Vikas Sahayના આદેશ બાદ કાયદો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કરાઈ દંડાત્મક કાર્યવાહી, કેટલાનો ફટકારવામાં આવ્યો દંડ?


  • Published By :
  • Published Date : 2023-08-21 11:09:36

પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા વિકાસ સહાય દ્વારા આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે જ પહેલા કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા જ દિવસે 18 જેટલા પોલીસકર્મીઓને દંડ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે પોલીસકર્મીઓએ 9 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

પોલીસકર્મી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી 

લોકોને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે. તથ્યકાંડ બાદ અમદાવાદમાં તો પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. લાખોનો દંડ લોકોએ કાયદો ભંગ કરી ભરી દીધો છે. જ્યારે સામાન્ય માણસને દંડ થાય ત્યારે આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે માત્ર સામાન્ય લોકો વિરૂદ્ધ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે? અનેક પોલીસ એવા હોય છે જે કાયદાનું ભંગ કરતા દેખાય છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે  નિયમોનો ભંગ કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 



અનેક પોલીસકર્મીઓ કરતા હોય છે કાયદાનો ભંગ 

રસ્તા પરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે અનેક પોલીસકર્મીઓ આપણે જોતા હોય છે જે વર્દીમાં હોય છે પરંતુ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ટુ વ્હીલર પર હોય તો અનેક પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ગાડીમાં સીટબેલ્ટ વગર તે જોવા મળતા હોય છે. ત્યારે પોલીસની છબીને વધુ નુકસાન ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસકર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ

પોલીસકર્મીઓને લઈ અનેક પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અનેક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસે જ પોતે કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યવાહીના પ્રથમ દિવસે જ અનેક પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ 9 હજારની આસપાસની નોંધાઈ છે. કાયદો ભંગ કરનાર  પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે કાયદો દરેક માટે સરખો હોય છે, નિયમો દરેક માટે સરખા હોય છે તો દંડવાની કાર્યવાહી પણ સરખી હોવી જોઈએ. ત્યારે હવે પોલીસ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.