પાક નુકસાન વળતરની જાહેરાત દિવાળી પહેલા થઈ જશે: કૃષિમંત્રી રાઘવજી પટેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 18:31:28

અતિવૃતિ, વાવાઝોડું, પૂર જેવા સમયે ખેડૂતોના પાકને કે ખેતીની જમીનને નુકસાન થયું તે અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરી છે. કૃષિપ્રધાને પાક સહાયની જાહેરાત દિવાળી પહેલા થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 


શું જાહેરાત કરી કૃષિપ્રધાન રાઘવજી પટેલે?


ખેડૂતોને પાક સહાયને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગત અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતો તેનો સર્વે પૂરો થઈ ગયો છે, દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની જાહેરાત  કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે. તેનો અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે. જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે. 



સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગામી ચાર દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 10 જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.