Loksabha Electionની તારીખ જાહેર થયા બાદ PM Modiએ આપ્યો આ સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ લખી અને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-03-16 18:20:40

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે અને પહેલી જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે.  આ વખતે પણ ભારતના લોકો તેમને અપાર પ્રેમ અને આશીર્વાદ આપશે અને તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે.      

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લાગુ થઈ આચાર સંહિતા

19 એપ્રિલથી લોકશાહીના પર્વની શરૂઆત થવાની છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દેશ માટે સરકારની પસંદગી કરશે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે અને તેમાં મતદાતાઓને અપીલ કરી છે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.ભાજપ-એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. 


ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર છે - પીએમ મોદી

વધુમાં તેમણે લખ્યું કે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે આવનારા 5 વર્ષ આપણા સામૂહિક સંકલ્પનો સમયગાળો હશે જેમાં આપણે આગામી એક હજાર વર્ષની ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર કરીશું. આ સમય ભારતના સર્વાંગી વિકાસ, સર્વસમાવેશક સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વનો સાક્ષી બનશે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.