Ahmedabad : Kalupur નજીક આવેલા રેવડી બજારમાં લાગી ભીષણ આગ, અનેક દુકાનો આવી આગની ઝપેટમાં


  • Published By :
  • Published Date : 2023-11-14 10:40:54

દિવાળીના તહેવારની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ખુશી વ્યક્ત કરવા માટે લોકો ફટાકડા ફોડતા હોય છે પરંતુ અનેક વખત ફટાકડાને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર ભીષણ આગ પણ લાગતી હોય છે. દિવાળીના સમય દરમિયાન આવી ઘટનાઓ બનવી સામાન્ય હોય છે. ત્યારે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ ભીષણ આગ અમદાવાદના કાલુપુરમાં લાગી હતી. કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગની ઝપેટમાં અનેક દુકાનો આવી હતી.

કાલુપુર રેવડી બજારમાં લાગી આગ

તહેવારના રંગમાં લોકો રંગાઈ ગયા છે. ધામધૂમથી લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક વખત તહેવારની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડવામાં આવે છે અને તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.ફટાકડા ફોડવાથી ક્ષણિક આનંદ તો મળે છે પરંતુ દિવાળીના ફટાકડાની આડઅસર પણ અનેક જગ્યાઓ પર જોવા મળે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગની ઘટના સર્જાઈ છે. ચાર કરતા વધુ દુકાનો આ આગની ઝપેટમાં આવી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હાલ સામે નથી આવ્યા પરંતુ દુકાનોમાં રહેલો સામાનને કદાચ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


દિવાળી વખતે આગ લાગવાના કિસ્સાઓમાં થાય છે અનેક ઘણો વધારો 

આગ કયા કારણોસર લાગી તે હજી સામે નથી આવ્યું. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન આરંભી દીધો હતો. મહત્વનું છે કે દિવાળીના સમયે આગ લાગવાની ઘટનામાં અનેક ઘણો વધારો થતો હોય છે. કોઈ વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ફટાકડાને કારણે ઘરમાં આગ લાગતી હોય છે અને આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે. દાઝી જવાના કિસ્સાઓમાં પણ વધારો દિવાળીના સમય વખતે જોવા મળતો હોય છે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.