Loksabha Election પહેલા ભરૂચમાં અહેમદ પટેલના દીકરાના લાગ્યા હું તો લડીશના બોર્ડ! હોર્ડિંગ લાગતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-20 18:57:27

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો છે. દરેક બેઠક પર જીત મેળવવા માટે રાજકીય પાર્ટી પ્રયાસ કરશે. ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હતી કોઈ વખત મનસુખ વસાવાને કારણે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે. ફરી એક વખત ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં આવી છે અહમદ પટેલના પુત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે.  



અહમદ પટેલના દીકરાએ લગાવ્યા 'હું તો લડીશ'ના બોર્ડ

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પોતાના ફોટા સાથે એક બેનર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. લોકસભાની ચૂંટણી પહેલા આવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. એવી પણ માહિતી સામે આવી છે કે મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. 


ભરૂચ સીટ બની છે હોટ સીટ!  

અનેક વખત રાજકારણમાં પરિવારવાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરિવારમાં ફાંટા જોવા મળતા હોય છે. ત્યારે આવો એક કિસ્સો આવનાર સમયમાં ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભરૂચની લોકસભા બેઠક એમ પણ હોટ બેઠક ગણાતી હોય છે. એક તરફ આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, કોંગ્રેસમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ છે તો હવે અહમદ પટેલના દીકરાએ બોર્ડ લગાવ્યું છે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવા આવશે. એવા પણ ફોટો સામે આવ્યા છે જેમાં અહમદ પટેલના દીકરા સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.