Valsadથી સામે આવ્યા દ્રશ્યો જે જોયા બાદ લાગશે કે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-17 14:27:09

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભેંસદરા ગામના લોકોએ જોખમી રીતે સ્મશાનયાત્રા કાઢવી પડી છે જેનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે. મૂળ વાત એમ છે કે ભેંસદરા ગામનું સ્મશાન નદીના એક ટાપુ પર આવેલુ છે. ત્યાં જવા માટે લોકોએ 3 કિમીનું અંતર કાપવું પડે છે. 

ધરમપુરના ભેંસદરા ગામમાં આવેલી નદી...

ત્રણ કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે લોકો નદીમાં કેડસમા પાણી હોય ત્યારે પાણીમાં ઉતરીને જ જતા હોય છે. લોકોએ 3 કિમી દૂર ફરીને અને પાણીમાં ઉતરીને ન જવું પડે તે માટે અહીં એક કોઝવે બનાવી આપવાની માગ કરી છે. તંત્ર દ્વારા અહીં કોઝવે બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ પાસેથી પસાર થતી લાવરી નદીના વચ્ચે રાજા રજવાડાના સમયથી ટાપુ આવ્યો છે. જેમાં રાજાના સમયથી સ્મશાન બનાવવામાં આવ્યું છે. રાજાના સમયથી લાવરી નદીની વચ્ચે આવેલા ટાપુ ખાતે આવેલા સ્મશાનમાં જવા માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા હતા. 



વિકાસની વાતો કરીએ છીએ પરંતુ અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત!

જે પૈકી એક રસ્તો 3 કિલોમીટરથી વધુનું અંતર કાપી ટાપુ ઉપર જાય છે. જ્યારે અન્ય એક શોર્ટકટ રસ્તો નદીના તટમાંથી જાય છે. ભેંસધરા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું તો આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રા કાઢવી પડી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાવરી નદી ઉપર કોઝવે બનાવવા સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી રજુઆત ધ્યાને ન લેવાતા મૃતકના શબને ચોમાસા દરમિયાન નદીના વહેતા પાણીમાં લઈ જવાની ફરજ પડે છે. ત્યારે અનેક ગામડા એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ આદિવાસી વિસ્તારોમાં જીવન જરૂરી સુવિધાઓ પણ નથી પહોંચી! ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.