અરવલ્લીમાં મંત્રી પુત્ર અને યુવા મોચરાના નેતાના કારસ્તાન, યુવકને ઢોર માર માર્યો, ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા ક્યાં?


  • Published By : Admin
  • Published Date : 2025-02-22 16:47:09

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, સુશાસનની વાતો કરતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કદાચ ખબર જ નથી કે યુપી, બિહાર જેવી સ્થિતિ હવે ગુજરાતની પણ થઈ રહી છે. મીડિયામાં દાવા કરતા ગૃહરાજ્યમંત્રી કદાચ મીડિયામાં આવતા દ્રશ્યો જોતા જ નહીં હોય. એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે.  સવાલ સૌથી મોટો એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

શાંતિ, સલામતી અને સુરક્ષાની વાતો કરતી ગુજરાતની સરકારને કદાચ ખબર જ નથી કે આ કેવા પ્રકારની શાંતિ છે જ્યાં એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને આવે અને એને મારે. ગુંડારાજ ચાલી રહ્યું એવો માહોલ બન્યો છે. વાત આખી એમ છે કે અરવલ્લીથી એક વીડિયો વાયરલ થયો. જેમાં મોડાસા પંથકમાં એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. અપશબ્દોની ભરમાર છે એ વીડિયોમાં અને અમારી યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે અમે તમને એ બતાવી પણ નથી શકતા. આ વીડિયોમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો દિકરો કિરણસિંહ, રણજિત સિંહ પરમાર જે ભીખુસિંહ ના મોટા પુત્રછે.. અમીષ પટેલ જે ભાજપ યુવા મોરચા અરવલ્લીના પ્રમુખ છે. એમની સાથે બીજા પણ બે  ત્રણ લોકો છે.. બધા મળીને મોડાસામાં રસ્તા પર એક યુવક ટુ-વ્હીલર પર ઉભો છે એને માર મારે છે. સ્વાભાવિક રીતે પ્રશ્ન થશે કે એવા તો ક્યા કારણો છે કે ભાજપના નેતા અને મંત્રીના દિકરા કે નેતાને કાયદો હાથમાં લેવાની ફરજ પડી અમે એ જાણવા એ નેતાઓને ફોન કર્યા. સૌથી પહેલો ફોન અરવલ્લી યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલને કર્યો. તેમણે કહ્યું મારો ભત્રીજો એક્વિટવા લઈને સ્કુલે ગયો અને તેને એ યુવકે માર માર્યો. સવાલ એવો અમે કર્યો કે તમે પોલીસને જાણ કરી શકતા હતા. કાયદો હાથમાં કેમ લીધો તો અમીશભાઈએ ફોન પર એવો જવાબ આપ્યો કે ચાર દિવસ અગાઉ અમે પોલીસને જાણ કરી હતી.. અમે અરવલ્લીના ડીવાયએસપી સાથે વાત કરી તો એમના તરફથી એવો પ્રત્યુતર મળ્યો કે અમને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી. તપાસ કરી રહ્યાં છીએ. કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસથી લઈ લઈશું. 


બીજો ફોન અમે કર્યો મંત્રી ભીખુસિંહ પરમારના દિકરાને, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે બાબાને માર્યો એટલે પણ અમારે તો સમાધાન થઈ ગયું છે. વાત થઈ ગઈ છે.. ગોળ ગોળ જવાબો આપ્યા અને અંતે એવું કહ્યું કે અવાજ નથી આવી રહ્યો. સૌથી મોટો સવાલ પપ્પા મંત્રી હોય તો જવાબદારીઓ વધી જાય કાયદો અને વ્યવસ્થા તો એમણે મિત્રોને શીખવવી પડે. પણ આપણે ત્યાં અરવલ્લીમાં ઉંઘુ છે. અમીશભાઈ કહી રહ્યાં છે કે ત્રણ ચાર દિવસથી પોલીસને જાણ કરી દીધી હતી. પણ પોલીસે તો સાફ શબ્દોમાં ના પાડી કે આવુ તો કશું જ નથી. જે વ્યક્તિને આ લોકો માર મારી રહ્યાં છે એ પરપ્રાતિંય યુવક હોવાની માહિતી મળી છે. ચાઈનીઝની લારી ચલાવતો સામાન્ય માણસ છે. એણે જો અમીશભાઈના ભત્રીજાને માર માર્યો પણ હોય તો તમે પોલીસમાં ફરિયાદ કરો. તમે એટલા હકદાર તો નથી કે સામે કાર્યવાહી કરી શકો. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ શકો. 


કોઈપણ પાર્ટીનો ખેસ પહેરો કે હોદ્દેદાર હોવાનો અર્થ એવો હોય કે ફરિયાદ પોલીસ પાસે ન જાય અને સીધા જ રસ્તા પર જ ન્યાય કરી દેવાનો. કાયદો જાણે બાપનું રાજ હોય એમ વર્તન કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?. ગૃહમંત્રી જુઓ તમારા જ નેતાઓ કાયદો વ્યવસ્થાના તમાશા કરે છે. સરેઆમ કાયદાની ધજીયા ઉડાવે છે. ગૃહમંત્રી તમારી પોલીસને કહી દો અરવલ્લીમાંથી પોતાની ઓફિસ બંધ કરી દે. કેમ કે કાયદો અને વ્યવસ્થા તો તમારા જ નેતાઓ ખિસ્સામાં લઈને ફરે છે. એક વ્યક્તિ મારે સામે બીજો ટોળુ લઈને જાય અને મારે, પોલીસને તો વચ્ચે લાવવાની જ નહીં. આપણે ત્યાં ગોંડલ અને જૂનાગઢ તો એમનેન બદનામ છે પણ અરવલ્લી કઈ ઓછુ નથી. સવાલ એ છે કે એકબીજાને મારે છે લોકો ગુંડાની સામે ગુંડો જ બનાવાનું પાર્ટીનો પાવર દેખાડી દેવાનો શું આ યુપી, બિહાર છે. કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. મંત્રી ભીખુસિંહ પરમાર કાર્યવાહીમાં સહયોગ કરે અને ગૃહરાજ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરાવે એ અપેક્ષા રહેવાની છે



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.