આહીરાણી મહારાસ કાર્યક્રમ સફળ થયા બાદ ન માત્ર ધારાસભ્ય પરંતુ આયોજન સાથે જોડાયેલા લોકોની આંખોમાં આવ્યા આંસુ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-26 14:54:02

હિંદુઓના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન આહીરાણીઓ બની હતી. આ આયોજન એકદમ સફળ રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહીત વિશ્વભરમાંથી આહિરબહેનો રાસ રમવા દ્વારકા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાઓથી મોનિટરિંગ કરતા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યક્રમ બાદ ભાવુક થયા હતા. અનેક લોકોને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 37 હજાર આહીરાણીએ રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 

શું છે પ્રચલિત લોકવાયિકા 

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી


સાતવિસુ સતીયું રમે આયરાણી


ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી


કે ગોપીરૂપે રાસ રમે આયરાણી

આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. 


કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હજારો આહીરાણી 

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે  "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે.



મહેનત સફળ થયા બાદ આવી જતા હોય છે સંતોષના આંસુ 

દ્વારકા એસીસી ગ્રાઉન્ડ નંદગામ ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ થયું તેની પાછળ અનેક મહિનાઓની, અનેક લોકોની મહેનત હતી. સામાન્ય રીતે આટલું મોટું આયોજન સફળ થાય તે બાદ હરખના આંસુ આવવા સ્વભાવિક હોય છે. દિવસ રાતની મહેનત બાદ આ આયોજન સફળ જતા ભગવાનભાઈ બારડ ઈમોશનલ થઈ ગયા હતા. ન માત્ર તે પરંતુ આ કાર્યક્રમમાં સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોની આંખો પણ ભરાઈ આવી હતી., 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી