Ahmedabad : જનતાના 80 કરોડ પાણીમાં! જુઓ એક એવો બ્રિજ જેનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ખબર ના પડી કે આગળ રસ્તો જ નથી... !જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-05-04 12:25:24

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામા આવે છે... અનેક બ્રિજો, રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.. અનેક વિસ્તારોમાં બ્રિજ બનવાનું કામ થતું હોય છે.. લોકો જે કર ભરે છે તેમાંથી લોકોને સગવડ મળે તે માટે રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે.. કરોડોનો ખર્ચ રસ્તાઓ અને બ્રિજ પાછળ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જ્યારે મજાક બની જાય ત્યારે...! 80 કરોડના ખર્ચે અમદાવાદમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તે બ્રિજ પર જો તમે જાવ તો તમને આગળ રસ્તો નહીં પરંતુ દિવાલ મળે...ઔડા અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે... !

બ્રિજ ઉતરતા જ આવી જાય છે મોટી દિવાલ!

વાત સાંભળવામાં અજીબ લાગી હશે ને પરંતુ આ સચ્ચાઈ છે... દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચ્યા બાદ જમાવટની ટીમે સ્થળ મુલાકાત લીધી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. બોપલ-ઘૂમાને શિલજ સાથે જોડતા  બ્રિજના નિર્માણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે.. લોકો માટે બ્રિજ ખુલ્લો પણ મૂકી દેવાશે પરંતુ જ્યારે લોકો તેને પાર કરશે તો તેમની સામે આવશે મોટી દિવાલ...આ બ્રિજનું કામ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં સુધી તંત્ર, કોન્ટ્રાક્ટર, આ બ્રિજનું કામ સંભાળતા લોકોને ખબર જ ના પડી કે આગળ દિવાલ આવી જાય છે..!     


કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ખબર પડી? 

જ્યારે આવા દ્રશ્યો આપણી સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોના પૈસે દિવાળી? સ્થાનિકોને સારી સુવિધા મળે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે આપણા ટેક્સના રૂપિયાથી..! પરંતુ જ્યારે તંત્રની આવી ઘોર બદેરકારી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે શું આટલા સમય સુધી સત્તાધીશો ઉંઘમાં હતા? બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને 80 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું તે બાદ ખબર પડે છે કે આગળ તો ઉતરવા માટે રસ્તો જ નથી... ત્યારે આ બ્રિજ જોયા બાદ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે