Vadodaraની દુર્ઘટના બાદ Dwarkaનું તંત્ર હવે સફાળું જાગ્યું, લાઈફ જેકેટ પહેર્યા વગર બોટની મુસાફરી કરનારને અપાયા લાઈફ જેકેટ!જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 11:27:36

સેફ્ટીને લઈ અનેક વખત કહેવામાં આવ્યું છે. ડ્રાઈવીંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, બોટ રાઈડિંગ કરતી વખતે સેફ્ટી જેકેટ પહેરવું જોઈએ વગેરે વગેરે.... આવી વાતો અનેક વખત કરવામાં આવી પરંતુ પરિણામ શું આવે છે વાતોનું? અનેક વખત એવા વીડિયો સામે આવે છે જેમાં સુરક્ષા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ દર વખતની જેમ અમે  એ દ્રશ્યો બતાવીએ છીએ એ આશા સાથે કે તે વીડિયો જોયા બાદ કોઈ નાગરિક જાગૃત થાય અને સેફ્ટી કેટલી જરૂરી છે તે જાણે. 

દુર્ઘટના પછી તંત્ર થોડા ટાઈમ માટે સર્તક થઈ જાય છે અને પછી... 

વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 14 જેટલા નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાઈફ જેકેટ વીના લોકો બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક તંત્રને લાઈફ જેકેટ શું તેની મહત્તા શું છે તે જાણે સમજાયું છે તેવું લાગી રહ્યું છે. દ્વારકાનું તંત્ર હવે જાગ્યું છે. જે બોટમાં ઓવરલોડ તો છોડો સેફટી જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવતા એ તંત્ર હવે જાગ્યું છે. બોટમાં સફર કરી રહેલા મુસાફરોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું છે. કોઈ પણ દુર્ઘટના થાય છે તે બાદ તંત્ર થોડા ટાઈમ માટે જાગે છે, અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જ્યાં સેફ્ટી ના હોય ત્યાં સેફ્ટીની સુવિધા કરવામાં આવે છે પરંતુ આટલું ધ્યાન એવી દુર્ઘટનાઓ પછી રાખવામાં આવે છે જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હોય છે.  

વડોદરાના હરણી તળાવમાં ડૂબી ગયા અનેક બાળકો

વડોદરાની દુર્ઘટના બાદ થોડા સમય માટે  પણ આ જાગેલું તંત્ર ક્યારે સૂઈ જાય છે એ ખબર નથી પડતી અને આમની બેદરકારીના કારણે માસુમોના જીવ જાય છે. આ અગાઉ જ્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી ત્યારે પણ અમે બતાવ્યું હતું કે કેવી રીતે બેટ દ્વારકાનું પ્રસાશન આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ પણ આ જ પરિસ્થિતિ હતી પરંતુ. વડોદરાના હરણી તળાવમાં બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી હતી  જેમાં કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. જેને જોઈને હવે દ્વારકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. એનો મતલબ તો એ જ થયો કે કોઈ દુર્ઘટનાની આ તંત્ર રાહ જોઈને બેઠું હતું. 

લોકોને પણ જાણે પોતાના જાનની પરવા નથી તેમ લાગે છે!

દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં હતા. આ બોટ ઓવરલોડ રીતે ભરવામાં આવતી હતી. જોકે હવે થોડા દિવસ પછી જેમ હતું તેમ થઈ જશે અને બીજા કોઈ અકસ્માતની રાહ જોતું તંત્ર થઈ જશે અને નેતાઓ પણ મૌન થઈ જશે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં જોવા મળતા હોય છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર બેજવાબદાર છે?


આવી દુર્ઘટના નહીં થાય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામ?

એવા ઘણા સવાલો થઈ રહ્યા છે. વડોદરાની ઘટના બાદ તંત્ર અને સરકારના મંત્રીઓ એવું કહી રહ્યા છે કે હવે આવું ના થાય તેનું ધ્યાન રાખીશું તો પછી અહી બેટ દ્વારકામાં તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ દુર્ઘટના થાય પછી કંઈક કરીશું?



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે