આહીરાણી મહારાસ કાર્યક્રમ સફળ થયા બાદ ન માત્ર ધારાસભ્ય પરંતુ આયોજન સાથે જોડાયેલા લોકોની આંખોમાં આવ્યા આંસુ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-26 14:54:02

હિંદુઓના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન આહીરાણીઓ બની હતી. આ આયોજન એકદમ સફળ રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહીત વિશ્વભરમાંથી આહિરબહેનો રાસ રમવા દ્વારકા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાઓથી મોનિટરિંગ કરતા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યક્રમ બાદ ભાવુક થયા હતા. અનેક લોકોને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 37 હજાર આહીરાણીએ રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 

શું છે પ્રચલિત લોકવાયિકા 

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી


સાતવિસુ સતીયું રમે આયરાણી


ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી


કે ગોપીરૂપે રાસ રમે આયરાણી

આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. 


કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હજારો આહીરાણી 

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે  "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે.



મહેનત સફળ થયા બાદ આવી જતા હોય છે સંતોષના આંસુ 

દ્વારકા એસીસી ગ્રાઉન્ડ નંદગામ ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ થયું તેની પાછળ અનેક મહિનાઓની, અનેક લોકોની મહેનત હતી. સામાન્ય રીતે આટલું મોટું આયોજન સફળ થાય તે બાદ હરખના આંસુ આવવા સ્વભાવિક હોય છે. દિવસ રાતની મહેનત બાદ આ આયોજન સફળ જતા ભગવાનભાઈ બારડ ઈમોશનલ થઈ ગયા હતા. ન માત્ર તે પરંતુ આ કાર્યક્રમમાં સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોની આંખો પણ ભરાઈ આવી હતી., 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.