ગાંધીનગરમાં ધરણા કરી રહેલ મહિલાઓ પર PIએ હાથ ઉપાડ્યાનો આંદોલનકારીઓનો આરોપ:VIDEO


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:41:16

પોલીસ પરિવારનાં સભ્યોને રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ઘણા સમયથી ધરણા.પોલીસ પરિવારના વર્ગ-3 અને વર્ગ-4 માં નોકરી આપવાની પોલીસ પરિવારોની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન.પોલીસે અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાય હતી.

ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી આપવાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે ધરણાં પર બેઠેલા આંદોલનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

આંદોલનનાં પગલે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી

જેનાં કારણે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી. પોલીસ જવાનોનાં મૃત્યુના કિસ્સામાં રહેમરાહે નોકરી મેળવવા માટે ઘણાં લાંબા સમયથી પોલીસ પરિવારો દ્વારા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આજદિન સુધી રહેમ રાહે નોકરી સહિતની માંગણી બાબતે સરકાર કોઈ હકારાત્મક વલણ અપનાવવા તૈયાર નથી.

રહેમરાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી

​​​​​​​આવા સંજોગો આજે પોલીસ પરિવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રહેમ રાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ પરિવારના સભ્ય રાહુલ રાવલે જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા ખોટો પરિપત્ર કરીને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.

રાજકોટ કોંગ્રેસના નેતાએ એક ટ્વિટ કરી હતી જેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરતમાં જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં બનતા બનતા રહી ગઈ તેવો ઉલ્લેખ કોંગ્રેસનેતાએ ટ્વિટ કરી હતી.

જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.