Sabarkantha પછી Banaskanthaમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું અને નવા વર્ષે ખેડૂતે આંખો સામે બરબાદ થતો પાક જોયો...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:33:13

બનાસકાંઠા.... એક એવો જિલ્લો જ્યાં અનેક લોકો પાણીની એક બુંદ માટે તરસે છે. પાણી વગર જીવનનો નિર્વાહ નથી થઈ શકતો. આપણે ત્યાં કહેવાય છે કે જળ છે તો જીવન છે. વાત પણ સાચી છે. પાણી વગર માણસ કેવી રીતે જીવી શકે તેની કલ્પના પણ કદાચ શહેરમાં લોકો નહીં કરી શકે. પરંતુ વિકસીત ગુજરાતના જ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં રહેતા લોકો પાણી માટે વલખા મારે છે. પીવાનું પાણી પણ જોઈએ અને ખેતી માટે પણ પાણી જોઈએ. એક તરફ ખેડૂતોને પાણી નથી મળતું તો બીજી તરફ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે કારણ કે કેનાલમાં ગાબડા પડ્યા છે. ભ્રષ્ટાચારના ગાબડા...

પાણીનો ફ્લો કેનાલ સહન ન કરી શક્યું અને કેનાલમાં પડી ગયું ગાબડું! 

ખેડૂતો માટે પાણીનું શું મહત્વ છે તે કદાચ આપણે નહીં જાણી શકીએ. ખેડૂતોની વેદના માત્ર ખેડૂતો જ જાણી શકે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે જેના પર વિતી હોય તે જ જાણી શકે છે. થોડા સમય પહેલા અમે સાબરકાંઠાથી સમાચાર આવ્યા કે 10 મહિના પહેલા સમારકામ કરવામાં આવેલી કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને કારણે ખેતરમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતોના નજરની સામે પોતાનો પાક બગડી ગયો હતો. ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. બનાસકાંઠામાં પણ એવી કેનાલ બનાવવામાં આવી જે પાણીની ક્ષમતાને સહન ન કરી શકે! પાણીને જ્યારે છોડવામાં આવ્યું ત્યારે તે કેનાલમાં ગાબડા પડ્યા અને પાણી ખેતરમાં ઘૂસી ગયા.

ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું કેનાલનું પાણી 

જળાશયમાંથી પાણી જ્યારે કેનાલમાં છોડવામાં આવ્યું ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પ્રથમ વખત જ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે. આ સાથે જ કેનાલના નિર્માણ દરમિયાન કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. કેનાલમાં ગાબડા પડવાને કારણે પાણી કેનાલમાંથી બહાર આવ્યું અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. આ દ્રશ્યો જોઈ ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ હતી. ખેતરમાં પાણી ઘૂસી જવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો માટે એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે કડક પગલા લેવાવા જોઈએ.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી