Tathya Patel કાંડ બાદ Policeએ મેગા ડ્રાઈવ યોજી આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી, અમદાવાદીએ ચૂકવ્યો આટલા લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:12:12

જ્યાં સુધી કોઈ ઘટના મોટા સ્વરૂપનો આકાર નથી લઈ લેતી ત્યાં સુધી આપણે તે વાતને ગણતા જ નથી. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે બાદ જ આપણે એ વાતની ગંભીરતાને સમજીએ છીએ જે  આપણી નજરોની સામે હોય તો પણ સામાન્ય આપણને લાગતી હોય. અમે વાત કરી રહ્યા છીએ તથ્ય કાંડની. એક ભૂલને કારણે 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા. 10 પરિવારને રડવાનો વારો આવ્યો. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના થોડા દિવસોની અંદર જ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાનું કડકપાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે માત્ર 15 દિવસની અંદર પોલીસ દ્વારા ડ્રાફિક નિયમ ભંગ કરનાર 9612 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને દંડના ભાગરૂપે હજી સુધીમાં લોકોએ 30 લાખ રૂપિયા પોલીસે વસૂલ્યા છે.


અકસ્માત બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી મેગા ડ્રાઈવ 

થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના જીવ જતા રહ્યા હતા. દરેક જગ્યાઓ પર આ કાંડને લઈને જ ચર્ચાઓ થતી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો કડકાઈથી કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં કાયદાનું ભાન થાય અને કાયદા પ્રત્યે સભાન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસ 9612 કાયદાભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો વિગતવાર વાત કરીએ તો 22 જુલાઈથી પાંચ ઓગસ્ટ દરમિયાન પોલીસે ઓવરસ્પીડના 900 કેસ દાખલ કર્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 475 કેસ નોંધી 6 લાખથી વધારે રુપિયાનો દંડ લોકો પાસેથી વસૂલ્યો છે.   


ગુજરાતીઓએ ચૂકવ્યો લાખો રુપિયાનો દંડ

એમવી એક્ટના 1870 કેસ અને અન્ય 3400 કેસ કર્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવ એક મહિના સુધી ચાલુ રાખશે. પોલીસે નંબર પ્લેટની ડ્રાઈવમાં એસએચઆરપી ન હોય તેવાં 1535 કેસ કરી રૂ.5.74 લાખ દંડ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં 751, પશ્વિમ વિસ્તારમાં 693 અને અન્ય ઝોનમાં 91 કેસ કર્યા છે. ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 30 લાખનો દંડ વસૂલાયો છે. મહત્વનું છે ડ્રાઈવના થોડા જ દિવસોની અંદર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં લાખોની કમાણી થઈ છે. હજી પણ અનેક દિવસો સુધી આ ડ્રાઈવ ચાલવાની છે. લાખોનો દંડ તો લોકોએ હજી સુધી ભરી દીધો છે પરંતુ આવનાર દિવસોમાં દંડનો આંકડો વધી પણ શકે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.