Australia સામેની હાર બાદ ખેલાડીઓેનો જુસ્સો વધારવા Dressing Room પહોંચ્યા PM Modi, Ravindra Jadejaને ગુજરાતીમાં કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-21 11:59:18

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતી છે. મેચમાં મળેલી હાર બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગરૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની આંખો ગમગીન હતી. હાર બાદ મનોબળ વધારવા માટે પીએમ મોદી ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. તે સમયનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું કે તમે 10-10 મેચ જીતીને આવ્યા છો, આવું તો થતું રહે છે.    

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પીએમ મોદી કરે છે વાત!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતના લોકોને આશા હતી કે આ કપ ભારતીય ટીમ જીતશે પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ જીતી. ટીમને મળેલી હાર બાદ લોકો તેમજ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યા હતા. ખેલાડીઓ જ્યારે ફીલ્ડ પરથી આવી રહ્યા હતા ત્યારે તેઓ એકદમ ઈમોશનલ દેખાયા હતા. પીએમ મોદી ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે ડ્રેસિંગરૂમ પહોંચ્યા હતા. ખેલાડીઓ સાથે વાત કરીને તેમના દુ:ખને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમ મોદીએ વિરાટ કોહલીને અને રોહિત શર્માને મળ્યા. ખેલાડીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. રોહિત શર્માને તેમણે કહ્યું કે હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રાહુલ ડ્રવિડની પણ પીએમએ મુલાકાત કરી. 


ગુજરાતીમાં રવિન્દ્ર જાડેજા સાથે કરી વાત 

રવિન્દ્ર જાડેજા તેમજ જસ્મીસ બુમરા સાથે પીએમ મોદીએ ગુજરાતીમાં વાત કરી. રવિન્દ્ર જાડેજા ગુજરાતી છે અને તેઓ જાડેજાને કહે છે કાં બાપુ.. ઢીલો ન પડતો.. આ પછી જાડેજા વળતો હામાં જવાબ પણ આપે છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .