Bhupat Bhayaniના રાજીનામા બાદ AAPના આ ધારાસભ્યો રાજીનામું આપી BJPમાં જશે તેવી હતી અટકળો, પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-12-13 14:51:30

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ તો ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા છે. આ લિસ્ટમાં પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા પરંતુ હવે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ 181 પર પહોંચ્યું છે. ત્યારે આપના વધુ એક ધારાસભ્ય આપને અલવિદા કરી શકે છે તેવી વાતો ચર્ચામાં ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી કે ઉમેશ મકવાણા પણ આપને છોડી શકે છે.

 

Sudhir Vaghani ✓

ગારીયાધારના ધારાસભ્ય પણ આપી શકે છે રાજીનામું!

આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. પરંતુ જ્યારે સુધીર વાઘાણીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે તેવી વાત તેમણે કહી હતી.  

Umesh Makwana - Nuashonraigh Umesh Makwana a ghrianghraf...

ઉમેશ મકવાણાએ રાજીનામાની ચર્ચાઓ અંગે આપી પ્રતિક્રિયા!

આજે સવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે તે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામા આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ આપના ધારાસભ્યોને ડરાવે છે અને દબાવે છે અને તેમને કહ્યું હતું કે હવે બીજા કોઈ ધારાસભ્ય રાજીનામુ નથી આપવાના એ બધી અફવા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડશે કે કેમ? ગુજરાત આપમાં ભંગાણ પડશે કે કેમ તે સમય બતાવશે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.