Adani Group પર Hindenburgના રિપોર્ટ પછી ફરી આ વર્ષે એક નવી ચેતવણી કોને હલાવશે?


  • Published By :
  • Published Date : 2024-08-10 17:06:54

ભારતના બીજા સૌથી ધનવાન ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને હચમચાવીને રાખનાર અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ચેતવણી જાહેર કરી છે... ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે ભારતીય શેર માર્કેટમાં તોફાન મચાવી દીધું હતું... હિંડનબર્ગે મોટો આરોપ લગાવ્યો હતો જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો... ફરી એકવાર હિંડનબર્ગ ચર્ચામાં છે... સવાલ એ છે કે હવે અદાણી પછી કોનો વારો છે?

હિંડનબર્ગે ટ્વિટ કર્યું જેમાં લખ્યું હતું...

અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે સવારે ટ્વિટ કરીને એક મોટી ચેતવણી આપી છે... સવાલ એ છે કે હવે હિંડનબર્ગના નિશાના પર કોણ હશે... હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકી જેમાં લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. ત્યાર પછી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે હિંડનબર્ગ ફરી કોઈ મોટો રિપોર્ટ આપશે... 


અદાણીને લઈ હિંડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં... 

24 જાન્યુઆરી 2023 ભારતના ઈતિહાસની એ તારીખ છે જેણે દેશના બીજા નંબરના સૌથી અમીર માણસ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને હલાવીને રાખી દીધા હતા... એ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો... એક વર્ષ પહેલાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો... જો કે, આ પોસ્ટ દ્વારા હિંડનબર્ગે કેટલાક નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો છે, જોકે તેણે કોઈ કંપનીનું નામ આપ્યું નથી.... હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત એક અહેવાલ પ્રકાશિત કર્યો. 



અદાણીને પડ્યો હતો મોટો ફટકો!

રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં રિકવરી થઈ હતી. એ વખતે હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ વિશ્વના ટોપ25 અમીર માણસોના લિસ્ટમાંથી નીકળી ગયા હતા.. રિપોર્ટ આવ્યા પછી તેમની વેલ્યુએશનમાં પણ ઘટાડો થયો હતો. કંપનીની વેલ્યુએશન 86 ડૉલર સુધી ઘટી ગઈ હતી. આ રિપોર્ટના સંદર્ભમાં ભારતીય શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હિંડનબર્ગને 46 પાનાંની કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી...




SEBI માટે હિંડનબર્ગે કહી હતી આ વાત! 

1 જુલાઈ, 2024ના રોજ પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે નોટિસ જણાવે છે કે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ કહ્યું, SEBIએ આરોપ લગાવ્યો છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં વાચકોને ગુમરાહ કરવા માટે ખોટાં નિવેદન પણ સામેલ કરવામાં આવ્યાં છે. તેનો જવાબ આપતાં હિંડનબર્ગે SEBI પર જ અનેક પ્રકારના આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું, અમારા વિચારમાં SEBI પોતાની જવાબદારીને ઇગ્નોર કરે છે, એવું જાણવા મળે છે કે તેઓ છેતરપિંડી કરનારા લોકોથી રોકાણકારોને બચાવવાને બદલે છેતરપિંડી કરનારાઓને બચાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી હોવાનું જણાય છે.



શોર્ટ સેલિંગ એટલે શું... 

સરળ ભાષામાં જેમ તમે પહેલા શેર ખરીદો છો અને પછી એને વેચો છો, એવી જ રીતે ટૂંકા વેચાણમાં, શેર પહેલા વેચવામાં આવે છે અને પછી એ ખરીદવામાં આવે છે. આ રીતે વચ્ચે જે પણ તફાવત આવે છે એ તમારો નફો કે નુકસાન છે.નોર્મલી તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો એવુ વિચારીને કે જે તે શેરનો ભાવ ઉંચો જશે અને તમને પ્રોફિટ મળશે.. શોર્ટ સેલિંગમાં તમે પૈસા લગાવવો છો એવુ વિચારીને કે કોઈ કંપનીના સ્ટોકની પ્રાઈઝ નીચે જશે અને તમને પ્રોફિટ મળશે.. હવે આવુ ત્યારે જ તમે કરો જ્યારે તમને આશા હોય અથવા તો ખબર હોય કે આ કંપનીની પ્રાઈઝ ઘટશે... તો શોર્ટ સેલિંગ પણ એક પૈસા કમાવવાનું માધ્યમ છે... હવે કોની ઉંઘ હિંડનબર્ગનો રિપોર્ટ બગાડે છે તે જોવાનું રહ્યું. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.