લોકસભા ચૂંટણી ટાણે ખાંડ અને ડુંગળીના વધેલા ભાવે સરકારની ઊંઘ ઉડાડી, મોદી સરકારે ભર્યું આ પગલું


  • Published By :
  • Published Date : 2023-12-08 17:19:31

લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કેન્દ્રની મોદી સરકાર પણ વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેમાં પણ ડુંગળી અને ખાંડના વધેલા ભાવને રોકવા માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે. દેશમાં ખાંડ અને ડુંગળીનો પુરતો જથ્થો જળવાઈ રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ખાંડની મિલો પર ઈથેનોલ બનાવવા પર રોક લગાવી દીધી છે. ખાંડ મિલો અને ડિસ્ટીલરી શેરડીના રસનો ઉપયોગ ખાંડ બનાવવાના બદલે ઈથેનોલ બનાવવામાં વધુ કરી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. 


ડુંગળીના ભાવે સરકારની ચિંતા વધારી 


ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે આ અગાઉ નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ 800 ડોલર પ્રતિ ટન નિર્ધારીત કરી હતી. દેશના રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અને સરકારના તમામ પ્રયાસો છતાં ભાવ કાબુમાં આવી નથી રહ્યા. સત્ય તો એ છે કે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હોવા છતાં  દેશમાંથી દર મહિને એક લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે. આ જ કારણે દેશમાં ડુંગળીની  કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જળવાઈ રહી છે.


ખાંડની કિંમત કાબુમાં લેવા મથામણ  


કેન્દ્રની મોદી સરકાર ખાંડના વધતા ભાવથી પણ ચિંતિત છે, સુગર મિલો અને ડિસ્ટલરીઝને શેરડીના રસમાંથી ખાંડના બદલે ઈથેનોલનું ઉત્પાદન કરવામાં પસ વધુ છે કારણ કે તેમાં વળતર વધારે મળે છે. સુગર મિલો તેમના ઈથેનોલ ઉત્પાદનને ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વેચી રહી છે. જો કે તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. હવે જ્યારે સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા કહ્યું છે ત્યારે ખાંડના ઉત્પાદનમાં 18-20 લાખ ટન જેટલો વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે, જેથી ખાંડના ભાવને કાબુમાં લેવામાં મદદ મળી શકશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે