ગાંધીનગરમાં ધરણા કરી રહેલ મહિલાઓ પર PIએ હાથ ઉપાડ્યાનો આંદોલનકારીઓનો આરોપ:VIDEO


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:41:16

પોલીસ પરિવારનાં સભ્યોને રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ઘણા સમયથી ધરણા.પોલીસ પરિવારના વર્ગ-3 અને વર્ગ-4 માં નોકરી આપવાની પોલીસ પરિવારોની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન.પોલીસે અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાય હતી.

ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી આપવાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે ધરણાં પર બેઠેલા આંદોલનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

આંદોલનનાં પગલે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી

જેનાં કારણે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી. પોલીસ જવાનોનાં મૃત્યુના કિસ્સામાં રહેમરાહે નોકરી મેળવવા માટે ઘણાં લાંબા સમયથી પોલીસ પરિવારો દ્વારા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આજદિન સુધી રહેમ રાહે નોકરી સહિતની માંગણી બાબતે સરકાર કોઈ હકારાત્મક વલણ અપનાવવા તૈયાર નથી.

રહેમરાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી

​​​​​​​આવા સંજોગો આજે પોલીસ પરિવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રહેમ રાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ પરિવારના સભ્ય રાહુલ રાવલે જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા ખોટો પરિપત્ર કરીને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.