Loksabhaમાં જીત બાદ કોંગ્રેસના સંગઠન માટે બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ કહ્યું કે કોંગ્રેસમાં ઉમેદવારે.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 16:22:44

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જ્યારે લોકો તુલના કરતા હોય છે, ત્યારે એક વાત તો લોકો ચોક્કસ કરતા હોય છે કે ભાજપ પોતાના સંગઠનને કારણે જીતે છે અને કોંગ્રેસમાં તે સંગઠનની કમી છે.. સંગઠનનો અભાવ હોવાને કારણે કોંગ્રેસ જીત હાંસલ નથી કરી શકતી.. આ વાત સામાન્ય માણસો કરે તો ચાલે પરંતુ જ્યારે કોંગ્રેસના જ નવા ચૂંટાયેલા સાંસદ કહે તો? બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. સાંસદ તરીકે ચૂંટાતા જ ગેનીબેને કોંગ્રેસને ટકોર કરી છે.. 

26માંથી 26 બેઠકો પર ના લહેરાયો કેસરિયો

ગુજરાત ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન છે. ગુજરાતમાં કરાતા પ્રયોગો જો ગુજરાતમાં સફળ જાય છે તો તેનો અમલ ધીરે ધીરે અલગ અલગ રાજ્યોમાં કરાતો હોય છે.. લોકસભા ચૂંટણીના પરિણામ વખતે રાજકીય નિષ્ણાંતો કહેતા હતા કે જો ગુજરાતમાંથી ભાજપને એક સીટ પણ ઓછી થાય છે તો તે નેતાઓ માટે માનસિક હાર જેવું સાબિત થશે. અનેક લોકોને લાગતું હતું કે ભાજપને ગુજરાતમાંથી 26એ 26 લોકસભા બેઠક મળશે. 26માંથી ભાજપને 25 સીટો મળી જ્યારે એક સીટ પર ગેનીબેન ઠાકોરે કબ્જો કરી લીધો. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. સાંસદ બનતાની સાથે જ તેમણે કોંગ્રેસને ટકોર કરી હતી..



શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે  કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાના સમાજની તાકાત પર લડવું પડે, એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. સાથે જ તેમણે કહ્યું કે પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.