વડોદરાના હરણી લેક દુર્ઘટના બાદ રાજ્ય સરકાર જાગી, શિક્ષણ વિભાગે શાળાઓ અને કોલેજો માટે જાહેર કર્યો પરીપત્ર


  • Published By :
  • Published Date : 2024-01-18 21:27:01

વડોદરાના હરણી સ્થિત  મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી બોટ પલટી જતા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જો કે બોટમાં લગભગ 24 લોકો હતા તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યા છે. આ હિચકારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. રાજ્યના શિક્ષણ વિભાગે તાત્કાલિક શાળાઓ અને કોલેજો માટે એક પરીપત્ર જાહેર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન શું સાવધાનીઓ રાખવાની તે અંગે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે.



પરિપત્રમાં શું સુચનો કરાયા?


રાજ્યની શાળાઓ અને કોલેજોના પ્રિન્સિપાલોને સુચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે તે રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક તથા વિકસિત સ્થળોના પ્રવાસોનું આયોજન કરવું. પ્રવાસ માટે સુર્યાસ્ત પછીનો સમય ટાળવાની હિદાયત આપવામાં આવી છે, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફર્સ્ટ એઈડ તથા વાહનમાં ફાયર સેફ્ટીના સાધનો વગર મુસાફરી ન કરવી. શાળાનો પ્રવાસ મરજિયાત રાખવો તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ પર ફરજ પાડવી નહીં. વિદ્યાર્થીઓના રહેઠાણ માટે સુરક્ષિત સ્થળ પસંદ કરવું તથા ભોજનની ગુણવત્તાની પણ ચકાસણી કરવી. પ્રવાસના આયોજન અંગે જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીને આગોતરી જાણ કરવી. બિમાર તથા અશક્ત વિદ્યાર્થીઓને પ્રવાસમાં સામેલ કરવા નહીં. પ્રવાસમાં સામેલ થતા ડ્રાઈવર, શાળાના સ્ટાફ સહિતના ઓળખકાર્ડ અચુક સાથે રાખવા. પ્રવાસના આયોજન અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા વાહન વ્યવહાર કચેરીને કરવી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.