Valsadથી સામે આવ્યા દ્રશ્યો જે જોયા બાદ લાગશે કે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-17 14:27:09

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભેંસદરા ગામના લોકોએ જોખમી રીતે સ્મશાનયાત્રા કાઢવી પડી છે જેનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે. મૂળ વાત એમ છે કે ભેંસદરા ગામનું સ્મશાન નદીના એક ટાપુ પર આવેલુ છે. ત્યાં જવા માટે લોકોએ 3 કિમીનું અંતર કાપવું પડે છે. 

ધરમપુરના ભેંસદરા ગામમાં આવેલી નદી...

ત્રણ કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે લોકો નદીમાં કેડસમા પાણી હોય ત્યારે પાણીમાં ઉતરીને જ જતા હોય છે. લોકોએ 3 કિમી દૂર ફરીને અને પાણીમાં ઉતરીને ન જવું પડે તે માટે અહીં એક કોઝવે બનાવી આપવાની માગ કરી છે. તંત્ર દ્વારા અહીં કોઝવે બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ પાસેથી પસાર થતી લાવરી નદીના વચ્ચે રાજા રજવાડાના સમયથી ટાપુ આવ્યો છે. જેમાં રાજાના સમયથી સ્મશાન બનાવવામાં આવ્યું છે. રાજાના સમયથી લાવરી નદીની વચ્ચે આવેલા ટાપુ ખાતે આવેલા સ્મશાનમાં જવા માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા હતા. 



વિકાસની વાતો કરીએ છીએ પરંતુ અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત!

જે પૈકી એક રસ્તો 3 કિલોમીટરથી વધુનું અંતર કાપી ટાપુ ઉપર જાય છે. જ્યારે અન્ય એક શોર્ટકટ રસ્તો નદીના તટમાંથી જાય છે. ભેંસધરા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું તો આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રા કાઢવી પડી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાવરી નદી ઉપર કોઝવે બનાવવા સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી રજુઆત ધ્યાને ન લેવાતા મૃતકના શબને ચોમાસા દરમિયાન નદીના વહેતા પાણીમાં લઈ જવાની ફરજ પડે છે. ત્યારે અનેક ગામડા એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ આદિવાસી વિસ્તારોમાં જીવન જરૂરી સુવિધાઓ પણ નથી પહોંચી! ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.