ફરી એક વીડિયોએ ઉડાડ્યા દારૂબંધી કાયદાના લીરેલીરા! Bilaspurમાં દારૂડિયા શિક્ષકે કહ્યું


  • Published By :
  • Published Date : 2024-03-02 13:31:33

શિક્ષકને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે. બાળકના ઘડતર પાછળ માતા પિતાની જેટલી જવાબદારી હોય છે તેટલી જ જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. ઘર પછી જ્યાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય છે તે શાળા હોય છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે કે ગુરૂની ઈજ્જત ઓછી કરી દેતા હોય છે. એક વીડિયો બિલાસપુરથી સામે આવ્યો છે જેમાં શિક્ષકના હાથમાં પોટલી દેખાઈ રહી છે. એ શિક્ષક છે જે દેશના ભાવિનું ઘડતર કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ લોકો દંગ રહી રહ્યા છે. 

શાળામાં શિક્ષક લઈને આવ્યા દારૂની બોટલ!

શિક્ષકોના માથે દેશના ભાવિની જવાબદારી રહેલી હોય છે. દેશના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. શાળામાં જે બાળક ભણે છે તે બાળકને હંમેશા યાદ રહે છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે બિલાસપુરનો છે. ત્યાંની એક શાળા સંતોષ નામના શિક્ષક ક્લાસમાં દારૂની બોટલ લઈને આવે છે અને નફ્ફટ થઈને કહે છે કે જે થતું હોય એ કરી લો. વીડિયો બનાવવો હોય તો બનાવી લો મને ફરક નથી પડતો. નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એની સામે fir કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 


જો દેશનું ભાવિ આવા શિક્ષકોની હાથ નીચે તૈયાર થશે તો...!

હવે આ તો બિલાસપુરની ઘટના ત્યાં દારૂ ખુલ્લામાં મળે છે કોઈ પણ હાલતે શિક્ષકે દારૂ સ્કૂલમાં ના લઈ જવો જોઈએ એ ખોટી વાત જ છે. પણ ગુજરાતમાં તો એનાથી ખરાબ હાલત છે અહીંયા પણ નશમાં ધૂત શિક્ષકો દેખાય છે જે દારૂ પીને સ્કૂલ જાય છે. ને કહેવા માટે આપણે દારૂબંધી છે જો આ શિક્ષકો દેશનું ભવિષ્ય આવી રીતે ઘડવાના હોય તો દેશનું ભાવિ ખતરામાં છે!  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.