સીમા હૈદર બાદ પાકિસ્તાનથી લગ્ન કરવા ભારત પહોંચી જાવેરિયા, વાજતે-ગાજતે થયું સ્વાગત, જાણો અનોખી લવ સ્ટોરી વિશે


  • Published By :
  • Published Date : 2023-12-06 14:32:42

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ચાલી રહી છે, પણ બંને દેશો વચ્ચેના સામાજીક સંબંધ યથાવત છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી. હવે અન્ય એક પાકિસ્તાની યુવતી ભારત આવી પહોંચી છે. પાકિસ્તાનથી ભારત આવેલી જાવેરિયાનું વાઘા-અટારી બોર્ડર પર વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જાવેરિયા ખાસ ભારતમાં લગ્ન કરવા માટે  પાકિસ્તાનના કરાચીથી ભારત એકલી આવી છે કોલકાતાના સમીર સાથે જાવેરિયાની આજથી પાંચ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. જો કે તેની વીઝા અરજી અવારનવાર કેન્સલ થતી હતી, અંતે વીઝા મળતા તે લગ્ન કરવા આવી પહોંચી હતી. 


આગામી 6 જાન્યુઆરી થશે લગ્ન


જાવેરિયા ખાનમને 45 દિવસના વિઝા મળ્યા છે. સમીર અને જાવેરિયા આગામી 6 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જાોડાશે. આ યુગલે લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોઈ છે. જાવેરિયાની વિઝા એપ્લિકેશન સતત બે વખત કેન્સલ થતા તેમના લગ્નનો પ્લાન ખોરંભે ચડ્યો હતો. જાવિરેયાના પિતાએ જણાવ્યું કે કોલકાત્તામાં રહેતા સમીરના પરિવારે જાવેરિયાનો હાથ માંગ્યો હતો અંતે બંને પરિવારે રાજીખુશીથી બંનેની સગાઈ કરી હતી. જો કે હાલ તો માત્ર જાવેરિયા ખાનમને જ વીઝા મળ્યા છે.


કઈ રીતે થયો પ્રેમ?


જાવેરિયા પાકિસ્તાનના કરાચી અને સમીર ભારતના કોલકાત્તામાં રહે છે, હવે આ બંને કયા સંજોગોમાં મળ્યા તે કહાની રસપ્રદ છે. સમીરના જણાવ્યા પ્રમાણે તેણે પહેલી વખત જવેરિયાની તસવીર વર્ષ 2018માં જોઈ હતી. તેની માતાના મોબાઈલમાં જવેરિયાની તસવીર હતી, તે વખતે તે જર્મનીમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે ભારત આવ્યો ત્યારે તેણે માતાના મોબાઈલમાં અચાનક જ જવેરિયાની તસવીર જોતા જ તેને જવેરિયા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માતાને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. બાદમાં સમીરના પરિવારજનો પાકિસ્તાન સ્થિત જવેરિયાના પિતા અજમત ઈસ્માઈલ પાસે સગાઈની વાત કરતા તેઓ સગાઈ માતે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે જવેરિયાના પિતા અને સમીરની માતા કઝીન છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.