લોકસભા ચૂંટણી ટાણે ખાંડ અને ડુંગળીના વધેલા ભાવે સરકારની ઊંઘ ઉડાડી, મોદી સરકારે ભર્યું આ પગલું


  • Published By :
  • Published Date : 2023-12-08 17:19:31

લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કેન્દ્રની મોદી સરકાર પણ વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેમાં પણ ડુંગળી અને ખાંડના વધેલા ભાવને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે. દેશમાં ખાંડ અને ડુંગળીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ખાંડની મિલો પર ઈથેનોલ બનાવવા પર રોક લગાવી દીધી છે. ખાંડ મિલો અને ડિસ્ટીલરી શેરડીના રસનો ઉપયોગ ખાંડ બનાવવાના બદલે ઈથેનોલ બનાવવામાં વધુ કરી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 


ડુંગળીના ભાવે સરકારની ચિંતા વધારી 


ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે આ અગાઉ નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ 800 ડોલર પ્રતિ ટન નિર્ધારીત કરી હતી. દેશના રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને સરકારના તમામ પ્રયાસો છતાં ભાવ કાબુમાં આવી નથી રહ્યા. સત્ય તો એ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હોવા છતાં  દેશમાંથી દર મહિને એક લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે. આ જ કારણે દેશમાં ડુંગળીની  કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જળવાઈ રહી છે.


ખાંડની કિંમત કાબુમાં લેવા મથામણ  


કેન્દ્રની મોદી સરકાર ખાંડના વધતા ભાવથી પણ ચિંતિત છે, સુગર મિલો અને ડિસ્ટલરીઝને શેરડીના રસમાંથી ખાંડના બદલે ઈથેનોલનું ઉત્પાદન કરવામાં પસ વધુ છે કારણ કે તેમાં વળતર વધારે મળે છે. સુગર મિલો તેમના ઈથેનોલ ઉત્પાદનને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચી રહી છે. જો કે તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે જ્યારે સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે ત્યારે ખાંડના ઉત્પાદનમાં 18-20 લાખ ટન જેટલો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જેથી ખાંડના ભાવને કાબુમાં લેવામાં મદદ મળી શકશે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.