અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ નજીક વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું, રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-31 19:05:42

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા માર્ગો અપનાવી રહ્યા છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે. જો કે ગુજરાત પોલીસ દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી પોલીસે  25 લાખ રુપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતો. 


બાતમીના આધારે કાર્યવાહી


રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને દારૂની તસ્કરી વધી રહી છે. દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. જો કે બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હોવાથી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફરી રહ્યું છે. આજે શામળાજી પીએસઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેઈનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસે તે કન્ટેઈનરને અટકાવી કોર્ડન કરી તેની તલાશી લેતા  અંદરથી 445 દારૂની પેટીઓ, 5340 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવર યમુનાપ્રસાદ રતનસિંહ  રાજપૂત (રહે ભીમ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, કન્ટેઈનર અને મોબાઈલ સહિત કુલ રૂ.35,07,600 નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની તસ્કરી કરનારા બુટલેગર હજારી સિંહ રાજપૂત (રહે અજમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.