વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ થયા બાદ ટ્વિટર પર ચાલ્યો I Support YuvrajSinhનો ટ્રેન્ડ!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:13:26

ડમી કાંડ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડણીનો કેસ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને એમ પણ પહેલે થી વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ તેમજ લોકો યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.  ત્યારે ટ્વિટર પર ચાલી રહ્યા ટ્રેન્ડ પર તમારૂ શું માનવું છે?




મોડી રાત્રે યુવરાજસિંહની થઈ હતી ધરપકડ!

થોડા દિવસો પહેલા ડમીકાંડમાં તોડકાંડ નવો વળાંક આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભાવનગર એસઓજીએ હાજર થવા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સમર્થનમાં પહેલેથી જ અનેક લોકો તેમજ વિદ્યાર્થીઓ હતા ત્યારે તેમની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.