દિલ્લીના જંતર મંતર ખાતે આંદોલનકર્મચારીઓ કરશે વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:03:54

શિક્ષકો, માજી સૈનિકો, એસ.ટી વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શવી રહ્યા છે. વિરોધને શાંત કરવા સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પોતાના પ્રશ્નોનો હજી સુધી ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ 19 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જંતર-મંતર ખાતે આગામી કાર્યક્રમો કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

વધુ ઉગ્ર બનશે આંદોલન

રાજ્ય સરકાર એક બાદ એક આંદોલનમાં ઘેરાઈ રહી છે. શિક્ષકો, ખેડૂતો, માજી સૈનિકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાન વેતન આપવા, ફિક્સ પગાર આપવામાં આવે સહિતની માગને લઈ જૂના સચિવાલય ખાતે આંદોલનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનને વધુ તેજ બનાવા આગામી કાર્યક્રમ જંતર-મંતર પર કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે.

માસ સીએલ પર ગયેલા શિક્ષકો વિરૂદ્ધ લેવાશે પગલા

માસ સીએલ પર ઉતરી શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કાળી પટ્ટી પહેરી એસ.ટી વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની સામે પગલા લેવા સરકારે આદેશ આપ્યો છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે.

Gujarat teachers protest for pension - ગુજરાત શિક્ષક વિરોધ જૂની પેન્શન  યોજના – News18 Gujarati

માજી સૈનિકો સાથેની વાતચીત નિષ્ફળ

પોતાના પ્રશ્નોને લઈ માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે. પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરી હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ છે. બેઠક થયા બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા માજી સૈનિકોનું આંદોલન પણ યથાવત રહેશે. નારાજ થયેલા આર્મી જવાનો રાજ્યપાલને પોતાને મળેલા મેડલ પરત આપી દેશે. 

જંતર-મંતર ખાતે થશે આગામી આંદોલન

એક સમયે શાંત ગણાતું ગુજરાત આજે આંદોલનનો વચ્ચે ઘેરાઈ ગયું છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓ સરકારની નીતિથી નારાજ થઈ સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. ગાંધીનગર માં ધરણા કરી પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નો ચાલી રહ્યા છે. જો માગ નહીં સ્વીકારાય તો આગામી આંદોલન દિલ્હીના જંતર-મંતર ખાતે કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે