અમદાવાદ:વસ્ત્રાપુરમાં મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટીમાં જામી દારુની મહેફિલ, 4 મહિલાઓ સહિત 12 ઝડપાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 17:24:12

વસ્ત્રાપુરમાં દારુની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, 12ને ઝડપી પાડ્યા
એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી વખતે દારુ પિરસાયો હતો
ખુદ ડીસીપી ઝોન-5એ પોલીસને દારુ પાર્ટીની માહિતી આપી હતી


મહિલા ડોક્ટરના ઘરે દારૂ પાર્ટી 


વસ્ત્રાપુરના અનિક એપાર્ટમેન્ટના પાંચમા માળે દારુ પાર્ટી ચાલી રહી હોવાની જાણ ખુદ ડીસીપી ઝોન-5એ પોલીસને કરી હતી. જે બાદ પોલીસની ટીમે દરોડા પાડ્યા તો લોકો દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે ચાર યુવતીઓ સહિત કુલ 12 લોકોને દારુની પાર્ટી કરવા બદલ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી વખતે દારુની મહેફિલ જામી હતી.


શહેરમાં હવે દારુની મહેફિલ માણવી સામાન્ય વાત બની ગઈ છે. કોઈની બર્થડે પાર્ટી હોય તો મોટા ભાગે દારુની મહેફિલ જામતી હોય છે. ત્યારે વસ્ત્રાપુરમાં હુક્કા અને દારુની મહેફિલ માણી રહેલી ચાર મહિલાઓ સહિત 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે, એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી હતી અને એ સમયે દારુની મહેફિલ જામી હતી. મહત્વનું છે કે, ખુદ ડીસીપીએ આ વાતની જાણ કંટ્રોલ રુમને કરી હતી અને પછી પોલીસે કાર્યવાહી હાથ ધરીને દારુ પાર્ટી કરી રહેલા લોકોને ઝડપી પાડ્યા હતા. જો કે, આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ડીસીપીએ કરી જાણ

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુરમાં આવેલા અનિક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતા એક મહિલા ડૉક્ટરની બર્થડે પાર્ટી હતી. આ દરમિયાન દારુની મહેફિલ જામી હતી. આ વાતની જાણ નજીકમાં રહેતા ડીસીપી ઝોન-5ને થઈ હતી. જે બાદ તેઓએ ખુદ પોલીસ કંટ્રોલ રુમને ફોન કરીને વાતની જાણ કરી હતી. ખુદ ડીસીપીએ આ વાતની જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. એ પછી પોલીસની ટીમ આ એપાર્ટમેન્ટના પાંચમા માળે પહોંચી હતી. પોલીસની ટીમે જ્યારે ઘરનો દરવાજો ખોલીને અંદરના દ્રશ્યો જોયા તો ચોંકી ગઈ હતી. ઘરમાં લોકો દારુની પાર્ટી કરી રહ્યા હતા. જે બાદ પોલીસે અહીંથી વિવિધ પ્રકારની દારુની બોટલો પણ કબજે કરી હતી.


4 મહિલાઓ સહિત 12 ઝડપાયા

જો કે, પોલીસે જે દારુની બોટલો ઝડપી હતી એમાંથી કેટલીક ખાલી હતી. આ સિવાય પોલીસે તપાસ હાથ ધરતા હુક્કા પણ મળી આવ્યા હતા. એટલે કે દારુની સાથે હુક્કા પાર્ટી પણ થઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ચાર યુવતીઓ સહિત 12 લોકોને આ પાર્ટી બદલ ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડીને મેડિકલ ચેકઅપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.


9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આ ફ્લેટ ઝંખના મહેશ્વીર નામની યુવતીએ છેલ્લાં એક વર્ષથી ભાડે રાખ્યો છે. જેની સાથો સાથ ચિરાગ ભટ્ટ, રિચા, દેવલ રુપાણી, મુસ્કાન, હેતલ ગોલવાસ, કિશન દેસાઈ, પંકજ કેશ્વાની, જેનિલ સયારા, આનંદ સિંહા, નીરવ શાહની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા લોકો દારુ ક્યાંથી લાવ્યા અને અગાઉ પણ આ રીતે પાર્ટી ચૂક્યા છે કે કેમ તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે આરોપીઓના મોબાઈલ, વાહનો સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.