ફરી એક વીડિયોએ ઉડાડ્યા દારૂબંધી કાયદાના લીરેલીરા! Bilaspurમાં દારૂડિયા શિક્ષકે કહ્યું


  • Published By :
  • Published Date : 2024-03-02 13:31:33

શિક્ષકને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે. બાળકના ઘડતર પાછળ માતા પિતાની જેટલી જવાબદારી હોય છે તેટલી જ જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. ઘર પછી જ્યાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય છે તે શાળા હોય છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે કે ગુરૂની ઈજ્જત ઓછી કરી દેતા હોય છે. એક વીડિયો બિલાસપુરથી સામે આવ્યો છે જેમાં શિક્ષકના હાથમાં પોટલી દેખાઈ રહી છે. એ શિક્ષક છે જે દેશના ભાવિનું ઘડતર કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ લોકો દંગ રહી રહ્યા છે. 

શાળામાં શિક્ષક લઈને આવ્યા દારૂની બોટલ!

શિક્ષકોના માથે દેશના ભાવિની જવાબદારી રહેલી હોય છે. દેશના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. શાળામાં જે બાળક ભણે છે તે બાળકને હંમેશા યાદ રહે છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે બિલાસપુરનો છે. ત્યાંની એક શાળા સંતોષ નામના શિક્ષક ક્લાસમાં દારૂની બોટલ લઈને આવે છે અને નફ્ફટ થઈને કહે છે કે જે થતું હોય એ કરી લો. વીડિયો બનાવવો હોય તો બનાવી લો મને ફરક નથી પડતો. નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એની સામે fir કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 


જો દેશનું ભાવિ આવા શિક્ષકોની હાથ નીચે તૈયાર થશે તો...!

હવે આ તો બિલાસપુરની ઘટના ત્યાં દારૂ ખુલ્લામાં મળે છે કોઈ પણ હાલતે શિક્ષકે દારૂ સ્કૂલમાં ના લઈ જવો જોઈએ એ ખોટી વાત જ છે. પણ ગુજરાતમાં તો એનાથી ખરાબ હાલત છે અહીંયા પણ નશમાં ધૂત શિક્ષકો દેખાય છે જે દારૂ પીને સ્કૂલ જાય છે. ને કહેવા માટે આપણે દારૂબંધી છે જો આ શિક્ષકો દેશનું ભવિષ્ય આવી રીતે ઘડવાના હોય તો દેશનું ભાવિ ખતરામાં છે!  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?