વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ થયા બાદ ટ્વિટર પર ચાલ્યો I Support YuvrajSinhનો ટ્રેન્ડ!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:13:26

ડમી કાંડ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડણીનો કેસ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને એમ પણ પહેલે થી વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ તેમજ લોકો યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.  ત્યારે ટ્વિટર પર ચાલી રહ્યા ટ્રેન્ડ પર તમારૂ શું માનવું છે?




મોડી રાત્રે યુવરાજસિંહની થઈ હતી ધરપકડ!

થોડા દિવસો પહેલા ડમીકાંડમાં તોડકાંડ નવો વળાંક આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભાવનગર એસઓજીએ હાજર થવા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સમર્થનમાં પહેલેથી જ અનેક લોકો તેમજ વિદ્યાર્થીઓ હતા ત્યારે તેમની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.