આહીરાણી મહારાસ કાર્યક્રમ સફળ થયા બાદ ન માત્ર ધારાસભ્ય પરંતુ આયોજન સાથે જોડાયેલા લોકોની આંખોમાં આવ્યા આંસુ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-26 14:54:02

હિંદુઓના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન આહીરાણીઓ બની હતી. આ આયોજન એકદમ સફળ રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહીત વિશ્વભરમાંથી આહિરબહેનો રાસ રમવા દ્વારકા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાઓથી મોનિટરિંગ કરતા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યક્રમ બાદ ભાવુક થયા હતા. અનેક લોકોને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 37 હજાર આહીરાણીએ રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 

શું છે પ્રચલિત લોકવાયિકા 

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી


સાતવિસુ સતીયું રમે આયરાણી


ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી


કે ગોપીરૂપે રાસ રમે આયરાણી

આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. 


કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હજારો આહીરાણી 

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે  "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે.



મહેનત સફળ થયા બાદ આવી જતા હોય છે સંતોષના આંસુ 

દ્વારકા એસીસી ગ્રાઉન્ડ નંદગામ ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ થયું તેની પાછળ અનેક મહિનાઓની, અનેક લોકોની મહેનત હતી. સામાન્ય રીતે આટલું મોટું આયોજન સફળ થાય તે બાદ હરખના આંસુ આવવા સ્વભાવિક હોય છે. દિવસ રાતની મહેનત બાદ આ આયોજન સફળ જતા ભગવાનભાઈ બારડ ઈમોશનલ થઈ ગયા હતા. ન માત્ર તે પરંતુ આ કાર્યક્રમમાં સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોની આંખો પણ ભરાઈ આવી હતી., 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.