Narmada જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ જોયા બાદ MLA Chaitar Vasavaએ Jamawatને જણાવ્યો લોકોનો રોષ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 10:44:39

સપ્ટેમ્બરની શરૂઆત થતાં જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઓગસ્ટ મહિનામાં વરસાદ બિલકુલ ન પડ્યો હતો જ્યારે ચાલુ મહિને એટલો વરસાદ વરસ્યો કે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સરદાર સરોવર ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એકાએક શહેરોમાં તેમજ ગામોમાં પાણી આવી જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાયા હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ પુર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત છે તેવી વાત, તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. 

નેતાઓને, ધારાસભ્યોને કરવો પડ્યો વિરોધનો સામનો 

નર્મદા જિલ્લામાં તેમજ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીએ તબાહી નચાવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને કારણે ઘરવકરીને તો નુકશાન થયું છે. અવ્યવસ્થાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોને મળવા જ્યારે નેતાઓ અથવા તો ધારાસભ્યો જતા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હતો. 


ચૈતર વસાવાએ કહી આ વાત.... 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જીત છે તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો પણ આવું જ માને છે કે નેતાઓને ખુશ કરવા માટે કરાયેલી ચાપલૂસી તેમને ભારે પડી રહી છે. ત્યારે જમાવટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરી હતી. સંવાદ દરમિયાન ચૈતર વસાવાએ પણ આ જ વાત કહી. ઈન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું કે ગ્રાઉન્ડી પર પરિસ્થિતિ કેવી છે. કાચા મકાનો પૂરી રીતના ધરાશાયી થઈ ગયા છે, પશુઓના જીવ પણ આને કારણે ગયા છે. તેમણે એવું કહ્યું કે આ સ્થિતિને સામાન્ય થતા અનેક વર્ષો વીતિ શકે છે. માત્ર 15 મિનીટની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકો પહેરે લા કપડે પોતાનો જીવ બચાવા માટે નાસી ગયા છે. આ પુરને કારણે મોટી તારાજી સર્જાઈ છે. 



લોકોને જ નુકસાન વેઠવાનો વારો આવે છે!

મહત્વનું છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરો ડૂબી ગયા છે. ઘરવકરીનો નાશ થયો છે. પુરના પાણી તો ઓસરી જશે પરંતુ આ પુરને કારણે સર્જાયેલી તારાજી, થયેલા નુકસાનનો ભોગ તો લોકોને જ બનવું પડે છે ને.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.