અભિવાદન ઝીલ્યા બાદ PM તો આગળ વધી ગયા, પરંતુ ટ્રાફિકમાં અટવાઈ ગયા અમદાવાદીઓ


  • Published By :
  • Published Date : 2022-12-02 10:46:27

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરૂવારના રોજ અમદાવાદના નરોડાથી લઈ ચાંદખેડા સુધી રોડ-શો યોજ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગ રૂપે પીએમના આગમનના થોડા સમય પહેલેથી રોડ-રસ્તાને બંધ કરી દેવાયા હતા. રસ્તા બંધ થતા હજારો લોકોને મુશ્કેલી વઠેવી પડી હતી.

 

વ્યવસ્થાના ભાગરૂપેે અનેક રસ્તાઓ કરાયા હતા બંધ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં મેગા રોડ શો યોજ્યો હતો. નરોડાથી લઈ ચાંદખેડા સુધી તેમણે રોડ-શો કર્યો હતો. મુખ્યત્વે અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતી આ યાત્રા હતી. પરંતુ આ યાત્રાને કારણે અમદાવાદીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ-શોની વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત AMTS-BRTS બસ પણ બંધ હોવાને કારણે મુસાફરો પણ અટવાઈ ગયા હતા. 

Traffic goes stagnant as Ahmedabad goes Vibrant | Ahmedabad News - Times of  India

સર્જાઈ ટ્રાફિક જામની સમસ્યા 

વડાપ્રધાન મોદી જે રસ્તે જવાના હતા તે રસ્તાને અડધો કલાક પહેલીથી બંધ કરી દેવામાં આવતો. જેને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળો પર તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે પીએમના ગયા પછી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પહેલા તો પીએમ મોદીના આગમનની રાહ જોવામાં અને તેમના ગયા પછી ટ્રાફિક જામ દૂર થાય તે માટે રાહ જોવા અમદાવાદીઓ મજબૂર બન્યા હતા.

રોડ શોને કારણે સુભાષ બ્રિજ સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ

અનેક સ્થળોથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે લોકોને ફરી ફરીને પોતાના સ્થાને જવું પડતું હતું. ટ્રાફિક જામ હોવાને કારણે સ્થાનિકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત કલાકો સુધી લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.