અરવલ્લીમાં મંત્રી પુત્ર અને યુવા મોચરાના નેતાના કારસ્તાન, યુવકને ઢોર માર માર્યો, ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા ક્યાં?


  • Published By : Admin
  • Published Date : 2025-02-22 16:47:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, સુશાસનની વાતો કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કદાચ ખબર જ નથી કે યુપી, બિહાર જેવી સ્થિતિ હવે ગુજરાતની પણ થઈ રહી છે. મીડિયામાં દાવા કરતા ગૃહરાજ્યમંત્રી કદાચ મીડિયામાં આવતા દ્રશ્યો જોતા જ નહીં હોય. એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે.  સવાલ સૌથી મોટો એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

શાંતિ, સલામતી અને સુરક્ષાની વાતો કરતી ગુજરાતની સરકારને કદાચ ખબર જ નથી કે આ કેવા પ્રકારની શાંતિ છે જ્યાં એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને આવે અને એને મારે. ગુંડારાજ ચાલી રહ્યું એવો માહોલ બન્યો છે. વાત આખી એમ છે કે અરવલ્લીથી એક વીડિયો વાયરલ થયો. જેમાં મોડાસા પંથકમાં એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. અપશબ્દોની ભરમાર છે એ વીડિયોમાં અને અમારી યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે અમે તમને એ બતાવી પણ નથી શકતા. આ વીડિયોમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો દિકરો કિરણસિંહ, રણજિત સિંહ પરમાર જે ભીખુસિંહ ના મોટા પુત્રછે.. અમીષ પટેલ જે ભાજપ યુવા મોરચા અરવલ્લીના પ્રમુખ છે. એમની સાથે બીજા પણ બે  ત્રણ લોકો છે.. બધા મળીને મોડાસામાં રસ્તા પર એક યુવક ટુ-વ્હીલર પર ઉભો છે એને માર મારે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થશે કે એવા તો ક્યા કારણો છે કે ભાજપના નેતા અને મંત્રીના દિકરા કે નેતાને કાયદો હાથમાં લેવાની ફરજ પડી અમે એ જાણવા એ નેતાઓને ફોન કર્યા. સૌથી પહેલો ફોન અરવલ્લી યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલને કર્યો. તેમણે કહ્યું મારો ભત્રીજો એક્વિટવા લઈને સ્કુલે ગયો અને તેને એ યુવકે માર માર્યો. સવાલ એવો અમે કર્યો કે તમે પોલીસને જાણ કરી શકતા હતા. કાયદો હાથમાં કેમ લીધો તો અમીશભાઈએ ફોન પર એવો જવાબ આપ્યો કે ચાર દિવસ અગાઉ અમે પોલીસને જાણ કરી હતી.. અમે અરવલ્લીના ડીવાયએસપી સાથે વાત કરી તો એમના તરફથી એવો પ્રત્યુતર મળ્યો કે અમને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી. તપાસ કરી રહ્યાં છીએ. કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસથી લઈ લઈશું. 


બીજો ફોન અમે કર્યો મંત્રી ભીખુસિંહ પરમારના દિકરાને, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે બાબાને માર્યો એટલે પણ અમારે તો સમાધાન થઈ ગયું છે. વાત થઈ ગઈ છે.. ગોળ ગોળ જવાબો આપ્યા અને અંતે એવું કહ્યું કે અવાજ નથી આવી રહ્યો. સૌથી મોટો સવાલ પપ્પા મંત્રી હોય તો જવાબદારીઓ વધી જાય કાયદો અને વ્યવસ્થા તો એમણે મિત્રોને શીખવવી પડે. પણ આપણે ત્યાં અરવલ્લીમાં ઉંઘુ છે. અમીશભાઈ કહી રહ્યાં છે કે ત્રણ ચાર દિવસથી પોલીસને જાણ કરી દીધી હતી. પણ પોલીસે તો સાફ શબ્દોમાં ના પાડી કે આવુ તો કશું જ નથી. જે વ્યક્તિને આ લોકો માર મારી રહ્યાં છે એ પરપ્રાતિંય યુવક હોવાની માહિતી મળી છે. ચાઈનીઝની લારી ચલાવતો સામાન્ય માણસ છે. એણે જો અમીશભાઈના ભત્રીજાને માર માર્યો પણ હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરો. તમે એટલા હકદાર તો નથી કે સામે કાર્યવાહી કરી શકો. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ શકો. 


કોઈપણ પાર્ટીનો ખેસ પહેરો કે હોદ્દેદાર હોવાનો અર્થ એવો હોય કે ફરિયાદ પોલીસ પાસે ન જાય અને સીધા જ રસ્તા પર જ ન્યાય કરી દેવાનો. કાયદો જાણે બાપનું રાજ હોય એમ વર્તન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?. ગૃહમંત્રી જુઓ તમારા જ નેતાઓ કાયદો વ્યવસ્થાના તમાશા કરે છે. સરેઆમ કાયદાની ધજીયા ઉડાવે છે. ગૃહમંત્રી તમારી પોલીસને કહી દો અરવલ્લીમાંથી પોતાની ઓફિસ બંધ કરી દે. કેમ કે કાયદો અને વ્યવસ્થા તો તમારા જ નેતાઓ ખિસ્સામાં લઈને ફરે છે. એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને જાય અને મારે, પોલીસને તો વચ્ચે લાવવાની જ નહીં. આપણે ત્યાં ગોંડલ અને જૂનાગઢ તો એમનેન બદનામ છે પણ અરવલ્લી કઈ ઓછુ નથી. સવાલ એ છે કે એકબીજાને મારે છે લોકો ગુંડાની સામે ગુંડો જ બનાવાનું પાર્ટીનો પાવર દેખાડી દેવાનો શું આ યુપી, બિહાર છે. કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. મંત્રી ભીખુસિંહ પરમાર કાર્યવાહીમાં સહયોગ કરે અને ગૃહરાજ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરાવે એ અપેક્ષા રહેવાની છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.