આ તારીખ બાદ વરસાદની થશે ગુજરાતમાં પધરામણી! જાણો કઈ તારીખે મોન્સુન કરશે કેરળમાં પ્રવેશ અને મોન્સુન ક્યારે પહોંચશે ગુજરાત?


  • Published By :
  • Published Date : 2024-05-17 16:08:29

આમ તો હમણાં ઉનાળાની સિઝન ચાલી રહી છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા ટાઈમથી પલટો આવ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકો એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

31 મે બાદ કેરળમાં પ્રવેશશે ચોમાસું 

હવામાન વિભાગે ચોમાસું ક્યારે બેસશે તેની તારીખ જાહેર કરી દીધી છે. અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. ભારતના હવામાન વિભાગે તારીખ જાહેર કરતાં કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, એવું કહેવાય છે કે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યાર બાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે, ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.



15 જૂન બાદ ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત 

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યાર બાદ 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યાર બાદ 5 દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે. સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા 15 દિવસની આસપાસનો સમય લાગે છે.



કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છે લોકો 

મહત્વનું છે કે ઉનાળાની ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 43 ડિગ્રીને પાર તો તાપમાન પહોંચી ગયું છે અને આવનાર સમયમાં આ પારો આનાથી પણ વધારે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.. ક્યારે વરસાદ પડે અને ક્યારે આ કાળઝાળ ગરમીથી છુટકારો મળે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.