વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ Madhya Pradesh Congressએ EVMને લઈ ઉઠાવ્યા પ્રશ્ન, લખ્યું લોકતંત્ર ફેલ ગયું અને ઈવીએમ...


  • Published By :
  • Published Date : 2023-12-07 10:35:42

થોડા દિવસો પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યું છે મતલબ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોમાંથી માત્ર એક રાજ્યમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જો રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તો ઈવીએમ બરોબર છે પરંતુ જો કોંગ્રેસની હાર થાય છે તો ઈવીએમમાં ગડબડ છે તેવા આક્ષેપો કરવામાં આવે છે. ઈવીએમ પર સવાલ મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યા છે. એમપી કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે કે લોકતંત્ર ફેલ થયું, ઈવીએમમાં ખેલ થયો. 

ઈવીએમની કામગીરી પર કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યા છે!

સામાન્ય રીતે આપણે જોયું હશે કે જો વાત આપણી તરફેણમાં હોય તો આપણે તેનો વિરોધ નથી કરતા અને જ્યારે એ જ વાત આપણા વિરોધમાં કરાય ત્યારે આપણી પ્રતિક્રિયા અલગ હોય છે! આવા કિસ્સાઓ ચૂંટણી પરિણામોમાં તો અવશ્ય જોવા મળતા હોય છે. જો રાજ્યમાં તેમની પાર્ટીની જીત થાય તો ઈવીએમ મશીન વ્યવસ્થિત અને જો બીજી પાર્ટી જીતે તો? ઈવીએમમાં ગડબડી કરી જીત હાંસલ થઈ છે તેવી વાતો શરૂ થઈ જાય. અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે. કોંગ્રેસે અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ કર્યા છે. ત્યારે એમપી કોંગ્રેસ દ્વારા ઈવીએમની કામગીરીને લઈ ટ્વિટ કરવામાં આવ્યું છે. 

હાર બાદ ઈવીએમ પર કોંગ્રેસે કર્યા સવાલ!

કોંગ્રેસ દ્વારા અનેક વખત ઈવીએમની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસની હાર થઈ હોય અને ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ન ઉઠે તે તો કદાચ અશક્ય છે! મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર થઈ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે ત્યારે ત્યારે ઈવીએમની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે કોંગ્રેસની જીત થાય છે ત્યારે કેમ ઈવીએમ અંગે કોઈ ચર્ચા નથી કરવામાં આવતી? જે રાજ્યમાં જીત મળે ત્યાંનું ઈવીએમ મશીન બરાબર અને જે રાજ્યમાં હાર મળે ત્યાં ઈવીએમમાં સેટિંગ કરવામાં  આવ્યું છે તેવી વાતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે.


કોંગ્રેસની સરકાર જીતે તો ઈવીએમ બરાબર અને ના જીતે તો? 

ઈવીએમની કામગીરી પર પ્રશ્ન કોંગ્રેસ ઉપાડે એ કદાચ નવું નથી. જ્યાં જ્યાં કોંગ્રેસની હાર થઈ છે તે તે રાજ્યોમાં મુખ્યત્વે આ મુદ્દો, આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય કે ઈવીએમમાં ગડબડી ત્યાં જ થાય છે જ્યાં કોંગ્રેસની હાર હોય છે? જે રાજ્યમાં કોંગ્રેસની જીત થાય છે તે અંગેની ચર્ચા કેમ નથી કરવામાં આવતી એ એક સવાલ છે. એમપી કોંગ્રેસ દ્વારા માત્ર એક ટ્વિટ કરવામાં આવ્યું હોય આ અંગે એવું નથી પરંતુ અનેક ટ્વિટ કરવામાં આવ્યા છે. બીજી એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ઈવીએમની વાત કરો તો બીજેપી તડપી ઉઠે છે. આખરે આ કયો સંબંધ છે? એવું પણ ટ્વિટ કરવામાં આવી છે કે ઈવીએમ જીતી ગયું અને તમારો મત હારી ગયો. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.