સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાની મોટી જાહેરાત, PM મોદીને પત્ર લખીને પદ્મ એવોર્ડ કર્યો પરત


  • Published By :
  • Published Date : 2023-12-22 18:29:30

સંજય સિંહને ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બન્યાને માત્ર 24 કલાક જ થયા છે. તેઓ કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. જેના કારણે બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો નિરાશ થયા છે. સંજય સિંહના અધ્યક્ષ બન્યાના કલાકોમાં જ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો છે.જાન્યુઆરીમાં, બજરંગ, સાક્ષી અને વિનેશ ફોગાટની આગેવાની હેઠળ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ શરૂ કર્યો. તેમના પર જાતીય સતામણીનો આરોપ હતો.


બજરંગે PM મોદીને પત્ર લખ્યો  


ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


તેમને પદ્મશ્રી ક્યારે મળ્યો હતો?


બજરંગ પુનિયાને 2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ વર્ષે બજરંગને ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. 29 વર્ષનો બજરંગ ભારતના સૌથી સફળ કુસ્તીબાજોમાંનો એક છે. તેના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ, એશિયન ગેમ્સમાં બે, કોમનવેલ્થ ગેમ્સમાં 3 અને એશિયન ચેમ્પિયનશિપમાં 8 મેડલ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.