સિરપકાંડ બાદ : લોકો હજી પણ નથી સુધરી રહ્યા! Nadiyadમાં જાણી જોઈને એક વ્યક્તિએ પીધી સીરપ અને પછી જોવા જેવી થઈ!


  • Published By :
  • Published Date : 2023-12-05 14:42:25

સીરપકાંડની ચકચારી ઘટનાએ કેટલાયના પરિવારો ઉજાડયા છે. તોય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ખેડા જીલ્લા પોલીસના જવાનોને અડધી રાત્રે શેઢી નદીમાં જીવના જોખમે સિરપની બોટલો શોધવા નીકળવું પડ્યું છે. ચકચારી સિરપકાંડમાં એક બાદ એક ભેદ ખૂલી રહ્યા છે. ઘણા પરિવારોના ઘર ઉજડ્યા છે, પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ પીવાથી અત્યારસુધી 6 લોકોના મોટ નિપજ્યા છે.આ વચ્ચે પણ સીરપ પીવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 

Due to syrup, health of one more youth in Kheda deteriorated સિરપને કારણે ખેડામાં વધુ એક યુવકની તબિયત લથડી, નદીમાંથી સિરપની બોટલ મળતાં પોલીસ ચોંકી ઉઠી

40 વર્ષીય વ્યક્તિએ પીધી સીરપ અને બગડી તબિયત!

નડિયાદના નવા બિલોદરાના 40 વર્ષીય વ્યક્તિએ આ સિરપનો ઘૂંટ મારતા તેમની તબિયત લથડી છે. જે બાદ તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે, ઘરકંકાસમાં ઘર છોડી તે નજીક આવેલી શેઢી નદીએ પહોંચ્યા હતો. જ્યાં નદીના કાંઠે પડેલી સિરપની બોટલ ઘરે લાવી પીધી હતી. આ બનાવ બાદ પોલીસે નદીકાંઠે પહોંચી સર્ચ હાથ ધર્યું છે.


ઘરકંકાસને કારણે પીધી સીરપ!

નડિયાદ તાલુકાના નવા બિલોદરા ખાતે આવેલા કર્મવીર નગરના મકાન નંબર 8મા હેમંતભાઈ રતીલાલ ચૌહાણ રહે છે. ઘરકંકાસના કરાણે તે ઘર નજીક આવેલી શેઢી નદીના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં તેની નજર સિરપની ખાલી અને ભરેલી બોટલો ઉપર પડી હતી. જેથી બે સિરપની બોટલ પોતાના સાથે ઘરે લાવી ગતરોજ મોડી રાત્રે પી લીધી હતી. જે બાદ હેમંત ચૌહાણની તબિયત લથડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો સર્ચ માટે! 

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મોડીરાત્રે શેઢી નદીના પટમાં પહોંચી તપાસ‌ હાથ ધરી હતી. નદીના ચારેય બાજુ સર્ચ કરી તરતી સિરપની બોટલો એકત્ર કરી હતી અને વધુમાં મોડી રાત હોવાથી વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમાં હજી વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, નાગરિકો પોલીસને સહકાર આપે અને આવી કોઈ ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત નજીકના પોલીસ મથકે જાણ કરે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી