અભિવાદન ઝીલ્યા બાદ PM તો આગળ વધી ગયા, પરંતુ ટ્રાફિકમાં અટવાઈ ગયા અમદાવાદીઓ


  • Published By :
  • Published Date : 2022-12-02 10:46:27

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ અમદાવાદના નરોડાથી લઈ ચાંદખેડા સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગ રૂપે પીએમના આગમનના થોડા સમય પહેલેથી રોડ-રસ્તાને બંધ કરી દેવાયા હતા. રસ્તા બંધ થતા હજારો લોકોને મુશ્કેલી વઠેવી પડી હતી.

 

વ્યવસ્થાના ભાગરૂપેે અનેક રસ્તાઓ કરાયા હતા બંધ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં મેગા રોડ શો યોજ્યો હતો. નરોડાથી લઈ ચાંદખેડા સુધી તેમણે રોડ-શો કર્યો હતો. મુખ્યત્વે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતી આ યાત્રા હતી. પરંતુ આ યાત્રાને કારણે અમદાવાદીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત AMTS-BRTS બસ પણ બંધ હોવાને કારણે મુસાફરો પણ અટવાઈ ગયા હતા. 

Traffic goes stagnant as Ahmedabad goes Vibrant | Ahmedabad News - Times of  India

સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા 

વડાપ્રધાન મોદી જે રસ્તે જવાના હતા તે રસ્તાને અડધો કલાક પહેલીથી બંધ કરી દેવામાં આવતો. જેને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળો પર તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે પીએમના ગયા પછી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા તો પીએમ મોદીના આગમનની રાહ જોવામાં અને તેમના ગયા પછી ટ્રાફિક જામ દૂર થાય તે માટે રાહ જોવા અમદાવાદીઓ મજબૂર બન્યા હતા.

રોડ શોને કારણે સુભાષ બ્રિજ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

અનેક સ્થળોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને ફરી ફરીને પોતાના સ્થાને જવું પડતું હતું. ટ્રાફિક જામ હોવાને કારણે સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કલાકો સુધી લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.