કેન્દ્ર સરકારમાં CCS એટલેકે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-30 19:17:52

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.  રાજધાની દિલ્હીમાં એક પછી એક બેઠકોનો ધમધમાટ ચાલુ છે. ગયિકાલે પીએમ મોદીના નિવાસ સ્થાને ભારતની સુરક્ષાને લઇને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને કોઈ પણ કાર્યવાહી કરવાની છૂટ આપ્યાના સમાચાર છે.    હવે આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી CCS અને કેબિનેટ કમિટી ઓન પોલીટિકલ અફેર્સની CCPA  મિટિંગ મળી છે. 

What is the Cabinet Committee on Security?

સમગ્ર વિશ્વની નજર ભારત પર છે કે , ભારત કઈ રીતે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપશેકેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , નાણાંમંત્રી નિર્મલા સીતારામંન અને વિદેશમંત્રી એસ. જયશંકર હાજર રહ્યા છે.   આપને જણાવી દયિકે પહલગામના હુમલા પછી બીજીવાર CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી આજે CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ મળી છે . આ પોલિટિકલ અફેર્સની મિટિંગમાં વિપક્ષનો જે પ્રસ્તાવ છે કે સંસદમાં પહલગામના આતંકી હુમલાને લઇને વિશેષ સત્ર આયોજિત કરવું જોઈએ  તેની પર ચર્ચા થઈ શકે છે.  આ પેહલા ૨૦૧૯માં CCPA એટલેકે , કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પુલવામાંના હુમલા બાદ મળી હતી. જેમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે છીનવી લીધો હતો . ભારતમાં CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવામાં આવશે તેની રણનીતિ નક્કી થઇ શકે છે  . CCS એટલેકે , કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં નથી . તે એક એક્સટ્રા કોન્સ્ટિટ્યૂશનલ બોડી છે. તેમાં પણ CCS દેશમાં સૌથી તાકાતવર સંસ્થા છે. 

Cabinet Committee on Security meets for second time after Pahalgam attack -  Public TV English

 પહલગામમાં જે આતંકી હુમલો થયો તેના પછી થોડાક જ સમયમાં CCSની મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ્થાને રાખવામાં આવી હતી. જેમાં ખુબ મહત્વના ડિપ્લોમેટિક પગલાંઓ પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવાયા હતા જેમ કે સિંધુ જળ નદીના કરારો રદ કરવા વગેરે .  તે પછી રક્ષામંત્રી રાજનાથસિંહ CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા . સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. આ પછી રક્ષામંત્રી રાજનાથનાથ સિંહ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાને મળ્યા છે . હવે આજે ફરી એકવાર CCS ની મિટિંગ મળી છે.  વાત CCPA એટલેકે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની તો , તેમાં પીએમ મોદી , રક્ષામંત્રી રાજનાથ સિંહ , ગૃહમંત્રી અમિત શાહ , પરિવહન મંત્રી નીતિન ગડકરી , આરોગ્ય મંત્રી જેપી નડ્ડા , નાણાં મંત્રી નિર્મલા સીતારામંન , ઉદ્યોગ મંત્રી જીતનરામ માંઝી , પોર્ટ અને શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.