Adani Group પર Hindenburgના રિપોર્ટ પછી ફરી આ વર્ષે એક નવી ચેતવણી કોને હલાવશે?


  • Published By :
  • Published Date : 2024-08-10 17:06:54

ભારતના બીજા સૌથી ધનવાન ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને હચમચાવીને રાખનાર અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ચેતવણી જાહેર કરી છે... ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે ભારતીય શેર માર્કેટમાં તોફાન મચાવી દીધું હતું... હિંડનબર્ગે મોટો આરોપ લગાવ્યો હતો જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો... ફરી એકવાર હિંડનબર્ગ ચર્ચામાં છે... સવાલ એ છે કે હવે અદાણી પછી કોનો વારો છે?

હિંડનબર્ગે ટ્વિટ કર્યું જેમાં લખ્યું હતું...

અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે સવારે ટ્વિટ કરીને એક મોટી ચેતવણી આપી છે... સવાલ એ છે કે હવે હિંડનબર્ગના નિશાના પર કોણ હશે... હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકી જેમાં લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. ત્યાર પછી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે હિંડનબર્ગ ફરી કોઈ મોટો રિપોર્ટ આપશે... 


અદાણીને લઈ હિંડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં... 

24 જાન્યુઆરી 2023 ભારતના ઈતિહાસની એ તારીખ છે જેણે દેશના બીજા નંબરના સૌથી અમીર માણસ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને હલાવીને રાખી દીધા હતા... એ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો... એક વર્ષ પહેલાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો... જો કે, આ પોસ્ટ દ્વારા હિંડનબર્ગે કેટલાક નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો છે, જોકે તેણે કોઈ કંપનીનું નામ આપ્યું નથી.... હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત એક અહેવાલ પ્રકાશિત કર્યો. 



અદાણીને પડ્યો હતો મોટો ફટકો!

રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં રિકવરી થઈ હતી. એ વખતે હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ વિશ્વના ટોપ25 અમીર માણસોના લિસ્ટમાંથી નીકળી ગયા હતા.. રિપોર્ટ આવ્યા પછી તેમની વેલ્યુએશનમાં પણ ઘટાડો થયો હતો. કંપનીની વેલ્યુએશન 86 ડૉલર સુધી ઘટી ગઈ હતી. આ રિપોર્ટના સંદર્ભમાં ભારતીય શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હિંડનબર્ગને 46 પાનાંની કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી...




SEBI માટે હિંડનબર્ગે કહી હતી આ વાત! 

1 જુલાઈ, 2024ના રોજ પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે નોટિસ જણાવે છે કે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ કહ્યું, SEBIએ આરોપ લગાવ્યો છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં વાચકોને ગુમરાહ કરવા માટે ખોટાં નિવેદન પણ સામેલ કરવામાં આવ્યાં છે. તેનો જવાબ આપતાં હિંડનબર્ગે SEBI પર જ અનેક પ્રકારના આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું, અમારા વિચારમાં SEBI પોતાની જવાબદારીને ઇગ્નોર કરે છે, એવું જાણવા મળે છે કે તેઓ છેતરપિંડી કરનારા લોકોથી રોકાણકારોને બચાવવાને બદલે છેતરપિંડી કરનારાઓને બચાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી હોવાનું જણાય છે.



શોર્ટ સેલિંગ એટલે શું... 

સરળ ભાષામાં જેમ તમે પહેલા શેર ખરીદો છો અને પછી એને વેચો છો, એવી જ રીતે ટૂંકા વેચાણમાં, શેર પહેલા વેચવામાં આવે છે અને પછી એ ખરીદવામાં આવે છે. આ રીતે વચ્ચે જે પણ તફાવત આવે છે એ તમારો નફો કે નુકસાન છે.નોર્મલી તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો એવુ વિચારીને કે જે તે શેરનો ભાવ ઉંચો જશે અને તમને પ્રોફિટ મળશે.. શોર્ટ સેલિંગમાં તમે પૈસા લગાવવો છો એવુ વિચારીને કે કોઈ કંપનીના સ્ટોકની પ્રાઈઝ નીચે જશે અને તમને પ્રોફિટ મળશે.. હવે આવુ ત્યારે જ તમે કરો જ્યારે તમને આશા હોય અથવા તો ખબર હોય કે આ કંપનીની પ્રાઈઝ ઘટશે... તો શોર્ટ સેલિંગ પણ એક પૈસા કમાવવાનું માધ્યમ છે... હવે કોની ઉંઘ હિંડનબર્ગનો રિપોર્ટ બગાડે છે તે જોવાનું રહ્યું. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.