કેન્દ્ર સરકારમાં CCS એટલેકે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-30 19:17:52

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.  રાજધાની દિલ્હીમાં એક પછી એક બેઠકોનો ધમધમાટ ચાલુ છે. ગયિકાલે પીએમ મોદીના નિવાસ સ્થાને ભારતની સુરક્ષાને લઇને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને કોઈ પણ કાર્યવાહી કરવાની છૂટ આપ્યાના સમાચાર છે.    હવે આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCS અને કેબિનેટ કમિટી ઓન પોલીટિકલ અફેર્સની CCPA  મિટિંગ મળી છે. 

What is the Cabinet Committee on Security?

સમગ્ર વિશ્વની નજર ભારત પર છે કે , ભારત કઈ રીતે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપશેકેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , નાણાંમંત્રી નિર્મલા સીતારામંન અને વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા છે.   આપને જણાવી દયિકે પહલગામના હુમલા પછી બીજીવાર CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી આજે CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ મળી છે . આ પોલિટિકલ અફેર્સની મિટિંગમાં વિપક્ષનો જે પ્રસ્તાવ છે કે સંસદમાં પહલગામના આતંકી હુમલાને લઇને વિશેષ સત્ર આયોજિત કરવું જોઈએ  તેની પર ચર્ચા થઈ શકે છે.  આ પેહલા ૨૦૧૯માં CCPA એટલેકે , કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પુલવામાંના હુમલા બાદ મળી હતી. જેમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે છીનવી લીધો હતો . ભારતમાં CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવામાં આવશે તેની રણનીતિ નક્કી થઇ શકે છે  . CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં નથી . તે એક એક્સટ્રા કોન્સ્ટિટ્યૂશનલ બોડી છે. તેમાં પણ CCS દેશમાં સૌથી તાકાતવર સંસ્થા છે. 

Cabinet Committee on Security meets for second time after Pahalgam attack -  Public TV English

 પહલગામમાં જે આતંકી હુમલો થયો તેના પછી થોડાક જ સમયમાં CCSની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને રાખવામાં આવી હતી. જેમાં ખુબ મહત્વના ડિપ્લોમેટિક પગલાંઓ પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવાયા હતા જેમ કે સિંધુ જળ નદીના કરારો રદ કરવા વગેરે .  તે પછી રક્ષામંત્રી રાજનાથસિંહ CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા . સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ પછી રક્ષામંત્રી રાજનાથનાથ સિંહ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાને મળ્યા છે . હવે આજે ફરી એકવાર CCS ની મિટિંગ મળી છે.  વાત CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની તો , તેમાં પીએમ મોદી , રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , પરિવહન મંત્રી નીતિન ગડકરી , આરોગ્ય મંત્રી જેપી નડ્ડા , નાણાં મંત્રી નિર્મલા સીતારામંન , ઉદ્યોગ મંત્રી જીતનરામ માંઝી , પોર્ટ અને શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ છે. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.