Australia સામેની હાર બાદ ખેલાડીઓેનો જુસ્સો વધારવા Dressing Room પહોંચ્યા PM Modi, Ravindra Jadejaને ગુજરાતીમાં કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-21 11:59:18

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતી છે. મેચમાં મળેલી હાર બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગરૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની આંખો ગમગીન હતી. હાર બાદ મનોબળ વધારવા માટે પીએમ મોદી ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. તે સમયનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું કે તમે 10-10 મેચ જીતીને આવ્યા છો, આવું તો થતું રહે છે.    

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પીએમ મોદી કરે છે વાત!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતના લોકોને આશા હતી કે આ કપ ભારતીય ટીમ જીતશે પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ જીતી. ટીમને મળેલી હાર બાદ લોકો તેમજ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યા હતા. ખેલાડીઓ જ્યારે ફીલ્ડ પરથી આવી રહ્યા હતા ત્યારે તેઓ એકદમ ઈમોશનલ દેખાયા હતા. પીએમ મોદી ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે ડ્રેસિંગરૂમ પહોંચ્યા હતા. ખેલાડીઓ સાથે વાત કરીને તેમના દુ:ખને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમ મોદીએ વિરાટ કોહલીને અને રોહિત શર્માને મળ્યા. ખેલાડીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. રોહિત શર્માને તેમણે કહ્યું કે હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રાહુલ ડ્રવિડની પણ પીએમએ મુલાકાત કરી. 


ગુજરાતીમાં રવિન્દ્ર જાડેજા સાથે કરી વાત 

રવિન્દ્ર જાડેજા તેમજ જસ્મીસ બુમરા સાથે પીએમ મોદીએ ગુજરાતીમાં વાત કરી. રવિન્દ્ર જાડેજા ગુજરાતી છે અને તેઓ જાડેજાને કહે છે કાં બાપુ.. ઢીલો ન પડતો.. આ પછી જાડેજા વળતો હામાં જવાબ પણ આપે છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે