઓ મજબૂર બન્યા હતા.

રોડ શોને કારણે સુભાષ બ્રિજ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

અનેક સ્થળોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને ફરી ફરીને પોતાના સ્થાને જવું પડતું હતું. ટ્રાફિક જામ હોવાને કારણે સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કલાકો સુધી લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.