Loksabha Election પહેલા ભરૂચમાં અહેમદ પટેલના દીકરાના લાગ્યા હું તો લડીશના બોર્ડ! હોર્ડિંગ લાગતા ગરમાયું રાજકારણ


  • Published By :
  • Published Date : 2024-01-20 18:57:27

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ લોકસભાની 26 બેઠકો છે. દરેક બેઠક પર જીત મેળવવા માટે રાજકીય પાર્ટી પ્રયાસ કરશે. ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હતી કોઈ વખત મનસુખ વસાવાને કારણે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે. ફરી એક વખત ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં આવી છે અહમદ પટેલના પુત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડને કારણે.  



અહમદ પટેલના દીકરાએ લગાવ્યા 'હું તો લડીશ'ના બોર્ડ

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પોતાના ફોટા સાથે એક બેનર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે હું તો લડીશ. લોકસભાની ચૂંટણી પહેલા આવા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. એવી પણ માહિતી સામે આવી છે કે મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. 


ભરૂચ સીટ બની છે હોટ સીટ!  

અનેક વખત રાજકારણમાં પરિવારવાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરિવારમાં ફાંટા જોવા મળતા હોય છે. ત્યારે આવો એક કિસ્સો આવનાર સમયમાં ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભરૂચની લોકસભા બેઠક એમ પણ હોટ બેઠક ગણાતી હોય છે. એક તરફ આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, કોંગ્રેસમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ છે તો હવે અહમદ પટેલના દીકરાએ બોર્ડ લગાવ્યું છે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવા આવશે. એવા પણ ફોટો સામે આવ્યા છે જેમાં અહમદ પટેલના દીકરા સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.