વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ Madhya Pradesh Congressએ EVMને લઈ ઉઠાવ્યા પ્રશ્ન, લખ્યું લોકતંત્ર ફેલ ગયું અને ઈવીએમ...


  • Published By :
  • Published Date : 2023-12-07 10:35:42

થોડા દિવસો પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું છે મતલબ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોમાંથી માત્ર એક રાજ્યમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જો રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તો ઈવીએમ બરોબર છે પરંતુ જો કોંગ્રેસની હાર થાય છે તો ઈવીએમમાં ગડબડ છે તેવા આક્ષેપો કરવામાં આવે છે. ઈવીએમ પર સવાલ મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે. એમપી કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે કે લોકતંત્ર ફેલ થયું, ઈવીએમમાં ખેલ થયો. 

ઈવીએમની કામગીરી પર કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યા છે!

સામાન્ય રીતે આપણે જોયું હશે કે જો વાત આપણી તરફેણમાં હોય તો આપણે તેનો વિરોધ નથી કરતા અને જ્યારે એ જ વાત આપણા વિરોધમાં કરાય ત્યારે આપણી પ્રતિક્રિયા અલગ હોય છે! આવા કિસ્સાઓ ચૂંટણી પરિણામોમાં તો અવશ્ય જોવા મળતા હોય છે. જો રાજ્યમાં તેમની પાર્ટીની જીત થાય તો ઈવીએમ મશીન વ્યવસ્થિત અને જો બીજી પાર્ટી જીતે તો? ઈવીએમમાં ગડબડી કરી જીત હાંસલ થઈ છે તેવી વાતો શરૂ થઈ જાય. અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે. કોંગ્રેસે અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ કર્યા છે. ત્યારે એમપી કોંગ્રેસ દ્વારા ઈવીએમની કામગીરીને લઈ ટ્વિટ કરવામાં આવ્યું છે. 

હાર બાદ ઈવીએમ પર કોંગ્રેસે કર્યા સવાલ!

કોંગ્રેસ દ્વારા અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસની હાર થઈ હોય અને ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ન ઉઠે તે તો કદાચ અશક્ય છે! મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર થઈ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે ત્યારે ત્યારે ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે કેમ ઈવીએમ અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવતી? જે રાજ્યમાં જીત મળે ત્યાંનું ઈવીએમ મશીન બરાબર અને જે રાજ્યમાં હાર મળે ત્યાં ઈવીએમમાં સેટિંગ કરવામાં  આવ્યું છે તેવી વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે.


કોંગ્રેસની સરકાર જીતે તો ઈવીએમ બરાબર અને ના જીતે તો? 

ઈવીએમની કામગીરી પર પ્રશ્ન કોંગ્રેસ ઉપાડે એ કદાચ નવું નથી. જ્યાં જ્યાં કોંગ્રેસની હાર થઈ છે તે તે રાજ્યોમાં મુખ્યત્વે આ મુદ્દો, આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય કે ઈવીએમમાં ગડબડી ત્યાં જ થાય છે જ્યાં કોંગ્રેસની હાર હોય છે? જે રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તે અંગેની ચર્ચા કેમ નથી કરવામાં આવતી એ એક સવાલ છે. એમપી કોંગ્રેસ દ્વારા માત્ર એક ટ્વિટ કરવામાં આવ્યું હોય આ અંગે એવું નથી પરંતુ અનેક ટ્વિટ કરવામાં આવ્યા છે. બીજી એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ઈવીએમની વાત કરો તો બીજેપી તડપી ઉઠે છે. આખરે આ કયો સંબંધ છે? એવું પણ ટ્વિટ કરવામાં આવી છે કે ઈવીએમ જીતી ગયું અને તમારો મત હારી ગયો. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.