Loksabha Electionની તારીખ જાહેર થયા બાદ PM Modiએ આપ્યો આ સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ લખી અને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-03-16 18:20:40

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે અને પહેલી જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે.  આ વખતે પણ ભારતના લોકો તેમને અપાર પ્રેમ અને આશીર્વાદ આપશે અને તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે.      

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લાગુ થઈ આચાર સંહિતા

19 એપ્રિલથી લોકશાહીના પર્વની શરૂઆત થવાની છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દેશ માટે સરકારની પસંદગી કરશે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે અને તેમાં મતદાતાઓને અપીલ કરી છે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.ભાજપ-એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. 


ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર છે - પીએમ મોદી

વધુમાં તેમણે લખ્યું કે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે આવનારા 5 વર્ષ આપણા સામૂહિક સંકલ્પનો સમયગાળો હશે જેમાં આપણે આગામી એક હજાર વર્ષની ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર કરીશું. આ સમય ભારતના સર્વાંગી વિકાસ, સર્વસમાવેશક સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વનો સાક્ષી બનશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.