Rohan Guptaએ ભાજપમાં જોડાયા પછી કૉંગ્રેસના વિરોધાભાસની વાતો કરી પણ એમના વિરોધાભાસનો શું જવાબ? સાંભળો તેમના બન્ને નિવેદનોને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 17:55:33

અંતરાત્મા અને રાજનેતાઓ વચ્ચે વધારે સંબંધ નથી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે રાજનેતામાં જાગેલો અંતરાત્મા ગમે ત્યારે સૂઈ જાય છે..! પક્ષની સાથે છેડો ફાડતા જ નેતાના બોલ બદલાઈ જાય છે... જે પક્ષ સાથે અનેક વર્ષો સુધી નેતાઓ જોડાયેલા હોય તે પક્ષની નીતિઓ તે જ નેતાઓ સવાલ કરતા હોય છે જ્યારે તે બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે. જેવી રીતે નેતા પાર્ટીને બદલે છે તેવી રીતે તેમના બોલ પણ બદલાઈ જાય છે... જે પક્ષનો વિરોધ નેતાઓ કરતા હોય છે તેમની જ નીતિઓ માત્ર થોડા સમયની અંદર દેખાવા લાગતી હોય છે...

રાજીનામું આપી થોડા દિવસની અંદર જોડાઈ ગયા ભાજપમાં

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રોહન ગુપ્તાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવાર તરીકે જ્યારે તેમના નામની જાહેરાત કરવામાં આવી તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી. અંગત કારણો દર્શાવી તે ચૂંટણી નહીં લડી શકે તેવું નિવેદન આપ્યું પરંતુ માત્ર થોડા દિવસોની અંદર તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


અનેક નેતાઓના નિવેદનો હોય છે વિરોધાભાસી! 

દિલ્હી ખાતે રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કર્યો અને તે બાદ તેમણે નિવેદન આપ્યું છે. બંને નિવેદનોમાં મોટો ફેરફાર દેખાયો હતો.! બંને નિવેદનોમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો હતો. કોંગ્રેસમાં દેખાતી ખામીઓ અંગે તેમણે વાત કરી હતી. કોંગ્રેસના નેતૃત્વ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. બીજા નિવેદનની વાત કરવી છે જે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આપ્યું હતું. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે આવા વિરોધાભાસી નિવેદન અનેક મંત્રીઓના નિવેદનોમાં જોવા મળતા હોય છે.. ત્યારે રોહન ગુપ્તાના નિવેદનો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો...    



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.