Tathya Patel કાંડ બાદ Policeએ મેગા ડ્રાઈવ યોજી આટલા લોકો વિરૂદ્ધ કરી કાર્યવાહી, અમદાવાદીએ ચૂકવ્યો આટલા લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-08-07 17:12:12

જ્યાં સુધી કોઈ ઘટના મોટા સ્વરૂપનો આકાર નથી લઈ લેતી ત્યાં સુધી આપણે તે વાતને ગણતા જ નથી. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે બાદ જ આપણે એ વાતની ગંભીરતાને સમજીએ છીએ જે  આપણી નજરોની સામે હોય તો પણ સામાન્ય આપણને લાગતી હોય. અમે વાત કરી રહ્યા છીએ તથ્ય કાંડની. એક ભૂલને કારણે 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા. 10 પરિવારને રડવાનો વારો આવ્યો. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના થોડા દિવસોની અંદર જ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાનું કડકપાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે માત્ર 15 દિવસની અંદર પોલીસ દ્વારા ડ્રાફિક નિયમ ભંગ કરનાર 9612 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને દંડના ભાગરૂપે હજી સુધીમાં લોકોએ 30 લાખ રૂપિયા પોલીસે વસૂલ્યા છે.


અકસ્માત બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી મેગા ડ્રાઈવ 

થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના જીવ જતા રહ્યા હતા. દરેક જગ્યાઓ પર આ કાંડને લઈને જ ચર્ચાઓ થતી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો કડકાઈથી કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં કાયદાનું ભાન થાય અને કાયદા પ્રત્યે સભાન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસ 9612 કાયદાભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો વિગતવાર વાત કરીએ તો 22 જુલાઈથી પાંચ ઓગસ્ટ દરમિયાન પોલીસે ઓવરસ્પીડના 900 કેસ દાખલ કર્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 475 કેસ નોંધી 6 લાખથી વધારે રુપિયાનો દંડ લોકો પાસેથી વસૂલ્યો છે.   


ગુજરાતીઓએ ચૂકવ્યો લાખો રુપિયાનો દંડ

એમવી એક્ટના 1870 કેસ અને અન્ય 3400 કેસ કર્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવ એક મહિના સુધી ચાલુ રાખશે. પોલીસે નંબર પ્લેટની ડ્રાઈવમાં એસએચઆરપી ન હોય તેવાં 1535 કેસ કરી રૂ.5.74 લાખ દંડ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં 751, પશ્વિમ વિસ્તારમાં 693 અને અન્ય ઝોનમાં 91 કેસ કર્યા છે. ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 30 લાખનો દંડ વસૂલાયો છે. મહત્વનું છે ડ્રાઈવના થોડા જ દિવસોની અંદર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં લાખોની કમાણી થઈ છે. હજી પણ અનેક દિવસો સુધી આ ડ્રાઈવ ચાલવાની છે. લાખોનો દંડ તો લોકોએ હજી સુધી ભરી દીધો છે પરંતુ આવનાર દિવસોમાં દંડનો આંકડો વધી પણ શકે છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.