અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી વાહનચાલકોને રહેવું પડશે સાવધાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-25 12:44:09

ભગવાને માણસોને એક વિશેષ ખાસિયત આપી છે કે તે વિચારી શકે છે. નવું નવું જાણી શકે છે, શીખી શકે છે. ભૂલોમાંથી માણસ શીખે છે અને તે ભૂલ માણસના અનુભવમાં વધારો કરે છે. બધી વાત સાચી પરંતુ એક ખામી એ પણ છે કે થોડા દિવસો સુધી જ માણસ તે વસ્તુનું પાલન કરે છે. જ્યાં સુધી કોઈ વાતની ચર્ચાઓ ચાલતી હોય, કોઈ મુદ્દો ઉઠ્યો ત્યાં સુધી નિયમો બનાવે છે પરંતુ જેમ જેમ મુદ્દો શાંત થતો જાય, વાતાવરણ હળવું થતું જાય ત્યારે આપણે હતા ત્યાંને ત્યાં આવી પહોંચીએ છીએ. 


એક મહિના સુધી પોલીસ ચલાવશે મેગા ડ્રાઈવ 

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 10 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓવરસ્પીડમાં ગાડી આવવાને કારણે ગાડીની અડફેટે લોકો આવી ગયા અને કાળનો કોળિયો બની ગયા. અકસ્માત બાદ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ પણ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. કાયદાનું કડકપણે પાલન થાય તે માટે પોલીસે આગામી એક મહિના માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે. 


ડ્રાઈવિંગ કરતી વખતે આ ડોક્યુમેન્ટ રાખવા કમ્પલ્સરી 

આ સમય દરમિયાન જો તમે રસ્તા પર કાયદાનો ભંગ કરતા પકડાશો તો તમારા વિરૂદ્ધ કાર્યવાહી થશે. પોલીસ વડા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ દરમિયાન લાયસન્સ, હેલમેટ કે ઓવર સ્પીડમાં જતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 


ડ્રાઈવ પૂર્ણ થયા બાદ શું?

એક મહિના સુધી આ ડ્રાઈવ ચાલશે જેમાં કડકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે, લોકો કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ દરમિયાન મહદઅંશે લોકો પણ સાથસહકાર આપશે.આ સમય દરમિયાન લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ વગર વાહન નહીં ચલાવે, સારા નાગરિકોની જેમ વર્તશે, પરંતુ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ? પરિસ્થિતિ જેવી હાલ છે તેવી આવીને ઉભી રહેશે. 


નિયમોનું પાલન આપણા માટે જ હિતાવહ છે... 

એક મહિના બાદ અનેક લોકો ડ્રાઈવિંગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેરે, ઓવરસ્પીડમાં ગાડી ચલાવશે, સીટ બેલ્ટ પણ નહીં લગાવે, વગેરે વગેરે.... હાલ લોકો વિચારતા હશે કે માત્ર મહિનો જ આવી રીતે કાઢવાનો છે ને પૈસા ભરવા કરતા કાયદાનું પાલન કરવું સારુ. પરંતુ એક પ્રશ્ન પૂછવો છે કે આ કાયદો આપણી સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે ને તો પછી પાલન કરવામાં વાંધો શું હોય? વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશું, સીટ બેલ્ટ લગાડીશું ઉપરાંત નિયમોનું પાલન કરીશું તો આપણી જ સુરક્ષા થવાની છે ને. ત્યારે લોકોને અપીલ છે કે તમે ભલે તમારી સુરક્ષાનું ન વિચારતા હોવ, કાયદાનો ભંગ કરી તમે ક્ષણિક આનંદ મેળવી લેશો પરંતુ જો અકસ્માત સર્જાશે અને ગંભીર રીતે ઈજાઓ પહોંચશે તો તમારી હાલતો તો ગંભીર થવાની જ છે પરંતુ પરિવારના સભ્યોને પણ તમારા કારણે ભોગવવું પડશે. જો પોલીસ ન પકડે તો પણ આપણા માટે આપણે કાયદાનું પાલન કરવું જોઈએ.   


પોતાની સત્તાનો ન કરવો જોઈએ પોલીસવાળાએ દુરૂપયોગ! 

અનેક વખત આપણી સામે અથવા તો આપણી સાથે પણ એવા કિસ્સાઓ બન્યા હશે જ્યારે આપણે કાયદો ભંગ કર્યો હશે અને પોલીસને પૈસા આપ્યા હશે. તમારામાંથી અનેક લોકો એવું પણ કહેશે કે કાયદો ભંગ ન કર્યો હોય તો પણ પોલીસવાળા રોકે છે અને પૈસાની માગણી કરતા હોય છે. ટીઆરબી જવાન પૈસા લેતા હોય તેવા પણ અનેક વીડિયો આપણી સામે આવ્યા છે, આપણે અથવા આપણા પરિવારમાંથી અનેક સદસ્યોએ પૈસા આપ્યા હશે. ત્યારે પોલીસવાળાઓએ પણ આ કાયદાનો દુર્રૂપયોગ ન કરવો જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.