Sabarkantha પછી Banaskanthaમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું અને નવા વર્ષે ખેડૂતે આંખો સામે બરબાદ થતો પાક જોયો...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:33:13

બનાસકાંઠા.... એક એવો જિલ્લો જ્યાં અનેક લોકો પાણીની એક બુંદ માટે તરસે છે. પાણી વગર જીવનનો નિર્વાહ નથી થઈ શકતો. આપણે ત્યાં કહેવાય છે કે જળ છે તો જીવન છે. વાત પણ સાચી છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે તેની કલ્પના પણ કદાચ શહેરમાં લોકો નહીં કરી શકે. પરંતુ વિકસીત ગુજરાતના જ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રહેતા લોકો પાણી માટે વલખા મારે છે. પીવાનું પાણી પણ જોઈએ અને ખેતી માટે પણ પાણી જોઈએ. એક તરફ ખેડૂતોને પાણી નથી મળતું તો બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે કારણ કે કેનાલમાં ગાબડા પડ્યા છે. ભ્રષ્ટાચારના ગાબડા...

પાણીનો ફ્લો કેનાલ સહન ન કરી શક્યું અને કેનાલમાં પડી ગયું ગાબડું! 

ખેડૂતો માટે પાણીનું શું મહત્વ છે તે કદાચ આપણે નહીં જાણી શકીએ. ખેડૂતોની વેદના માત્ર ખેડૂતો જ જાણી શકે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે જેના પર વિતી હોય તે જ જાણી શકે છે. થોડા સમય પહેલા અમે સાબરકાંઠાથી સમાચાર આવ્યા કે 10 મહિના પહેલા સમારકામ કરવામાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતોના નજરની સામે પોતાનો પાક બગડી ગયો હતો. ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. બનાસકાંઠામાં પણ એવી કેનાલ બનાવવામાં આવી જે પાણીની ક્ષમતાને સહન ન કરી શકે! પાણીને જ્યારે છોડવામાં આવ્યું ત્યારે તે કેનાલમાં ગાબડા પડ્યા અને પાણી ખેતરમાં ઘૂસી ગયા.

ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું કેનાલનું પાણી 

જળાશયમાંથી પાણી જ્યારે કેનાલમાં છોડવામાં આવ્યું ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પ્રથમ વખત જ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે. આ સાથે જ કેનાલના નિર્માણ દરમિયાન કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણી કેનાલમાંથી બહાર આવ્યું અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. આ દ્રશ્યો જોઈ ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ હતી. ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો માટે એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે કડક પગલા લેવાવા જોઈએ.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .