Australia સામેની હાર બાદ ખેલાડીઓેનો જુસ્સો વધારવા Dressing Room પહોંચ્યા PM Modi, Ravindra Jadejaને ગુજરાતીમાં કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-21 11:59:18

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતી છે. મેચમાં મળેલી હાર બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગરૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની આંખો ગમગીન હતી. હાર બાદ મનોબળ વધારવા માટે પીએમ મોદી ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. તે સમયનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું કે તમે 10-10 મેચ જીતીને આવ્યા છો, આવું તો થતું રહે છે.    

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પીએમ મોદી કરે છે વાત!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતના લોકોને આશા હતી કે આ કપ ભારતીય ટીમ જીતશે પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ જીતી. ટીમને મળેલી હાર બાદ લોકો તેમજ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યા હતા. ખેલાડીઓ જ્યારે ફીલ્ડ પરથી આવી રહ્યા હતા ત્યારે તેઓ એકદમ ઈમોશનલ દેખાયા હતા. પીએમ મોદી ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે ડ્રેસિંગરૂમ પહોંચ્યા હતા. ખેલાડીઓ સાથે વાત કરીને તેમના દુ:ખને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમ મોદીએ વિરાટ કોહલીને અને રોહિત શર્માને મળ્યા. ખેલાડીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. રોહિત શર્માને તેમણે કહ્યું કે હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રાહુલ ડ્રવિડની પણ પીએમએ મુલાકાત કરી. 


ગુજરાતીમાં રવિન્દ્ર જાડેજા સાથે કરી વાત 

રવિન્દ્ર જાડેજા તેમજ જસ્મીસ બુમરા સાથે પીએમ મોદીએ ગુજરાતીમાં વાત કરી. રવિન્દ્ર જાડેજા ગુજરાતી છે અને તેઓ જાડેજાને કહે છે કાં બાપુ.. ઢીલો ન પડતો.. આ પછી જાડેજા વળતો હામાં જવાબ પણ આપે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.