Ahmedabad : આ શાળાના શિક્ષક વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ, વિદ્યાર્થિનીઓને બતાવતો હતો ન્યુડ વીડિયો! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-09 15:44:18

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દીધો બતાય. આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના વિકાસમાં તેમને આગળ વધારવામાં ગુરૂ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરૂ અને શિષ્યોના સંબંધને એકદમ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં અનેક ગુરૂ શિષ્યની જોડી છે જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પરંતુ સમાજમાં અનેક શિક્ષકો એવા હોય છે કે ગુરૂ શિષ્યના સંબંધોને લાંછન લગાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળાથી સામે આવ્યો છે જેમાં શિક્ષકે પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. શિક્ષક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર તે કરાટે શિક્ષકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.


શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ 

મહિલાઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મહિલા કોઈના હવસનો ભોગ બની રહી છે. નાની બાળકીઓ પર પણ બળાત્કાર આચરવામાં આવે છે તેવા સમાચારો પણ સામે આવતા હોય છે. ત્યારે એક સમાચાર અમદાવાદની એક શાળાથી સામે આવ્યા છે જેમાં શિક્ષકે બાળકીને ન્યુડ વીડિયો બતાવ્યો. આ ઘટના છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક શાળાની. મળતી માહિતી અનુસાર એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં કરાટે ટીચરે વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. કરાટે શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે. 


શાળામાં પહોંચેલા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરાઈ માગ!

એકલવ્ય કેમ્પસની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષક આર્ય દુબેએ ધોરણ પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. કરાટે શિક્ષક ન્યુડ વીડિયો બતાવીને વિદ્યાર્થિનીઓને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો કરાટે ક્લાસમાં નહીં આવવા દે. પરંતુ આ ઘટના અંગેની વાત વિદ્યાર્થિનીઓએ વ્હાલીઓને કરી. ઘટનાની વાત જાણતા વાલીઓ શાળામાં આવી પહોંચ્યા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. વાલીઓ પછી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસ શિક્ષકની દરપકડ કરી લીધી છે.            



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.