મંત્રીજીએ ભારે કરી! રાઘવજી પટેલ ભૂલમાં 'દેશી દારૂ'ને ચરણામૃત સમજીને ગટગટાવી ગયા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:58

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પૂજા દરમિયાન મંત્રીજી ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. આ  પૂજાવિધિ દરમિયાન રાઘવજી પટેલની આસપાસ રહેલા લોકોએ તેમને રોક્યા પણ હતા જો કે ત્યાં સુધીમાં તો કૃષિમંત્રીએ મદિરાપાન કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આદિવાસી સમાજની છે પરંપરા 


ડેડીયાપાડામાં આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની પરંપરા છે. આજ કારણે આજે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની વિધિ વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અભિષેક કરાવવામાં આવ્યો હતો. જો કે તેમણે દેશી દારૂને જમીન પર અભિષેક કરવાના બદલે ચરણામૃત સમજીને સીધો જ ગટગટાવી ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જો કે તેમણે તે દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. 


રાઘવજી પટેલે ભૂલ સ્વીકારી


 ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ અંગે રાઘવજી પટેલે બાદમાં પૂછવામાં  આવતા તેમણે જણાવ્યું હતું કે, "મને આ પરંપરાઓ વિશે ઝાઝું જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું." જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો તેની મજા લઈ રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.