Ahmedabad : આ શાળાના શિક્ષક વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ, વિદ્યાર્થિનીઓને બતાવતો હતો ન્યુડ વીડિયો! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-09 15:44:18

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દીધો બતાય. આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના વિકાસમાં તેમને આગળ વધારવામાં ગુરૂ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરૂ અને શિષ્યોના સંબંધને એકદમ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં અનેક ગુરૂ શિષ્યની જોડી છે જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પરંતુ સમાજમાં અનેક શિક્ષકો એવા હોય છે કે ગુરૂ શિષ્યના સંબંધોને લાંછન લગાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળાથી સામે આવ્યો છે જેમાં શિક્ષકે પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. શિક્ષક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર તે કરાટે શિક્ષકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.


શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ 

મહિલાઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મહિલા કોઈના હવસનો ભોગ બની રહી છે. નાની બાળકીઓ પર પણ બળાત્કાર આચરવામાં આવે છે તેવા સમાચારો પણ સામે આવતા હોય છે. ત્યારે એક સમાચાર અમદાવાદની એક શાળાથી સામે આવ્યા છે જેમાં શિક્ષકે બાળકીને ન્યુડ વીડિયો બતાવ્યો. આ ઘટના છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક શાળાની. મળતી માહિતી અનુસાર એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં કરાટે ટીચરે વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. કરાટે શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે. 


શાળામાં પહોંચેલા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરાઈ માગ!

એકલવ્ય કેમ્પસની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષક આર્ય દુબેએ ધોરણ પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. કરાટે શિક્ષક ન્યુડ વીડિયો બતાવીને વિદ્યાર્થિનીઓને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો કરાટે ક્લાસમાં નહીં આવવા દે. પરંતુ આ ઘટના અંગેની વાત વિદ્યાર્થિનીઓએ વ્હાલીઓને કરી. ઘટનાની વાત જાણતા વાલીઓ શાળામાં આવી પહોંચ્યા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. વાલીઓ પછી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસ શિક્ષકની દરપકડ કરી લીધી છે.            



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.