Ahmedabad : Kalupur નજીક આવેલા રેવડી બજારમાં લાગી ભીષણ આગ, અનેક દુકાનો આવી આગની ઝપેટમાં


  • Published By :
  • Published Date : 2023-11-14 10:40:54

દિવાળીના તહેવારની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ખુશી વ્યક્ત કરવા માટે લોકો ફટાકડા ફોડતા હોય છે પરંતુ અનેક વખત ફટાકડાને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર ભીષણ આગ પણ લાગતી હોય છે. દિવાળીના સમય દરમિયાન આવી ઘટનાઓ બનવી સામાન્ય હોય છે. ત્યારે દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ ભીષણ આગ અમદાવાદના કાલુપુરમાં લાગી હતી. કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગની ઝપેટમાં અનેક દુકાનો આવી હતી.

કાલુપુર રેવડી બજારમાં લાગી આગ

તહેવારના રંગમાં લોકો રંગાઈ ગયા છે. ધામધૂમથી લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ અનેક વખત તહેવારની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક જગ્યાઓ પર ફટાકડા ફોડવામાં આવે છે અને તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.ફટાકડા ફોડવાથી ક્ષણિક આનંદ તો મળે છે પરંતુ દિવાળીના ફટાકડાની આડઅસર પણ અનેક જગ્યાઓ પર જોવા મળે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં ભીષણ આગની ઘટના સર્જાઈ છે. ચાર કરતા વધુ દુકાનો આ આગની ઝપેટમાં આવી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર હાલ સામે નથી આવ્યા પરંતુ દુકાનોમાં રહેલો સામાનને કદાચ મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


દિવાળી વખતે આગ લાગવાના કિસ્સાઓમાં થાય છે અનેક ઘણો વધારો 

આગ કયા કારણોસર લાગી તે હજી સામે નથી આવ્યું. પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન આરંભી દીધો હતો. મહત્વનું છે કે દિવાળીના સમયે આગ લાગવાની ઘટનામાં અનેક ઘણો વધારો થતો હોય છે. કોઈ વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ફટાકડાને કારણે ઘરમાં આગ લાગતી હોય છે અને આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે. દાઝી જવાના કિસ્સાઓમાં પણ વધારો દિવાળીના સમય વખતે જોવા મળતો હોય છે.      




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.