નકલી હળદર બનાવતી ફેક્ટરી મળી આવ્યા બાદ રાજ્ય સરકાર આકરા પાણીએ! આ મામલે બે લોકો વિરૂદ્ધ લગાવાઈ આઈપીસીની ચાર કલમો!


  • Published By :
  • Published Date : 2023-04-13 11:19:13

થોડા દિવસો પહેલા નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. હળદર બનાવવામાં માટે હળદરની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસીની ચાર કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 


પોલીસે ઝડપી પાડી હતી નકલી હળદર બનાવતી ફેક્ટરી  

હળદરને આરોગ્ય માટે સૌથી સારો પદાર્થ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ત્યારે નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે નકલી દારૂ બનાવવા માટે કેમિકલ ફેક્ટરીમાં ઉતારવામાં આવ્યું છે. જેને લઈ પોલીસે ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જે મળ્યું તેને જોઈ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, દારૂ નહીં પરંતુ નકલી હળદર બનાવવા માટે કેમિકલ ઉતારવામાં આવ્યું હતું. પોલીસે નકલી હળદર બનતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આવનાર સમયમાં કોઈ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને તેને લઈ બે લોકો વિરુદ્ધ આઈપીસીની ચાર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આઈપીસીની કલમ 420,272,273,120 લગાવવામાં આવી છે.  


શું કડક કાર્યવાહી કરવાથી ભેળસેળ કરતા લોકોમાં ડર ઉભો થશે? 

આજકાલ મુખ્યત્વે એવી એક પણ વસ્તુ નથી મળતી જેમાં ભેળસેળ કરવામાં આવી ન હોય. અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોઈ વખત ઘીમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે તો કોઈ વખત મસાલામાં ભેળસેળ થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. લોકો થોડા પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના જીવન સાથે ચેડા કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા તો કરાશે તો તેની અસર ભેળસેળ કરતા અન્ય લોકો પર થશે? તે લોકો સુધરશે કે કેમ તે એક પ્રશ્ન છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.