સિરપકાંડ બાદ : લોકો હજી પણ નથી સુધરી રહ્યા! Nadiyadમાં જાણી જોઈને એક વ્યક્તિએ પીધી સીરપ અને પછી જોવા જેવી થઈ!


  • Published By :
  • Published Date : 2023-12-05 14:42:25

સીરપકાંડની ચકચારી ઘટનાએ કેટલાયના પરિવારો ઉજાડયા છે. તોય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ખેડા જીલ્લા પોલીસના જવાનોને અડધી રાત્રે શેઢી નદીમાં જીવના જોખમે સિરપની બોટલો શોધવા નીકળવું પડ્યું છે. ચકચારી સિરપકાંડમાં એક બાદ એક ભેદ ખૂલી રહ્યા છે. ઘણા પરિવારોના ઘર ઉજડ્યા છે, પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ પીવાથી અત્યારસુધી 6 લોકોના મોટ નિપજ્યા છે.આ વચ્ચે પણ સીરપ પીવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 

Due to syrup, health of one more youth in Kheda deteriorated સિરપને કારણે ખેડામાં વધુ એક યુવકની તબિયત લથડી, નદીમાંથી સિરપની બોટલ મળતાં પોલીસ ચોંકી ઉઠી

40 વર્ષીય વ્યક્તિએ પીધી સીરપ અને બગડી તબિયત!

નડિયાદના નવા બિલોદરાના 40 વર્ષીય વ્યક્તિએ આ સિરપનો ઘૂંટ મારતા તેમની તબિયત લથડી છે. જે બાદ તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે, ઘરકંકાસમાં ઘર છોડી તે નજીક આવેલી શેઢી નદીએ પહોંચ્યા હતો. જ્યાં નદીના કાંઠે પડેલી સિરપની બોટલ ઘરે લાવી પીધી હતી. આ બનાવ બાદ પોલીસે નદીકાંઠે પહોંચી સર્ચ હાથ ધર્યું છે.


ઘરકંકાસને કારણે પીધી સીરપ!

નડિયાદ તાલુકાના નવા બિલોદરા ખાતે આવેલા કર્મવીર નગરના મકાન નંબર 8મા હેમંતભાઈ રતીલાલ ચૌહાણ રહે છે. ઘરકંકાસના કરાણે તે ઘર નજીક આવેલી શેઢી નદીના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં તેની નજર સિરપની ખાલી અને ભરેલી બોટલો ઉપર પડી હતી. જેથી બે સિરપની બોટલ પોતાના સાથે ઘરે લાવી ગતરોજ મોડી રાત્રે પી લીધી હતી. જે બાદ હેમંત ચૌહાણની તબિયત લથડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો સર્ચ માટે! 

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મોડીરાત્રે શેઢી નદીના પટમાં પહોંચી તપાસ‌ હાથ ધરી હતી. નદીના ચારેય બાજુ સર્ચ કરી તરતી સિરપની બોટલો એકત્ર કરી હતી અને વધુમાં મોડી રાત હોવાથી વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમાં હજી વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, નાગરિકો પોલીસને સહકાર આપે અને આવી કોઈ ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત નજીકના પોલીસ મથકે જાણ કરે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.