અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ નજીક વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું, રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-31 19:05:42

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા માર્ગો અપનાવી રહ્યા છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે. જો કે ગુજરાત પોલીસ દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી પોલીસે  25 લાખ રુપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતો. 


બાતમીના આધારે કાર્યવાહી


રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને દારૂની તસ્કરી વધી રહી છે. દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. જો કે બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હોવાથી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફરી રહ્યું છે. આજે શામળાજી પીએસઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેઈનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસે તે કન્ટેઈનરને અટકાવી કોર્ડન કરી તેની તલાશી લેતા  અંદરથી 445 દારૂની પેટીઓ, 5340 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવર યમુનાપ્રસાદ રતનસિંહ  રાજપૂત (રહે ભીમ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, કન્ટેઈનર અને મોબાઈલ સહિત કુલ રૂ.35,07,600 નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની તસ્કરી કરનારા બુટલેગર હજારી સિંહ રાજપૂત (રહે અજમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી