Ahmedabad : અથાણામાંથી ગરોળી નિકળી, ઠંડા પીણાની બોટલમાંથી નીકળ્યો કાનખજૂરો અને શાકમાંથી નીકળ્યો વંદો...,


  • Published By :
  • Published Date : 2024-06-28 18:53:40

ઘર કરતા બહારનું ખાવાનું આપણને વધારે ભાવે છે, મોકો મળતા જ આપણે બહાર ખાવા જતા રહીએ છીએ.. ચટાકેદાર ખાવાનું મળતા આપણને તેનો સ્વાદ યાદ રહી જાય છે.. પરંતુ છેલ્લા થોડા સમયથી ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નિકળી રહ્યા છે તે જોતા લાગે કે હવે જોવાનું શું બાકી રહ્યું? એક જ દિવસમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી ગરોળી, કાનખજૂરો અને વંદો નીકળ્યો છે..

News18 Gujarati


 

અથાણામાંથી ગરોળી, સોડામાંથી કાન ખજૂરો અને... 

ખાણી પીણીમાંથી જીવાત નિકળવી જાણે સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગે છે. થોડા સમય પહેલા બાલાજીની Crunchex વેફરમાંથી દેડકો નીકળ્યો હતો. સૂપમાંથી ગરોળી નીકળી હતી, તે બાદ ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો.. આની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યારે તો આવા અનેક કિસ્સાઓ સામે આવી ગયા. શાકમાંથી વંદો નીકળ્યો, ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી અને ઠંડા પીણાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યો..

News18 Gujarati


અમદાવાદની એક હોટલના શાકમાંથી નિકળ્યો વંદો.. 

કાન ખજૂરાની વાત કરીએ તો સરખેજના પાન પાર્લરમાંથી લીધેલા ઠંડા પીણાની બોટલમાંથી નિકળ્યો. કાનખજૂરો નીકળ્યો તેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય વંદો પંજાબી શાકમાંથી નિકળ્યો. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હોટલના શાકમાંથી વંદો નીકળ્યો...શાકમાંથી વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયા. તે સિવાય અથાણામાંથી ગરોળી નીકળી છે. અથાણું એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ.

News18 Gujarati

ખાણી પીણીની વસ્તુઓમાંથી નિકળે છે જીવ જંતુ 

મહત્વનું છે કે આની પહેલા પણ ખાદ્ય પદાર્થમાંથી જીવાત નિકળવાની ઘટના આપણે જોઈ ચૂક્યા છીએ. જે પ્રમાણે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે શું ખાવું એ સવાલ થાય છે.. આની પહેલા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નિકળી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.