Loksabha Election પહેલા ભરૂચમાં અહેમદ પટેલના દીકરાના લાગ્યા હું તો લડીશના બોર્ડ! હોર્ડિંગ લાગતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-20 18:57:27

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો છે. દરેક બેઠક પર જીત મેળવવા માટે રાજકીય પાર્ટી પ્રયાસ કરશે. ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હતી કોઈ વખત મનસુખ વસાવાને કારણે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે. ફરી એક વખત ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં આવી છે અહમદ પટેલના પુત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે.  



અહમદ પટેલના દીકરાએ લગાવ્યા 'હું તો લડીશ'ના બોર્ડ

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પોતાના ફોટા સાથે એક બેનર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. લોકસભાની ચૂંટણી પહેલા આવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. એવી પણ માહિતી સામે આવી છે કે મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. 


ભરૂચ સીટ બની છે હોટ સીટ!  

અનેક વખત રાજકારણમાં પરિવારવાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરિવારમાં ફાંટા જોવા મળતા હોય છે. ત્યારે આવો એક કિસ્સો આવનાર સમયમાં ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભરૂચની લોકસભા બેઠક એમ પણ હોટ બેઠક ગણાતી હોય છે. એક તરફ આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, કોંગ્રેસમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ છે તો હવે અહમદ પટેલના દીકરાએ બોર્ડ લગાવ્યું છે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવા આવશે. એવા પણ ફોટો સામે આવ્યા છે જેમાં અહમદ પટેલના દીકરા સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.