મંત્રીજીએ ભારે કરી! રાઘવજી પટેલ ભૂલમાં 'દેશી દારૂ'ને ચરણામૃત સમજીને ગટગટાવી ગયા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:58

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પૂજા દરમિયાન મંત્રીજી ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. આ  પૂજાવિધિ દરમિયાન રાઘવજી પટેલની આસપાસ રહેલા લોકોએ તેમને રોક્યા પણ હતા જો કે ત્યાં સુધીમાં તો કૃષિમંત્રીએ મદિરાપાન કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આદિવાસી સમાજની છે પરંપરા 


ડેડીયાપાડામાં આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની પરંપરા છે. આજ કારણે આજે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની વિધિ વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અભિષેક કરાવવામાં આવ્યો હતો. જો કે તેમણે દેશી દારૂને જમીન પર અભિષેક કરવાના બદલે ચરણામૃત સમજીને સીધો જ ગટગટાવી ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જો કે તેમણે તે દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. 


રાઘવજી પટેલે ભૂલ સ્વીકારી


 ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ અંગે રાઘવજી પટેલે બાદમાં પૂછવામાં  આવતા તેમણે જણાવ્યું હતું કે, "મને આ પરંપરાઓ વિશે ઝાઝું જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું." જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો તેની મજા લઈ રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.