Sukhdev Singh બાદ Karni Senaનાં રાષ્ટ્રીય અધ્યક્ષ Surajpal Ammuને મળી Bishnoi Gangની ધમકી! રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-09 17:30:04

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને એમાં પણ કથિત રીતે લોરેન્સ ગેંગનો હાથ હોય તેવું કેહવામાં આવી રહ્યું છે. સુખદેવ સિંહની હત્યા અંગે ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે વધુ એક અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.  

લોરેન્સ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી!

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની આગ હજુ બુઝાઈ નથી ત્યાં તો વધુ એક અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા અંગે વાતો થઈ રહી છે ત્યારે તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જે ગેંગે સુખદેવસિંહને માર્યા હતા તે જ ગેંગના ગુંડાઓ દ્વારા આ ધમકી આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. લોરેન્સ ગેંગના કથિત ગુંડાઓએ આ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે લોરેન્સ ગેંગને ગાળો આપીને ખોટું કરી દીધું છે, હવે તારો વારો છે, 'RIP IN ADVANCE'.તાઉ તુઝે ઉઠા લેંગે, પતા ભી નહીં ચલેગા. 

ગોગામાડી હત્યા અંગે રાજસ્થાન સરકારને જાણ કરાઈ હતી!

સૂરજપાલ અમ્મૂએ આ ધમકીના જવાબમાં કહ્યું કે, હું મા કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી . અમે મુઘલ અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા કર્યા હતા.સુરાજપાલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા ગેંગસ્ટર્સ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત રેડ કરીને આ લોકોને પકડી રહી છે. હેરાની વાત એ છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને ગોગામેડીની હત્યા અંગે ચેતવણી આપી હતી, તેમ છતાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા આપવામાં આવી નહીં. આવા આક્ષેપો સુખદેવ ગોગોમેડીની પત્ની દ્વારા કરવામાં આવ્યા છે.    


રાજપૂત સમાજના લોકો કરી શકે છે આંદોલન! 

જ્યારે હત્યાની  ઘટના બની ત્યારથી આ ઘટનાને લઈ સમસ્ત રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું. બાઈક સળગાવ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ન માત્ર રાજસ્થાનમાં પરંતુ ગુજરાતમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા હતા. હત્યાની આગ હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા એક અધ્યક્ષને મારી નાખવાની ધમકી મળી છે. હવે દેશભરમાં રાજપૂત સમાજના લોકો ઉગ્ર આંદોલન કરે તેવું લાગી રહ્યું છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.