Sabarkantha પછી Banaskanthaમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું અને નવા વર્ષે ખેડૂતે આંખો સામે બરબાદ થતો પાક જોયો...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:33:13

બનાસકાંઠા.... એક એવો જિલ્લો જ્યાં અનેક લોકો પાણીની એક બુંદ માટે તરસે છે. પાણી વગર જીવનનો નિર્વાહ નથી થઈ શકતો. આપણે ત્યાં કહેવાય છે કે જળ છે તો જીવન છે. વાત પણ સાચી છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે તેની કલ્પના પણ કદાચ શહેરમાં લોકો નહીં કરી શકે. પરંતુ વિકસીત ગુજરાતના જ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રહેતા લોકો પાણી માટે વલખા મારે છે. પીવાનું પાણી પણ જોઈએ અને ખેતી માટે પણ પાણી જોઈએ. એક તરફ ખેડૂતોને પાણી નથી મળતું તો બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે કારણ કે કેનાલમાં ગાબડા પડ્યા છે. ભ્રષ્ટાચારના ગાબડા...

પાણીનો ફ્લો કેનાલ સહન ન કરી શક્યું અને કેનાલમાં પડી ગયું ગાબડું! 

ખેડૂતો માટે પાણીનું શું મહત્વ છે તે કદાચ આપણે નહીં જાણી શકીએ. ખેડૂતોની વેદના માત્ર ખેડૂતો જ જાણી શકે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે જેના પર વિતી હોય તે જ જાણી શકે છે. થોડા સમય પહેલા અમે સાબરકાંઠાથી સમાચાર આવ્યા કે 10 મહિના પહેલા સમારકામ કરવામાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતોના નજરની સામે પોતાનો પાક બગડી ગયો હતો. ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. બનાસકાંઠામાં પણ એવી કેનાલ બનાવવામાં આવી જે પાણીની ક્ષમતાને સહન ન કરી શકે! પાણીને જ્યારે છોડવામાં આવ્યું ત્યારે તે કેનાલમાં ગાબડા પડ્યા અને પાણી ખેતરમાં ઘૂસી ગયા.

ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું કેનાલનું પાણી 

જળાશયમાંથી પાણી જ્યારે કેનાલમાં છોડવામાં આવ્યું ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પ્રથમ વખત જ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે. આ સાથે જ કેનાલના નિર્માણ દરમિયાન કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણી કેનાલમાંથી બહાર આવ્યું અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. આ દ્રશ્યો જોઈ ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ હતી. ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો માટે એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે કડક પગલા લેવાવા જોઈએ.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.