Ahmedabad : જનતાના 80 કરોડ પાણીમાં! જુઓ એક એવો બ્રિજ જેનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ખબર ના પડી કે આગળ રસ્તો જ નથી... !જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-05-04 12:25:24

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામા આવે છે... અનેક બ્રિજો, રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.. અનેક વિસ્તારોમાં બ્રિજ બનવાનું કામ થતું હોય છે.. લોકો જે કર ભરે છે તેમાંથી લોકોને સગવડ મળે તે માટે રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે.. કરોડોનો ખર્ચ રસ્તાઓ અને બ્રિજ પાછળ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જ્યારે મજાક બની જાય ત્યારે...! 80 કરોડના ખર્ચે અમદાવાદમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તે બ્રિજ પર જો તમે જાવ તો તમને આગળ રસ્તો નહીં પરંતુ દિવાલ મળે...ઔડા અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે... !

બ્રિજ ઉતરતા જ આવી જાય છે મોટી દિવાલ!

વાત સાંભળવામાં અજીબ લાગી હશે ને પરંતુ આ સચ્ચાઈ છે... દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચ્યા બાદ જમાવટની ટીમે સ્થળ મુલાકાત લીધી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. બોપલ-ઘૂમાને શિલજ સાથે જોડતા  બ્રિજના નિર્માણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે.. લોકો માટે બ્રિજ ખુલ્લો પણ મૂકી દેવાશે પરંતુ જ્યારે લોકો તેને પાર કરશે તો તેમની સામે આવશે મોટી દિવાલ...આ બ્રિજનું કામ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં સુધી તંત્ર, કોન્ટ્રાક્ટર, આ બ્રિજનું કામ સંભાળતા લોકોને ખબર જ ના પડી કે આગળ દિવાલ આવી જાય છે..!     


કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ખબર પડી? 

જ્યારે આવા દ્રશ્યો આપણી સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોના પૈસે દિવાળી? સ્થાનિકોને સારી સુવિધા મળે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે આપણા ટેક્સના રૂપિયાથી..! પરંતુ જ્યારે તંત્રની આવી ઘોર બદેરકારી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે શું આટલા સમય સુધી સત્તાધીશો ઉંઘમાં હતા? બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને 80 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું તે બાદ ખબર પડે છે કે આગળ તો ઉતરવા માટે રસ્તો જ નથી... ત્યારે આ બ્રિજ જોયા બાદ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.