વડોદરાના હરણી લેક દુર્ઘટના બાદ રાજ્ય સરકાર જાગી, શિક્ષણ વિભાગે શાળાઓ અને કોલેજો માટે જાહેર કર્યો પરીપત્ર


  • Published By :
  • Published Date : 2024-01-18 21:27:01

વડોદરાના હરણી સ્થિત  મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી બોટ પલટી જતા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જો કે બોટમાં લગભગ 24 લોકો હતા તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યા છે. આ હિચકારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. રાજ્યના શિક્ષણ વિભાગે તાત્કાલિક શાળાઓ અને કોલેજો માટે એક પરીપત્ર જાહેર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન શું સાવધાનીઓ રાખવાની તે અંગે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે.



પરિપત્રમાં શું સુચનો કરાયા?


રાજ્યની શાળાઓ અને કોલેજોના પ્રિન્સિપાલોને સુચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક તથા વિકસિત સ્થળોના પ્રવાસોનું આયોજન કરવું. પ્રવાસ માટે સુર્યાસ્ત પછીનો સમય ટાળવાની હિદાયત આપવામાં આવી છે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફર્સ્ટ એઈડ તથા વાહનમાં ફાયર સેફ્ટીના સાધનો વગર મુસાફરી ન કરવી. શાળાનો પ્રવાસ મરજિયાત રાખવો તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ પર ફરજ પાડવી નહીં. વિદ્યાર્થીઓના રહેઠાણ માટે સુરક્ષિત સ્થળ પસંદ કરવું તથા ભોજનની ગુણવત્તાની પણ ચકાસણી કરવી. પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીને આગોતરી જાણ કરવી. બિમાર તથા અશક્ત વિદ્યાર્થીઓને પ્રવાસમાં સામેલ કરવા નહીં. પ્રવાસમાં સામેલ થતા ડ્રાઈવર, શાળાના સ્ટાફ સહિતના ઓળખકાર્ડ અચુક સાથે રાખવા. પ્રવાસના આયોજન અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા વાહન વ્યવહાર કચેરીને કરવી.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.