Sukhdev Singh Gogamedi હત્યા બાદ Mahipal Singh અને Raj Shekhawatએ સરકારને આપી આ ચીમકી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 14:59:28

ગઈકાલથી એક સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે અને જેના કારણે દેશ ભરમાં કરણી સેના ભારે રોષમાં છે રાજસ્થાન બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. પણ આ બધે એક પ્રતિક્રિયા આવી છે તેના પર ચર્ચા થઈ રહી છે. અલગ અલગ પ્રતિક્રિયા આવી જે ટેન્શન વધારી દે તેવી છે.  

કરણી સેનાના નેતાઓએ આ ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી અનેક લોકોની તેમજ અનેક રાજપૂત નેતાની પણ પ્રતિક્રિયા આવી છે. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. ઇલેકશનના રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે આ ઘટના બને છે તો ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. મહિપાલ સિંહે સરકારને ચીમકી આપી છે.  મહિપાલસિંહ ઉપરાંત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો, અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે.

દેશમાં મોટું આંદોલન છેડાઈ જવાના એંધાણ!

હવે આવી હત્યાની ઘટના બાદ સરકારપર ઘણા સવાલ ઊભા થાય છે. કારણ કે કરણી સેનાનું એવું કહેવું છે કે અમે પહેલાથી સુરક્ષા માંગી હતી પણ અધ્યક્ષને કેમ સુરક્ષા આપવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આ બધા સવાલો સાથે બીજો ડર એ પણ છે કે જો હત્યારો સામે જલ્દી કાર્યવાહી નહીં થાય તો દેશમાં મોટું આંદોલન થઈ શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.