વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ થયા બાદ ટ્વિટર પર ચાલ્યો I Support YuvrajSinhનો ટ્રેન્ડ!


  • Published By :
  • Published Date : 2023-04-22 14:13:26

ડમી કાંડ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડણીનો કેસ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને એમ પણ પહેલે થી વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ તેમજ લોકો યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.  ત્યારે ટ્વિટર પર ચાલી રહ્યા ટ્રેન્ડ પર તમારૂ શું માનવું છે?




મોડી રાત્રે યુવરાજસિંહની થઈ હતી ધરપકડ!

થોડા દિવસો પહેલા ડમીકાંડમાં તોડકાંડ નવો વળાંક આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભાવનગર એસઓજીએ હાજર થવા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સમર્થનમાં પહેલેથી જ અનેક લોકો તેમજ વિદ્યાર્થીઓ હતા ત્યારે તેમની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.