Vadodaraની દુર્ઘટના બાદ Dwarkaનું તંત્ર હવે સફાળું જાગ્યું, લાઈફ જેકેટ પહેર્યા વગર બોટની મુસાફરી કરનારને અપાયા લાઈફ જેકેટ!જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 11:27:36

સેફ્ટીને લઈ અનેક વખત કહેવામાં આવ્યું છે. ડ્રાઈવીંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, બોટ રાઈડિંગ કરતી વખતે સેફ્ટી જેકેટ પહેરવું જોઈએ વગેરે વગેરે.... આવી વાતો અનેક વખત કરવામાં આવી પરંતુ પરિણામ શું આવે છે વાતોનું? અનેક વખત એવા વીડિયો સામે આવે છે જેમાં સુરક્ષા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ દર વખતની જેમ અમે  એ દ્રશ્યો બતાવીએ છીએ એ આશા સાથે કે તે વીડિયો જોયા બાદ કોઈ નાગરિક જાગૃત થાય અને સેફ્ટી કેટલી જરૂરી છે તે જાણે. 

દુર્ઘટના પછી તંત્ર થોડા ટાઈમ માટે સર્તક થઈ જાય છે અને પછી... 

વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 14 જેટલા નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાઈફ જેકેટ વીના લોકો બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક તંત્રને લાઈફ જેકેટ શું તેની મહત્તા શું છે તે જાણે સમજાયું છે તેવું લાગી રહ્યું છે. દ્વારકાનું તંત્ર હવે જાગ્યું છે. જે બોટમાં ઓવરલોડ તો છોડો સેફટી જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવતા એ તંત્ર હવે જાગ્યું છે. બોટમાં સફર કરી રહેલા મુસાફરોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું છે. કોઈ પણ દુર્ઘટના થાય છે તે બાદ તંત્ર થોડા ટાઈમ માટે જાગે છે, અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જ્યાં સેફ્ટી ના હોય ત્યાં સેફ્ટીની સુવિધા કરવામાં આવે છે પરંતુ આટલું ધ્યાન એવી દુર્ઘટનાઓ પછી રાખવામાં આવે છે જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હોય છે.  

વડોદરાના હરણી તળાવમાં ડૂબી ગયા અનેક બાળકો

વડોદરાની દુર્ઘટના બાદ થોડા સમય માટે  પણ આ જાગેલું તંત્ર ક્યારે સૂઈ જાય છે એ ખબર નથી પડતી અને આમની બેદરકારીના કારણે માસુમોના જીવ જાય છે. આ અગાઉ જ્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી ત્યારે પણ અમે બતાવ્યું હતું કે કેવી રીતે બેટ દ્વારકાનું પ્રસાશન આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ પણ આ જ પરિસ્થિતિ હતી પરંતુ. વડોદરાના હરણી તળાવમાં બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી હતી  જેમાં કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. જેને જોઈને હવે દ્વારકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. એનો મતલબ તો એ જ થયો કે કોઈ દુર્ઘટનાની આ તંત્ર રાહ જોઈને બેઠું હતું. 

લોકોને પણ જાણે પોતાના જાનની પરવા નથી તેમ લાગે છે!

દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં હતા. આ બોટ ઓવરલોડ રીતે ભરવામાં આવતી હતી. જોકે હવે થોડા દિવસ પછી જેમ હતું તેમ થઈ જશે અને બીજા કોઈ અકસ્માતની રાહ જોતું તંત્ર થઈ જશે અને નેતાઓ પણ મૌન થઈ જશે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં જોવા મળતા હોય છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર બેજવાબદાર છે?


આવી દુર્ઘટના નહીં થાય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામ?

એવા ઘણા સવાલો થઈ રહ્યા છે. વડોદરાની ઘટના બાદ તંત્ર અને સરકારના મંત્રીઓ એવું કહી રહ્યા છે કે હવે આવું ના થાય તેનું ધ્યાન રાખીશું તો પછી અહી બેટ દ્વારકામાં તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ દુર્ઘટના થાય પછી કંઈક કરીશું?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.