Narmada જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ જોયા બાદ MLA Chaitar Vasavaએ Jamawatને જણાવ્યો લોકોનો રોષ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 10:44:39

સપ્ટેમ્બરની શરૂઆત થતાં જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઓગસ્ટ મહિનામાં વરસાદ બિલકુલ ન પડ્યો હતો જ્યારે ચાલુ મહિને એટલો વરસાદ વરસ્યો કે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સરદાર સરોવર ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એકાએક શહેરોમાં તેમજ ગામોમાં પાણી આવી જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાયા હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ પુર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત છે તેવી વાત, તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. 

નેતાઓને, ધારાસભ્યોને કરવો પડ્યો વિરોધનો સામનો 

નર્મદા જિલ્લામાં તેમજ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીએ તબાહી નચાવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને કારણે ઘરવકરીને તો નુકશાન થયું છે. અવ્યવસ્થાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોને મળવા જ્યારે નેતાઓ અથવા તો ધારાસભ્યો જતા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હતો. 


ચૈતર વસાવાએ કહી આ વાત.... 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જીત છે તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો પણ આવું જ માને છે કે નેતાઓને ખુશ કરવા માટે કરાયેલી ચાપલૂસી તેમને ભારે પડી રહી છે. ત્યારે જમાવટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરી હતી. સંવાદ દરમિયાન ચૈતર વસાવાએ પણ આ જ વાત કહી. ઈન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું કે ગ્રાઉન્ડી પર પરિસ્થિતિ કેવી છે. કાચા મકાનો પૂરી રીતના ધરાશાયી થઈ ગયા છે, પશુઓના જીવ પણ આને કારણે ગયા છે. તેમણે એવું કહ્યું કે આ સ્થિતિને સામાન્ય થતા અનેક વર્ષો વીતિ શકે છે. માત્ર 15 મિનીટની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકો પહેરે લા કપડે પોતાનો જીવ બચાવા માટે નાસી ગયા છે. આ પુરને કારણે મોટી તારાજી સર્જાઈ છે. 



લોકોને જ નુકસાન વેઠવાનો વારો આવે છે!

મહત્વનું છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરો ડૂબી ગયા છે. ઘરવકરીનો નાશ થયો છે. પુરના પાણી તો ઓસરી જશે પરંતુ આ પુરને કારણે સર્જાયેલી તારાજી, થયેલા નુકસાનનો ભોગ તો લોકોને જ બનવું પડે છે ને.. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.