ફરી એક વીડિયોએ ઉડાડ્યા દારૂબંધી કાયદાના લીરેલીરા! Bilaspurમાં દારૂડિયા શિક્ષકે કહ્યું


  • Published By :
  • Published Date : 2024-03-02 13:31:33

શિક્ષકને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે. બાળકના ઘડતર પાછળ માતા પિતાની જેટલી જવાબદારી હોય છે તેટલી જ જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. ઘર પછી જ્યાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય છે તે શાળા હોય છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે કે ગુરૂની ઈજ્જત ઓછી કરી દેતા હોય છે. એક વીડિયો બિલાસપુરથી સામે આવ્યો છે જેમાં શિક્ષકના હાથમાં પોટલી દેખાઈ રહી છે. એ શિક્ષક છે જે દેશના ભાવિનું ઘડતર કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ લોકો દંગ રહી રહ્યા છે. 

શાળામાં શિક્ષક લઈને આવ્યા દારૂની બોટલ!

શિક્ષકોના માથે દેશના ભાવિની જવાબદારી રહેલી હોય છે. દેશના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. શાળામાં જે બાળક ભણે છે તે બાળકને હંમેશા યાદ રહે છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે બિલાસપુરનો છે. ત્યાંની એક શાળા સંતોષ નામના શિક્ષક ક્લાસમાં દારૂની બોટલ લઈને આવે છે અને નફ્ફટ થઈને કહે છે કે જે થતું હોય એ કરી લો. વીડિયો બનાવવો હોય તો બનાવી લો મને ફરક નથી પડતો. નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એની સામે fir કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 


જો દેશનું ભાવિ આવા શિક્ષકોની હાથ નીચે તૈયાર થશે તો...!

હવે આ તો બિલાસપુરની ઘટના ત્યાં દારૂ ખુલ્લામાં મળે છે કોઈ પણ હાલતે શિક્ષકે દારૂ સ્કૂલમાં ના લઈ જવો જોઈએ એ ખોટી વાત જ છે. પણ ગુજરાતમાં તો એનાથી ખરાબ હાલત છે અહીંયા પણ નશમાં ધૂત શિક્ષકો દેખાય છે જે દારૂ પીને સ્કૂલ જાય છે. ને કહેવા માટે આપણે દારૂબંધી છે જો આ શિક્ષકો દેશનું ભવિષ્ય આવી રીતે ઘડવાના હોય તો દેશનું ભાવિ ખતરામાં છે!  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.