Vikas Sahayના આદેશ બાદ કાયદો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કરાઈ દંડાત્મક કાર્યવાહી, કેટલાનો ફટકારવામાં આવ્યો દંડ?


  • Published By :
  • Published Date : 2023-08-21 11:09:36

પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા વિકાસ સહાય દ્વારા આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે જ પહેલા કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા જ દિવસે 18 જેટલા પોલીસકર્મીઓને દંડ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે પોલીસકર્મીઓએ 9 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

પોલીસકર્મી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી 

લોકોને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે. તથ્યકાંડ બાદ અમદાવાદમાં તો પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. લાખોનો દંડ લોકોએ કાયદો ભંગ કરી ભરી દીધો છે. જ્યારે સામાન્ય માણસને દંડ થાય ત્યારે આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે માત્ર સામાન્ય લોકો વિરૂદ્ધ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે? અનેક પોલીસ એવા હોય છે જે કાયદાનું ભંગ કરતા દેખાય છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે  નિયમોનો ભંગ કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 



અનેક પોલીસકર્મીઓ કરતા હોય છે કાયદાનો ભંગ 

રસ્તા પરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે અનેક પોલીસકર્મીઓ આપણે જોતા હોય છે જે વર્દીમાં હોય છે પરંતુ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ટુ વ્હીલર પર હોય તો અનેક પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ગાડીમાં સીટબેલ્ટ વગર તે જોવા મળતા હોય છે. ત્યારે પોલીસની છબીને વધુ નુકસાન ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસકર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ

પોલીસકર્મીઓને લઈ અનેક પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અનેક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસે જ પોતે કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યવાહીના પ્રથમ દિવસે જ અનેક પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ 9 હજારની આસપાસની નોંધાઈ છે. કાયદો ભંગ કરનાર  પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે કાયદો દરેક માટે સરખો હોય છે, નિયમો દરેક માટે સરખા હોય છે તો દંડવાની કાર્યવાહી પણ સરખી હોવી જોઈએ. ત્યારે હવે પોલીસ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.