Rohan Guptaએ ભાજપમાં જોડાયા પછી કૉંગ્રેસના વિરોધાભાસની વાતો કરી પણ એમના વિરોધાભાસનો શું જવાબ? સાંભળો તેમના બન્ને નિવેદનોને..


  • Published By :
  • Published Date : 2024-04-11 17:55:33

અંતરાત્મા અને રાજનેતાઓ વચ્ચે વધારે સંબંધ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે રાજનેતામાં જાગેલો અંતરાત્મા ગમે ત્યારે સૂઈ જાય છે..! પક્ષની સાથે છેડો ફાડતા જ નેતાના બોલ બદલાઈ જાય છે... જે પક્ષ સાથે અનેક વર્ષો સુધી નેતાઓ જોડાયેલા હોય તે પક્ષની નીતિઓ તે જ નેતાઓ સવાલ કરતા હોય છે જ્યારે તે બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. જેવી રીતે નેતા પાર્ટીને બદલે છે તેવી રીતે તેમના બોલ પણ બદલાઈ જાય છે... જે પક્ષનો વિરોધ નેતાઓ કરતા હોય છે તેમની જ નીતિઓ માત્ર થોડા સમયની અંદર દેખાવા લાગતી હોય છે...

રાજીનામું આપી થોડા દિવસની અંદર જોડાઈ ગયા ભાજપમાં

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવાર તરીકે જ્યારે તેમના નામની જાહેરાત કરવામાં આવી તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. અંગત કારણો દર્શાવી તે ચૂંટણી નહીં લડી શકે તેવું નિવેદન આપ્યું પરંતુ માત્ર થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


અનેક નેતાઓના નિવેદનો હોય છે વિરોધાભાસી! 

દિલ્હી ખાતે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કર્યો અને તે બાદ તેમણે નિવેદન આપ્યું છે. બંને નિવેદનોમાં મોટો ફેરફાર દેખાયો હતો.! બંને નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો હતો. કોંગ્રેસમાં દેખાતી ખામીઓ અંગે તેમણે વાત કરી હતી. કોંગ્રેસના નેતૃત્વ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બીજા નિવેદનની વાત કરવી છે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આપ્યું હતું. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે આવા વિરોધાભાસી નિવેદન અનેક મંત્રીઓના નિવેદનોમાં જોવા મળતા હોય છે.. ત્યારે રોહન ગુપ્તાના નિવેદનો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો...    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે