Ahmedabad : જનતાના 80 કરોડ પાણીમાં! જુઓ એક એવો બ્રિજ જેનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ખબર ના પડી કે આગળ રસ્તો જ નથી... !જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-05-04 12:25:24

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામા આવે છે... અનેક બ્રિજો, રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.. અનેક વિસ્તારોમાં બ્રિજ બનવાનું કામ થતું હોય છે.. લોકો જે કર ભરે છે તેમાંથી લોકોને સગવડ મળે તે માટે રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે.. કરોડોનો ખર્ચ રસ્તાઓ અને બ્રિજ પાછળ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જ્યારે મજાક બની જાય ત્યારે...! 80 કરોડના ખર્ચે અમદાવાદમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તે બ્રિજ પર જો તમે જાવ તો તમને આગળ રસ્તો નહીં પરંતુ દિવાલ મળે...ઔડા અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે... !

બ્રિજ ઉતરતા જ આવી જાય છે મોટી દિવાલ!

વાત સાંભળવામાં અજીબ લાગી હશે ને પરંતુ આ સચ્ચાઈ છે... દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચ્યા બાદ જમાવટની ટીમે સ્થળ મુલાકાત લીધી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. બોપલ-ઘૂમાને શિલજ સાથે જોડતા  બ્રિજના નિર્માણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે.. લોકો માટે બ્રિજ ખુલ્લો પણ મૂકી દેવાશે પરંતુ જ્યારે લોકો તેને પાર કરશે તો તેમની સામે આવશે મોટી દિવાલ...આ બ્રિજનું કામ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં સુધી તંત્ર, કોન્ટ્રાક્ટર, આ બ્રિજનું કામ સંભાળતા લોકોને ખબર જ ના પડી કે આગળ દિવાલ આવી જાય છે..!     


કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ખબર પડી? 

જ્યારે આવા દ્રશ્યો આપણી સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોના પૈસે દિવાળી? સ્થાનિકોને સારી સુવિધા મળે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે આપણા ટેક્સના રૂપિયાથી..! પરંતુ જ્યારે તંત્રની આવી ઘોર બદેરકારી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે શું આટલા સમય સુધી સત્તાધીશો ઉંઘમાં હતા? બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને 80 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું તે બાદ ખબર પડે છે કે આગળ તો ઉતરવા માટે રસ્તો જ નથી... ત્યારે આ બ્રિજ જોયા બાદ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"