કેન્દ્ર સરકારમાં CCS એટલેકે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-30 19:17:52

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.  રાજધાની દિલ્હીમાં એક પછી એક બેઠકોનો ધમધમાટ ચાલુ છે. ગયિકાલે પીએમ મોદીના નિવાસ સ્થાને ભારતની સુરક્ષાને લઇને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને કોઈ પણ કાર્યવાહી કરવાની છૂટ આપ્યાના સમાચાર છે.    હવે આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCS અને કેબિનેટ કમિટી ઓન પોલીટિકલ અફેર્સની CCPA  મિટિંગ મળી છે. 

What is the Cabinet Committee on Security?

સમગ્ર વિશ્વની નજર ભારત પર છે કે , ભારત કઈ રીતે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપશેકેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , નાણાંમંત્રી નિર્મલા સીતારામંન અને વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા છે.   આપને જણાવી દયિકે પહલગામના હુમલા પછી બીજીવાર CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી આજે CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ મળી છે . આ પોલિટિકલ અફેર્સની મિટિંગમાં વિપક્ષનો જે પ્રસ્તાવ છે કે સંસદમાં પહલગામના આતંકી હુમલાને લઇને વિશેષ સત્ર આયોજિત કરવું જોઈએ  તેની પર ચર્ચા થઈ શકે છે.  આ પેહલા ૨૦૧૯માં CCPA એટલેકે , કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પુલવામાંના હુમલા બાદ મળી હતી. જેમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે છીનવી લીધો હતો . ભારતમાં CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવામાં આવશે તેની રણનીતિ નક્કી થઇ શકે છે  . CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં નથી . તે એક એક્સટ્રા કોન્સ્ટિટ્યૂશનલ બોડી છે. તેમાં પણ CCS દેશમાં સૌથી તાકાતવર સંસ્થા છે. 

Cabinet Committee on Security meets for second time after Pahalgam attack -  Public TV English

 પહલગામમાં જે આતંકી હુમલો થયો તેના પછી થોડાક જ સમયમાં CCSની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને રાખવામાં આવી હતી. જેમાં ખુબ મહત્વના ડિપ્લોમેટિક પગલાંઓ પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવાયા હતા જેમ કે સિંધુ જળ નદીના કરારો રદ કરવા વગેરે .  તે પછી રક્ષામંત્રી રાજનાથસિંહ CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા . સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ પછી રક્ષામંત્રી રાજનાથનાથ સિંહ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાને મળ્યા છે . હવે આજે ફરી એકવાર CCS ની મિટિંગ મળી છે.  વાત CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની તો , તેમાં પીએમ મોદી , રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , પરિવહન મંત્રી નીતિન ગડકરી , આરોગ્ય મંત્રી જેપી નડ્ડા , નાણાં મંત્રી નિર્મલા સીતારામંન , ઉદ્યોગ મંત્રી જીતનરામ માંઝી , પોર્ટ અને શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ છે. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.