દિલ્લીના જંતર મંતર ખાતે આંદોલનકર્મચારીઓ કરશે વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:03:54

શિક્ષકો, માજી સૈનિકો, એસ.ટી વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શવી રહ્યા છે. વિરોધને શાંત કરવા સરકાર પ્રયાસ કરી રહી છે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. પોતાના પ્રશ્નોનો હજી સુધી ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ 19 સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જંતર-મંતર ખાતે આગામી કાર્યક્રમો કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

વધુ ઉગ્ર બનશે આંદોલન

રાજ્ય સરકાર એક બાદ એક આંદોલનમાં ઘેરાઈ રહી છે. શિક્ષકો, ખેડૂતો, માજી સૈનિકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાન વેતન આપવા, ફિક્સ પગાર આપવામાં આવે સહિતની માગને લઈ જૂના સચિવાલય ખાતે આંદોલનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનને વધુ તેજ બનાવા આગામી કાર્યક્રમ જંતર-મંતર પર કરવામાં આવશે તેવું એલાન કરવામાં આવ્યું છે.

માસ સીએલ પર ગયેલા શિક્ષકો વિરૂદ્ધ લેવાશે પગલા

માસ સીએલ પર ઉતરી શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કાળી પટ્ટી પહેરી એસ.ટી વિભાગના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે માસ સીએલ પર ઉતરેલા શિક્ષકોની સામે પગલા લેવા સરકારે આદેશ આપ્યો છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે.

Gujarat teachers protest for pension - ગુજરાત શિક્ષક વિરોધ જૂની પેન્શન  યોજના – News18 Gujarati

માજી સૈનિકો સાથેની વાતચીત નિષ્ફળ

પોતાના પ્રશ્નોને લઈ માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે. પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરી હતી. પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ છે. બેઠક થયા બાદ પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા માજી સૈનિકોનું આંદોલન પણ યથાવત રહેશે. નારાજ થયેલા આર્મી જવાનો રાજ્યપાલને પોતાને મળેલા મેડલ પરત આપી દેશે. 

જંતર-મંતર ખાતે થશે આગામી આંદોલન

એક સમયે શાંત ગણાતું ગુજરાત આજે આંદોલનનો વચ્ચે ઘેરાઈ ગયું છે. મોટા ભાગના સરકારી કર્મચારીઓ સરકારની નીતિથી નારાજ થઈ સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. ગાંધીનગર માં ધરણા કરી પોતાની માગ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્નો ચાલી રહ્યા છે. જો માગ નહીં સ્વીકારાય તો આગામી આંદોલન દિલ્હીના જંતર-મંતર ખાતે કરવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.