નકલી હળદર બનાવતી ફેક્ટરી મળી આવ્યા બાદ રાજ્ય સરકાર આકરા પાણીએ! આ મામલે બે લોકો વિરૂદ્ધ લગાવાઈ આઈપીસીની ચાર કલમો!


  • Published By :
  • Published Date : 2023-04-13 11:19:13

થોડા દિવસો પહેલા નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. હળદર બનાવવામાં માટે હળદરની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસીની ચાર કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 


પોલીસે ઝડપી પાડી હતી નકલી હળદર બનાવતી ફેક્ટરી  

હળદરને આરોગ્ય માટે સૌથી સારો પદાર્થ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ત્યારે નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે નકલી દારૂ બનાવવા માટે કેમિકલ ફેક્ટરીમાં ઉતારવામાં આવ્યું છે. જેને લઈ પોલીસે ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જે મળ્યું તેને જોઈ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, દારૂ નહીં પરંતુ નકલી હળદર બનાવવા માટે કેમિકલ ઉતારવામાં આવ્યું હતું. પોલીસે નકલી હળદર બનતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આવનાર સમયમાં કોઈ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને તેને લઈ બે લોકો વિરુદ્ધ આઈપીસીની ચાર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આઈપીસીની કલમ 420,272,273,120 લગાવવામાં આવી છે.  


શું કડક કાર્યવાહી કરવાથી ભેળસેળ કરતા લોકોમાં ડર ઉભો થશે? 

આજકાલ મુખ્યત્વે એવી એક પણ વસ્તુ નથી મળતી જેમાં ભેળસેળ કરવામાં આવી ન હોય. અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોઈ વખત ઘીમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે તો કોઈ વખત મસાલામાં ભેળસેળ થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. લોકો થોડા પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના જીવન સાથે ચેડા કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા તો કરાશે તો તેની અસર ભેળસેળ કરતા અન્ય લોકો પર થશે? તે લોકો સુધરશે કે કેમ તે એક પ્રશ્ન છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે