Ahmedabad : જનતાના 80 કરોડ પાણીમાં! જુઓ એક એવો બ્રિજ જેનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું ત્યાં સુધી ખબર ના પડી કે આગળ રસ્તો જ નથી... !જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-05-04 12:25:24

ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામા આવે છે... અનેક બ્રિજો, રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.. અનેક વિસ્તારોમાં બ્રિજ બનવાનું કામ થતું હોય છે.. લોકો જે કર ભરે છે તેમાંથી લોકોને સગવડ મળે તે માટે રોડ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે છે.. કરોડોનો ખર્ચ રસ્તાઓ અને બ્રિજ પાછળ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જ્યારે મજાક બની જાય ત્યારે...! 80 કરોડના ખર્ચે અમદાવાદમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તે બ્રિજ પર જો તમે જાવ તો તમને આગળ રસ્તો નહીં પરંતુ દિવાલ મળે...ઔડા અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે... !

બ્રિજ ઉતરતા જ આવી જાય છે મોટી દિવાલ!

વાત સાંભળવામાં અજીબ લાગી હશે ને પરંતુ આ સચ્ચાઈ છે... દિવ્ય ભાસ્કરનો અહેવાલ વાંચ્યા બાદ જમાવટની ટીમે સ્થળ મુલાકાત લીધી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.. બોપલ-ઘૂમાને શિલજ સાથે જોડતા  બ્રિજના નિર્માણનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કામ પૂર્ણ પણ થઈ જશે.. લોકો માટે બ્રિજ ખુલ્લો પણ મૂકી દેવાશે પરંતુ જ્યારે લોકો તેને પાર કરશે તો તેમની સામે આવશે મોટી દિવાલ...આ બ્રિજનું કામ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં સુધી તંત્ર, કોન્ટ્રાક્ટર, આ બ્રિજનું કામ સંભાળતા લોકોને ખબર જ ના પડી કે આગળ દિવાલ આવી જાય છે..!     


કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે ખબર પડી? 

જ્યારે આવા દ્રશ્યો આપણી સામે આવે છે ત્યારે પ્રશ્ન થાય કે કોના પૈસે દિવાળી? સ્થાનિકોને સારી સુવિધા મળે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે આપણા ટેક્સના રૂપિયાથી..! પરંતુ જ્યારે તંત્રની આવી ઘોર બદેરકારી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે શું આટલા સમય સુધી સત્તાધીશો ઉંઘમાં હતા? બ્રિજ બનાવી દેવામાં આવ્યો અને 80 ટકા કામ પૂર્ણ પણ થઈ ગયું તે બાદ ખબર પડે છે કે આગળ તો ઉતરવા માટે રસ્તો જ નથી... ત્યારે આ બ્રિજ જોયા બાદ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.