અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ નજીક વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું, રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-31 19:05:42

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખવા નિતનવા માર્ગો અપનાવી રહ્યા છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ પણ પડાવ નાખી વિદેશી દારૂ ભરેલા વાહનો સતત ઝડપી રહી છે. જો કે ગુજરાત પોલીસ દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી પોલીસે  25 લાખ રુપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી બુટલેગરને દબોચી લીધો હતો. 


બાતમીના આધારે કાર્યવાહી


રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને દારૂની તસ્કરી વધી રહી છે. દારૂની ડિમાન્ડ વધતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અધીરા બન્યા છે. જો કે બીજી તરફ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં હોવાથી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફરી રહ્યું છે. આજે શામળાજી પીએસઆઈ એસ. કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેઈનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસે તે કન્ટેઈનરને અટકાવી કોર્ડન કરી તેની તલાશી લેતા  અંદરથી 445 દારૂની પેટીઓ, 5340 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે કન્ટેઈનરના ડ્રાઈવર યમુનાપ્રસાદ રતનસિંહ  રાજપૂત (રહે ભીમ, રાજસમંદ, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ, કન્ટેઈનર અને મોબાઈલ સહિત કુલ રૂ.35,07,600 નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે વિદેશી દારૂની તસ્કરી કરનારા બુટલેગર હજારી સિંહ રાજપૂત (રહે અજમેર, રાજસ્થાન)ની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.