Narmada જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ જોયા બાદ MLA Chaitar Vasavaએ Jamawatને જણાવ્યો લોકોનો રોષ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 10:44:39

સપ્ટેમ્બરની શરૂઆત થતાં જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઓગસ્ટ મહિનામાં વરસાદ બિલકુલ ન પડ્યો હતો જ્યારે ચાલુ મહિને એટલો વરસાદ વરસ્યો કે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સરદાર સરોવર ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એકાએક શહેરોમાં તેમજ ગામોમાં પાણી આવી જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાયા હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ પુર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત છે તેવી વાત, તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. 

નેતાઓને, ધારાસભ્યોને કરવો પડ્યો વિરોધનો સામનો 

નર્મદા જિલ્લામાં તેમજ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીએ તબાહી નચાવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને કારણે ઘરવકરીને તો નુકશાન થયું છે. અવ્યવસ્થાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોને મળવા જ્યારે નેતાઓ અથવા તો ધારાસભ્યો જતા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હતો. 


ચૈતર વસાવાએ કહી આ વાત.... 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જીત છે તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો પણ આવું જ માને છે કે નેતાઓને ખુશ કરવા માટે કરાયેલી ચાપલૂસી તેમને ભારે પડી રહી છે. ત્યારે જમાવટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરી હતી. સંવાદ દરમિયાન ચૈતર વસાવાએ પણ આ જ વાત કહી. ઈન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું કે ગ્રાઉન્ડી પર પરિસ્થિતિ કેવી છે. કાચા મકાનો પૂરી રીતના ધરાશાયી થઈ ગયા છે, પશુઓના જીવ પણ આને કારણે ગયા છે. તેમણે એવું કહ્યું કે આ સ્થિતિને સામાન્ય થતા અનેક વર્ષો વીતિ શકે છે. માત્ર 15 મિનીટની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકો પહેરે લા કપડે પોતાનો જીવ બચાવા માટે નાસી ગયા છે. આ પુરને કારણે મોટી તારાજી સર્જાઈ છે. 



લોકોને જ નુકસાન વેઠવાનો વારો આવે છે!

મહત્વનું છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરો ડૂબી ગયા છે. ઘરવકરીનો નાશ થયો છે. પુરના પાણી તો ઓસરી જશે પરંતુ આ પુરને કારણે સર્જાયેલી તારાજી, થયેલા નુકસાનનો ભોગ તો લોકોને જ બનવું પડે છે ને.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.