નકલી હળદર બનાવતી ફેક્ટરી મળી આવ્યા બાદ રાજ્ય સરકાર આકરા પાણીએ! આ મામલે બે લોકો વિરૂદ્ધ લગાવાઈ આઈપીસીની ચાર કલમો!


  • Published By :
  • Published Date : 2023-04-13 11:19:13

થોડા દિવસો પહેલા નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી. હળદર બનાવવામાં માટે હળદરની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક એક્શન લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો સામે ડુપ્લીકેટ હળદર બનાવવા મામલે આઈપીસીની ચાર કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 


પોલીસે ઝડપી પાડી હતી નકલી હળદર બનાવતી ફેક્ટરી  

હળદરને આરોગ્ય માટે સૌથી સારો પદાર્થ માનવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે. ત્યારે નડિયાદથી નકલી હળદર બનાવતી ફેક્ટરીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે નકલી દારૂ બનાવવા માટે કેમિકલ ફેક્ટરીમાં ઉતારવામાં આવ્યું છે. જેને લઈ પોલીસે ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જે મળ્યું તેને જોઈ પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, દારૂ નહીં પરંતુ નકલી હળદર બનાવવા માટે કેમિકલ ઉતારવામાં આવ્યું હતું. પોલીસે નકલી હળદર બનતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે આવનાર સમયમાં કોઈ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને તેને લઈ બે લોકો વિરુદ્ધ આઈપીસીની ચાર કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આઈપીસીની કલમ 420,272,273,120 લગાવવામાં આવી છે.  


શું કડક કાર્યવાહી કરવાથી ભેળસેળ કરતા લોકોમાં ડર ઉભો થશે? 

આજકાલ મુખ્યત્વે એવી એક પણ વસ્તુ નથી મળતી જેમાં ભેળસેળ કરવામાં આવી ન હોય. અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોઈ વખત ઘીમાં ભેળસેળના કિસ્સા સામે આવતા હોય છે તો કોઈ વખત મસાલામાં ભેળસેળ થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. લોકો થોડા પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના જીવન સાથે ચેડા કરે છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અથવા તો કરાશે તો તેની અસર ભેળસેળ કરતા અન્ય લોકો પર થશે? તે લોકો સુધરશે કે કેમ તે એક પ્રશ્ન છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.