ગાંધીનગરમાં ધરણા કરી રહેલ મહિલાઓ પર PIએ હાથ ઉપાડ્યાનો આંદોલનકારીઓનો આરોપ:VIDEO


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 14:41:16

પોલીસ પરિવારનાં સભ્યોને રહેમરાહે નોકરી આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ઘણા સમયથી ધરણા.પોલીસ પરિવારના વર્ગ-3 અને વર્ગ-4 માં નોકરી આપવાની પોલીસ પરિવારોની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન.પોલીસે અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાય હતી.

ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી આપવાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે ધરણાં પર બેઠેલા આંદોલનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

આંદોલનનાં પગલે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી

જેનાં કારણે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી. પોલીસ જવાનોનાં મૃત્યુના કિસ્સામાં રહેમરાહે નોકરી મેળવવા માટે ઘણાં લાંબા સમયથી પોલીસ પરિવારો દ્વારા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આજદિન સુધી રહેમ રાહે નોકરી સહિતની માંગણી બાબતે સરકાર કોઈ હકારાત્મક વલણ અપનાવવા તૈયાર નથી.

રહેમરાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી

​​​​​​​આવા સંજોગો આજે પોલીસ પરિવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રહેમ રાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ પરિવારના સભ્ય રાહુલ રાવલે જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા ખોટો પરિપત્ર કરીને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."