સીમા હૈદર બાદ પાકિસ્તાનથી લગ્ન કરવા ભારત પહોંચી જાવેરિયા, વાજતે-ગાજતે થયું સ્વાગત, જાણો અનોખી લવ સ્ટોરી વિશે


  • Published By :
  • Published Date : 2023-12-06 14:32:42

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ચાલી રહી છે, પણ બંને દેશો વચ્ચેના સામાજીક સંબંધ યથાવત છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી. હવે અન્ય એક પાકિસ્તાની યુવતી ભારત આવી પહોંચી છે. પાકિસ્તાનથી ભારત આવેલી જાવેરિયાનું વાઘા-અટારી બોર્ડર પર વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જાવેરિયા ખાસ ભારતમાં લગ્ન કરવા માટે  પાકિસ્તાનના કરાચીથી ભારત એકલી આવી છે કોલકાતાના સમીર સાથે જાવેરિયાની આજથી પાંચ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. જો કે તેની વીઝા અરજી અવારનવાર કેન્સલ થતી હતી, અંતે વીઝા મળતા તે લગ્ન કરવા આવી પહોંચી હતી. 


આગામી 6 જાન્યુઆરી થશે લગ્ન


જાવેરિયા ખાનમને 45 દિવસના વિઝા મળ્યા છે. સમીર અને જાવેરિયા આગામી 6 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જાોડાશે. આ યુગલે લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોઈ છે. જાવેરિયાની વિઝા એપ્લિકેશન સતત બે વખત કેન્સલ થતા તેમના લગ્નનો પ્લાન ખોરંભે ચડ્યો હતો. જાવિરેયાના પિતાએ જણાવ્યું કે કોલકાત્તામાં રહેતા સમીરના પરિવારે જાવેરિયાનો હાથ માંગ્યો હતો અંતે બંને પરિવારે રાજીખુશીથી બંનેની સગાઈ કરી હતી. જો કે હાલ તો માત્ર જાવેરિયા ખાનમને જ વીઝા મળ્યા છે.


કઈ રીતે થયો પ્રેમ?


જાવેરિયા પાકિસ્તાનના કરાચી અને સમીર ભારતના કોલકાત્તામાં રહે છે, હવે આ બંને કયા સંજોગોમાં મળ્યા તે કહાની રસપ્રદ છે. સમીરના જણાવ્યા પ્રમાણે તેણે પહેલી વખત જવેરિયાની તસવીર વર્ષ 2018માં જોઈ હતી. તેની માતાના મોબાઈલમાં જવેરિયાની તસવીર હતી, તે વખતે તે જર્મનીમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે ભારત આવ્યો ત્યારે તેણે માતાના મોબાઈલમાં અચાનક જ જવેરિયાની તસવીર જોતા જ તેને જવેરિયા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માતાને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. બાદમાં સમીરના પરિવારજનો પાકિસ્તાન સ્થિત જવેરિયાના પિતા અજમત ઈસ્માઈલ પાસે સગાઈની વાત કરતા તેઓ સગાઈ માતે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે જવેરિયાના પિતા અને સમીરની માતા કઝીન છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે