આ તારીખ બાદ વરસાદની થશે ગુજરાતમાં પધરામણી! જાણો કઈ તારીખે મોન્સુન કરશે કેરળમાં પ્રવેશ અને મોન્સુન ક્યારે પહોંચશે ગુજરાત?


  • Published By :
  • Published Date : 2024-05-17 16:08:29

આમ તો હમણાં ઉનાળાની સિઝન ચાલી રહી છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા ટાઈમથી પલટો આવ્યો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકો એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

31 મે બાદ કેરળમાં પ્રવેશશે ચોમાસું 

હવામાન વિભાગે ચોમાસું ક્યારે બેસશે તેની તારીખ જાહેર કરી દીધી છે. અને આ વખતે ભારતમાં ચોમાસું સમયસર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. ભારતના હવામાન વિભાગે તારીખ જાહેર કરતાં કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, એવું કહેવાય છે કે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યાર બાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે, ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.



15 જૂન બાદ ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત 

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન છે, એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યાર બાદ 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યાર બાદ 5 દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે. સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે. એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા 15 દિવસની આસપાસનો સમય લાગે છે.



કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છે લોકો 

મહત્વનું છે કે ઉનાળાની ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 43 ડિગ્રીને પાર તો તાપમાન પહોંચી ગયું છે અને આવનાર સમયમાં આ પારો આનાથી પણ વધારે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.. ક્યારે વરસાદ પડે અને ક્યારે આ કાળઝાળ ગરમીથી છુટકારો મળે..  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .