મંત્રીજીએ ભારે કરી! રાઘવજી પટેલ ભૂલમાં 'દેશી દારૂ'ને ચરણામૃત સમજીને ગટગટાવી ગયા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:58

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ધરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, પૂજા દરમિયાન મંત્રીજી ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. આ  પૂજાવિધિ દરમિયાન રાઘવજી પટેલની આસપાસ રહેલા લોકોએ તેમને રોક્યા પણ હતા જો કે ત્યાં સુધીમાં તો કૃષિમંત્રીએ મદિરાપાન કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


આદિવાસી સમાજની છે પરંપરા 


ડેડીયાપાડામાં આદિવાસી સમાજમાં પરંપરાગત રીતે દેશી દારૂથી ધરતી માતાને અભિષેક કરવાની પરંપરા છે. આજ કારણે આજે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની વિધિ વખતે કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે અભિષેક કરાવવામાં આવ્યો હતો. જો કે તેમણે દેશી દારૂને જમીન પર અભિષેક કરવાના બદલે ચરણામૃત સમજીને સીધો જ ગટગટાવી ગયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જો કે તેમણે તે દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. 


રાઘવજી પટેલે ભૂલ સ્વીકારી


 ડેડીયાપાડામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ અંગે રાઘવજી પટેલે બાદમાં પૂછવામાં  આવતા તેમણે જણાવ્યું હતું કે, "મને આ પરંપરાઓ વિશે ઝાઝું જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું." જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો તેની મજા લઈ રહ્યા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે