Sukhdev Singh Gogamedi હત્યા બાદ Mahipal Singh અને Raj Shekhawatએ સરકારને આપી આ ચીમકી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 14:59:28

ગઈકાલથી એક સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે અને જેના કારણે દેશ ભરમાં કરણી સેના ભારે રોષમાં છે રાજસ્થાન બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. પણ આ બધે એક પ્રતિક્રિયા આવી છે તેના પર ચર્ચા થઈ રહી છે. અલગ અલગ પ્રતિક્રિયા આવી જે ટેન્શન વધારી દે તેવી છે.  

કરણી સેનાના નેતાઓએ આ ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી અનેક લોકોની તેમજ અનેક રાજપૂત નેતાની પણ પ્રતિક્રિયા આવી છે. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. ઇલેકશનના રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે આ ઘટના બને છે તો ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. મહિપાલ સિંહે સરકારને ચીમકી આપી છે.  મહિપાલસિંહ ઉપરાંત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો, અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે.

દેશમાં મોટું આંદોલન છેડાઈ જવાના એંધાણ!

હવે આવી હત્યાની ઘટના બાદ સરકારપર ઘણા સવાલ ઊભા થાય છે. કારણ કે કરણી સેનાનું એવું કહેવું છે કે અમે પહેલાથી સુરક્ષા માંગી હતી પણ અધ્યક્ષને કેમ સુરક્ષા આપવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આ બધા સવાલો સાથે બીજો ડર એ પણ છે કે જો હત્યારો સામે જલ્દી કાર્યવાહી નહીં થાય તો દેશમાં મોટું આંદોલન થઈ શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.