મહાઠગ કિરણ પટેલ બાદ વડોદરામાં ઝડપાયો વધુ એક નકલી પીએમઓ અધિકારી, જાણો કોની સાથે કરી છેતરપિંડી?


  • Published By :
  • Published Date : 2023-06-24 15:58:06

નકલી અધિકારી બની લોકોને ઠગવાની વાત જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નકલી ઓળખ ઉભી કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય.હજી કિરણ પટેલનો કિસ્સો શાંત થશે થોડો જ સમય વિત્યો છે ત્યારે ફરી એક વ્યક્તિ નકલી પીએમઓ અધિકારી બની લોકોને છેતરતો હતો. જે નકલી PMO અધિકારીની વાત કરવામાં આવી રહી છે તેમનું નામ છે મયંક તિવારી અને તેમણે પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.   

ભેજાબાજ મયંક તિવારી.

પીએમઓ અધિકારીની આપી નકલી ઓળખ! 

થોડા સમય પહેલા પીએમઓ અધિકારી બની કિરણ પટેલે લોકોને ઠગ્યા હતા તેવી જ રીતે ફરી એક વ્યક્તિએ નકલી અધિકારી બની પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોને ઠગવાનો પ્રયાસ કર્યો તે સામાન્ય લોકો નહીં પરંતુ પારૂલ યુનિવર્સિટીના ટ્ર્સ્ટીઓ હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો નકલી અધિકારી હોવાની ઓળખ આપી પહેલા પોતાના મિત્રના બે સંતાનોનું એડમિશન પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં કરાવ્યું. એડમિશન કરાવ્યા બાદ ત્યાંના ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી આપવવાની ખાતરી આીપી. અને તે બહાને તેમની પાસેથી પૈસા પણ પડાવી લીધા. ભેજાબાજ મયંક તિવારી વિરૂદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.          


પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો!

આ સમગ્ર  કૌભાંડ ત્યારે સામે  આવ્યું જ્યારે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાંભળી સ્કૂલના ટ્રસ્ટી પ્રભાવિત થઈ ગયા હતા અને એવીજ રીતે તે ઠગએ પોતાના બે બાળકોને તે સ્કૂલમાં એડમિશન આપવી દીધું પછી ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી અને પછી તેની ધરપકડ કરી ગુનો નોંધાયો પોલીસ દ્વારા તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બાટલીમાં ઉત્યાર્યા તે અંગેની તપાસ કરવામાં આવી રહી


ઠગનારાઓને નથી લાગતી કાયદાની બીક!

કિરણ પટેલે પણ આવી જ રીતે પીએમઓનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા છે. નકલી પીએમઓ અધિકારી બની કિરણ પટેલે અનેક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. ખોટી રીતે સુરક્ષા પણ વીઆઈપી સુરક્ષા મેળવી હતી. જમ્મુ કાશ્મીરમાં પ્રોટેકશન સાથે ફરતો ઝડપાયો હતો. આવી વધતી ઘટનાઓને જોઈ પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ પીએમઓ તેમજ સીએમઓના નામે લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. આ લોકોને પ્રેરણા ક્યાંથી મળે છે આવું કરવાની તે વિચારવા જેવી વાત છે. શું તેમને કાયદાની જરાય બીક નથી લાગતી? કેવી રીતે તેઓ ખૂલેઆમ નકલી અધિકારી બની ફરી રહ્યા છે. ત્યારે જલ્દી આવા ઠગબાજો પર નિયંત્રણ આવે તેવી આશા રાખીએ છીએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.