ફરી એક વીડિયોએ ઉડાડ્યા દારૂબંધી કાયદાના લીરેલીરા! Bilaspurમાં દારૂડિયા શિક્ષકે કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 13:31:33

શિક્ષકને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે. બાળકના ઘડતર પાછળ માતા પિતાની જેટલી જવાબદારી હોય છે તેટલી જ જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. ઘર પછી જ્યાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય છે તે શાળા હોય છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે કે ગુરૂની ઈજ્જત ઓછી કરી દેતા હોય છે. એક વીડિયો બિલાસપુરથી સામે આવ્યો છે જેમાં શિક્ષકના હાથમાં પોટલી દેખાઈ રહી છે. એ શિક્ષક છે જે દેશના ભાવિનું ઘડતર કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ લોકો દંગ રહી રહ્યા છે. 

શાળામાં શિક્ષક લઈને આવ્યા દારૂની બોટલ!

શિક્ષકોના માથે દેશના ભાવિની જવાબદારી રહેલી હોય છે. દેશના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. શાળામાં જે બાળક ભણે છે તે બાળકને હંમેશા યાદ રહે છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે બિલાસપુરનો છે. ત્યાંની એક શાળા સંતોષ નામના શિક્ષક ક્લાસમાં દારૂની બોટલ લઈને આવે છે અને નફ્ફટ થઈને કહે છે કે જે થતું હોય એ કરી લો. વીડિયો બનાવવો હોય તો બનાવી લો મને ફરક નથી પડતો. નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એની સામે fir કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 


જો દેશનું ભાવિ આવા શિક્ષકોની હાથ નીચે તૈયાર થશે તો...!

હવે આ તો બિલાસપુરની ઘટના ત્યાં દારૂ ખુલ્લામાં મળે છે કોઈ પણ હાલતે શિક્ષકે દારૂ સ્કૂલમાં ના લઈ જવો જોઈએ એ ખોટી વાત જ છે. પણ ગુજરાતમાં તો એનાથી ખરાબ હાલત છે અહીંયા પણ નશમાં ધૂત શિક્ષકો દેખાય છે જે દારૂ પીને સ્કૂલ જાય છે. ને કહેવા માટે આપણે દારૂબંધી છે જો આ શિક્ષકો દેશનું ભવિષ્ય આવી રીતે ઘડવાના હોય તો દેશનું ભાવિ ખતરામાં છે!  



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'