Adani Group પર Hindenburgના રિપોર્ટ પછી ફરી આ વર્ષે એક નવી ચેતવણી કોને હલાવશે?


  • Published By :
  • Published Date : 2024-08-10 17:06:54

ભારતના બીજા સૌથી ધનવાન ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને હચમચાવીને રાખનાર અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ચેતવણી જાહેર કરી છે... ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે ભારતીય શેર માર્કેટમાં તોફાન મચાવી દીધું હતું... હિંડનબર્ગે મોટો આરોપ લગાવ્યો હતો જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો... ફરી એકવાર હિંડનબર્ગ ચર્ચામાં છે... સવાલ એ છે કે હવે અદાણી પછી કોનો વારો છે?

હિંડનબર્ગે ટ્વિટ કર્યું જેમાં લખ્યું હતું...

અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે સવારે ટ્વિટ કરીને એક મોટી ચેતવણી આપી છે... સવાલ એ છે કે હવે હિંડનબર્ગના નિશાના પર કોણ હશે... હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકી જેમાં લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. ત્યાર પછી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે હિંડનબર્ગ ફરી કોઈ મોટો રિપોર્ટ આપશે... 


અદાણીને લઈ હિંડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં... 

24 જાન્યુઆરી 2023 ભારતના ઈતિહાસની એ તારીખ છે જેણે દેશના બીજા નંબરના સૌથી અમીર માણસ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને હલાવીને રાખી દીધા હતા... એ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો... એક વર્ષ પહેલાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો... જો કે, આ પોસ્ટ દ્વારા હિંડનબર્ગે કેટલાક નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો છે, જોકે તેણે કોઈ કંપનીનું નામ આપ્યું નથી.... હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત એક અહેવાલ પ્રકાશિત કર્યો. 



અદાણીને પડ્યો હતો મોટો ફટકો!

રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં રિકવરી થઈ હતી. એ વખતે હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ વિશ્વના ટોપ25 અમીર માણસોના લિસ્ટમાંથી નીકળી ગયા હતા.. રિપોર્ટ આવ્યા પછી તેમની વેલ્યુએશનમાં પણ ઘટાડો થયો હતો. કંપનીની વેલ્યુએશન 86 ડૉલર સુધી ઘટી ગઈ હતી. આ રિપોર્ટના સંદર્ભમાં ભારતીય શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હિંડનબર્ગને 46 પાનાંની કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી...




SEBI માટે હિંડનબર્ગે કહી હતી આ વાત! 

1 જુલાઈ, 2024ના રોજ પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે નોટિસ જણાવે છે કે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ કહ્યું, SEBIએ આરોપ લગાવ્યો છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં વાચકોને ગુમરાહ કરવા માટે ખોટાં નિવેદન પણ સામેલ કરવામાં આવ્યાં છે. તેનો જવાબ આપતાં હિંડનબર્ગે SEBI પર જ અનેક પ્રકારના આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું, અમારા વિચારમાં SEBI પોતાની જવાબદારીને ઇગ્નોર કરે છે, એવું જાણવા મળે છે કે તેઓ છેતરપિંડી કરનારા લોકોથી રોકાણકારોને બચાવવાને બદલે છેતરપિંડી કરનારાઓને બચાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી હોવાનું જણાય છે.



શોર્ટ સેલિંગ એટલે શું... 

સરળ ભાષામાં જેમ તમે પહેલા શેર ખરીદો છો અને પછી એને વેચો છો, એવી જ રીતે ટૂંકા વેચાણમાં, શેર પહેલા વેચવામાં આવે છે અને પછી એ ખરીદવામાં આવે છે. આ રીતે વચ્ચે જે પણ તફાવત આવે છે એ તમારો નફો કે નુકસાન છે.નોર્મલી તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો એવુ વિચારીને કે જે તે શેરનો ભાવ ઉંચો જશે અને તમને પ્રોફિટ મળશે.. શોર્ટ સેલિંગમાં તમે પૈસા લગાવવો છો એવુ વિચારીને કે કોઈ કંપનીના સ્ટોકની પ્રાઈઝ નીચે જશે અને તમને પ્રોફિટ મળશે.. હવે આવુ ત્યારે જ તમે કરો જ્યારે તમને આશા હોય અથવા તો ખબર હોય કે આ કંપનીની પ્રાઈઝ ઘટશે... તો શોર્ટ સેલિંગ પણ એક પૈસા કમાવવાનું માધ્યમ છે... હવે કોની ઉંઘ હિંડનબર્ગનો રિપોર્ટ બગાડે છે તે જોવાનું રહ્યું. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.