Vikas Sahayના આદેશ બાદ કાયદો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કરાઈ દંડાત્મક કાર્યવાહી, કેટલાનો ફટકારવામાં આવ્યો દંડ?


  • Published By :
  • Published Date : 2023-08-21 11:09:36

પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા વિકાસ સહાય દ્વારા આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે જ પહેલા કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા જ દિવસે 18 જેટલા પોલીસકર્મીઓને દંડ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે પોલીસકર્મીઓએ 9 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

પોલીસકર્મી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી 

લોકોને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે. તથ્યકાંડ બાદ અમદાવાદમાં તો પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. લાખોનો દંડ લોકોએ કાયદો ભંગ કરી ભરી દીધો છે. જ્યારે સામાન્ય માણસને દંડ થાય ત્યારે આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે માત્ર સામાન્ય લોકો વિરૂદ્ધ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે? અનેક પોલીસ એવા હોય છે જે કાયદાનું ભંગ કરતા દેખાય છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે  નિયમોનો ભંગ કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 



અનેક પોલીસકર્મીઓ કરતા હોય છે કાયદાનો ભંગ 

રસ્તા પરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે અનેક પોલીસકર્મીઓ આપણે જોતા હોય છે જે વર્દીમાં હોય છે પરંતુ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ટુ વ્હીલર પર હોય તો અનેક પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ગાડીમાં સીટબેલ્ટ વગર તે જોવા મળતા હોય છે. ત્યારે પોલીસની છબીને વધુ નુકસાન ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસકર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ

પોલીસકર્મીઓને લઈ અનેક પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અનેક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસે જ પોતે કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યવાહીના પ્રથમ દિવસે જ અનેક પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ 9 હજારની આસપાસની નોંધાઈ છે. કાયદો ભંગ કરનાર  પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે કાયદો દરેક માટે સરખો હોય છે, નિયમો દરેક માટે સરખા હોય છે તો દંડવાની કાર્યવાહી પણ સરખી હોવી જોઈએ. ત્યારે હવે પોલીસ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.