Bhupat Bhayaniના રાજીનામા બાદ AAPના આ ધારાસભ્યો રાજીનામું આપી BJPમાં જશે તેવી હતી અટકળો, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-12-13 14:51:30

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ તો ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા છે. આ લિસ્ટમાં પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા પરંતુ હવે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ 181 પર પહોંચ્યું છે. ત્યારે આપના વધુ એક ધારાસભ્ય આપને અલવિદા કરી શકે છે તેવી વાતો ચર્ચામાં ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી કે ઉમેશ મકવાણા પણ આપને છોડી શકે છે.

 

Sudhir Vaghani ✓

ગારીયાધારના ધારાસભ્ય પણ આપી શકે છે રાજીનામું!

આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. પરંતુ જ્યારે સુધીર વાઘાણીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે તેવી વાત તેમણે કહી હતી.  

Umesh Makwana - Nuashonraigh Umesh Makwana a ghrianghraf...

ઉમેશ મકવાણાએ રાજીનામાની ચર્ચાઓ અંગે આપી પ્રતિક્રિયા!

આજે સવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે તે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામા આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ આપના ધારાસભ્યોને ડરાવે છે અને દબાવે છે અને તેમને કહ્યું હતું કે હવે બીજા કોઈ ધારાસભ્ય રાજીનામુ નથી આપવાના એ બધી અફવા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડશે કે કેમ? ગુજરાત આપમાં ભંગાણ પડશે કે કેમ તે સમય બતાવશે.      



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.