લોકસભા ચૂંટણી ટાણે ખાંડ અને ડુંગળીના વધેલા ભાવે સરકારની ઊંઘ ઉડાડી, મોદી સરકારે ભર્યું આ પગલું


  • Published By :
  • Published Date : 2023-12-08 17:19:31

લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કેન્દ્રની મોદી સરકાર પણ વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેમાં પણ ડુંગળી અને ખાંડના વધેલા ભાવને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે. દેશમાં ખાંડ અને ડુંગળીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ખાંડની મિલો પર ઈથેનોલ બનાવવા પર રોક લગાવી દીધી છે. ખાંડ મિલો અને ડિસ્ટીલરી શેરડીના રસનો ઉપયોગ ખાંડ બનાવવાના બદલે ઈથેનોલ બનાવવામાં વધુ કરી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 


ડુંગળીના ભાવે સરકારની ચિંતા વધારી 


ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે આ અગાઉ નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ 800 ડોલર પ્રતિ ટન નિર્ધારીત કરી હતી. દેશના રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને સરકારના તમામ પ્રયાસો છતાં ભાવ કાબુમાં આવી નથી રહ્યા. સત્ય તો એ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હોવા છતાં  દેશમાંથી દર મહિને એક લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે. આ જ કારણે દેશમાં ડુંગળીની  કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જળવાઈ રહી છે.


ખાંડની કિંમત કાબુમાં લેવા મથામણ  


કેન્દ્રની મોદી સરકાર ખાંડના વધતા ભાવથી પણ ચિંતિત છે, સુગર મિલો અને ડિસ્ટલરીઝને શેરડીના રસમાંથી ખાંડના બદલે ઈથેનોલનું ઉત્પાદન કરવામાં પસ વધુ છે કારણ કે તેમાં વળતર વધારે મળે છે. સુગર મિલો તેમના ઈથેનોલ ઉત્પાદનને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચી રહી છે. જો કે તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે જ્યારે સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે ત્યારે ખાંડના ઉત્પાદનમાં 18-20 લાખ ટન જેટલો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જેથી ખાંડના ભાવને કાબુમાં લેવામાં મદદ મળી શકશે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.