સિરપકાંડ બાદ : લોકો હજી પણ નથી સુધરી રહ્યા! Nadiyadમાં જાણી જોઈને એક વ્યક્તિએ પીધી સીરપ અને પછી જોવા જેવી થઈ!


  • Published By :
  • Published Date : 2023-12-05 14:42:25

સીરપકાંડની ચકચારી ઘટનાએ કેટલાયના પરિવારો ઉજાડયા છે. તોય લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. ખેડા જીલ્લા પોલીસના જવાનોને અડધી રાત્રે શેઢી નદીમાં જીવના જોખમે સિરપની બોટલો શોધવા નીકળવું પડ્યું છે. ચકચારી સિરપકાંડમાં એક બાદ એક ભેદ ખૂલી રહ્યા છે. ઘણા પરિવારોના ઘર ઉજડ્યા છે, પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ પીવાથી અત્યારસુધી 6 લોકોના મોટ નિપજ્યા છે.આ વચ્ચે પણ સીરપ પીવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 

Due to syrup, health of one more youth in Kheda deteriorated સિરપને કારણે ખેડામાં વધુ એક યુવકની તબિયત લથડી, નદીમાંથી સિરપની બોટલ મળતાં પોલીસ ચોંકી ઉઠી

40 વર્ષીય વ્યક્તિએ પીધી સીરપ અને બગડી તબિયત!

નડિયાદના નવા બિલોદરાના 40 વર્ષીય વ્યક્તિએ આ સિરપનો ઘૂંટ મારતા તેમની તબિયત લથડી છે. જે બાદ તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ વ્યક્તિએ પોલીસની સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે, ઘરકંકાસમાં ઘર છોડી તે નજીક આવેલી શેઢી નદીએ પહોંચ્યા હતો. જ્યાં નદીના કાંઠે પડેલી સિરપની બોટલ ઘરે લાવી પીધી હતી. આ બનાવ બાદ પોલીસે નદીકાંઠે પહોંચી સર્ચ હાથ ધર્યું છે.


ઘરકંકાસને કારણે પીધી સીરપ!

નડિયાદ તાલુકાના નવા બિલોદરા ખાતે આવેલા કર્મવીર નગરના મકાન નંબર 8મા હેમંતભાઈ રતીલાલ ચૌહાણ રહે છે. ઘરકંકાસના કરાણે તે ઘર નજીક આવેલી શેઢી નદીના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં તેની નજર સિરપની ખાલી અને ભરેલી બોટલો ઉપર પડી હતી. જેથી બે સિરપની બોટલ પોતાના સાથે ઘરે લાવી ગતરોજ મોડી રાત્રે પી લીધી હતી. જે બાદ હેમંત ચૌહાણની તબિયત લથડતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.


પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો સર્ચ માટે! 

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મોડીરાત્રે શેઢી નદીના પટમાં પહોંચી તપાસ‌ હાથ ધરી હતી. નદીના ચારેય બાજુ સર્ચ કરી તરતી સિરપની બોટલો એકત્ર કરી હતી અને વધુમાં મોડી રાત હોવાથી વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમાં હજી વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. વધુમાં જિલ્લાવાસીઓને અપીલ કરી છે કે, નાગરિકો પોલીસને સહકાર આપે અને આવી કોઈ ચીજવસ્તુઓ મળી આવે તો તુરંત નજીકના પોલીસ મથકે જાણ કરે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.