Ahmedabad : Kalupur નજીક આવેલા રેવડી બજારમાં લાગી ભીષણ આગ, અનેક દુકાનો આવી આગની ઝપેટમાં


  • Published By :
  • Published Date : 2023-11-14 10:40:54

દિવાળીના તહેવારની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ખુશી વ્યક્ત કરવા માટે લોકો ફટાકડા ફોડતા હોય છે પરંતુ અનેક વખત ફટાકડાને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર ભીષણ આગ પણ લાગતી હોય છે. દિવાળીના સમય દરમિયાન આવી ઘટનાઓ બનવી સામાન્ય હોય છે. ત્યારે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ ભીષણ આગ અમદાવાદના કાલુપુરમાં લાગી હતી. કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગની ઝપેટમાં અનેક દુકાનો આવી હતી.

કાલુપુર રેવડી બજારમાં લાગી આગ

તહેવારના રંગમાં લોકો રંગાઈ ગયા છે. ધામધૂમથી લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક વખત તહેવારની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડવામાં આવે છે અને તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.ફટાકડા ફોડવાથી ક્ષણિક આનંદ તો મળે છે પરંતુ દિવાળીના ફટાકડાની આડઅસર પણ અનેક જગ્યાઓ પર જોવા મળે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગની ઘટના સર્જાઈ છે. ચાર કરતા વધુ દુકાનો આ આગની ઝપેટમાં આવી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હાલ સામે નથી આવ્યા પરંતુ દુકાનોમાં રહેલો સામાનને કદાચ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


દિવાળી વખતે આગ લાગવાના કિસ્સાઓમાં થાય છે અનેક ઘણો વધારો 

આગ કયા કારણોસર લાગી તે હજી સામે નથી આવ્યું. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન આરંભી દીધો હતો. મહત્વનું છે કે દિવાળીના સમયે આગ લાગવાની ઘટનામાં અનેક ઘણો વધારો થતો હોય છે. કોઈ વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ફટાકડાને કારણે ઘરમાં આગ લાગતી હોય છે અને આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે. દાઝી જવાના કિસ્સાઓમાં પણ વધારો દિવાળીના સમય વખતે જોવા મળતો હોય છે.      




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.