સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાની મોટી જાહેરાત, PM મોદીને પત્ર લખીને પદ્મ એવોર્ડ કર્યો પરત


  • Published By :
  • Published Date : 2023-12-22 18:29:30

સંજય સિંહને ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બન્યાને માત્ર 24 કલાક જ થયા છે. તેઓ કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. જેના કારણે બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો નિરાશ થયા છે. સંજય સિંહના અધ્યક્ષ બન્યાના કલાકોમાં જ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો છે.જાન્યુઆરીમાં, બજરંગ, સાક્ષી અને વિનેશ ફોગાટની આગેવાની હેઠળ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ શરૂ કર્યો. તેમના પર જાતીય સતામણીનો આરોપ હતો.


બજરંગે PM મોદીને પત્ર લખ્યો  


ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


તેમને પદ્મશ્રી ક્યારે મળ્યો હતો?


બજરંગ પુનિયાને 2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ વર્ષે બજરંગને ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. 29 વર્ષનો બજરંગ ભારતના સૌથી સફળ કુસ્તીબાજોમાંનો એક છે. તેના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ, એશિયન ગેમ્સમાં બે, કોમનવેલ્થ ગેમ્સમાં 3 અને એશિયન ચેમ્પિયનશિપમાં 8 મેડલ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે