Loksabhaમાં જીત બાદ કોંગ્રેસના સંગઠન માટે બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ કહ્યું કે કોંગ્રેસમાં ઉમેદવારે.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-06 16:22:44

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જ્યારે લોકો તુલના કરતા હોય છે, ત્યારે એક વાત તો લોકો ચોક્કસ કરતા હોય છે કે ભાજપ પોતાના સંગઠનને કારણે જીતે છે અને કોંગ્રેસમાં તે સંગઠનની કમી છે.. સંગઠનનો અભાવ હોવાને કારણે કોંગ્રેસ જીત હાંસલ નથી કરી શકતી.. આ વાત સામાન્ય માણસો કરે તો ચાલે પરંતુ જ્યારે કોંગ્રેસના જ નવા ચૂંટાયેલા સાંસદ કહે તો? બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. સાંસદ તરીકે ચૂંટાતા જ ગેનીબેને કોંગ્રેસને ટકોર કરી છે.. 

26માંથી 26 બેઠકો પર ના લહેરાયો કેસરિયો

ગુજરાત ભાજપ માટે રાજકીય લેબોરેટરી સમાન છે. ગુજરાતમાં કરાતા પ્રયોગો જો ગુજરાતમાં સફળ જાય છે તો તેનો અમલ ધીરે ધીરે અલગ અલગ રાજ્યોમાં કરાતો હોય છે.. લોકસભા ચૂંટણીના પરિણામ વખતે રાજકીય નિષ્ણાંતો કહેતા હતા કે જો ગુજરાતમાંથી ભાજપને એક સીટ પણ ઓછી થાય છે તો તે નેતાઓ માટે માનસિક હાર જેવું સાબિત થશે. અનેક લોકોને લાગતું હતું કે ભાજપને ગુજરાતમાંથી 26એ 26 લોકસભા બેઠક મળશે. 26માંથી ભાજપને 25 સીટો મળી જ્યારે એક સીટ પર ગેનીબેન ઠાકોરે કબ્જો કરી લીધો. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ. સાંસદ બનતાની સાથે જ તેમણે કોંગ્રેસને ટકોર કરી હતી..



શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે  કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટણી લડતો હોય એના દમ પર લડવું પડે, પોતાના સમાજની તાકાત પર લડવું પડે, એના બદલે પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. સાથે જ તેમણે કહ્યું કે પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરના નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.