Ahmedabad : આ શાળાના શિક્ષક વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ, વિદ્યાર્થિનીઓને બતાવતો હતો ન્યુડ વીડિયો! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-09 15:44:18

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દીધો બતાય. આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના વિકાસમાં તેમને આગળ વધારવામાં ગુરૂ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરૂ અને શિષ્યોના સંબંધને એકદમ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં અનેક ગુરૂ શિષ્યની જોડી છે જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પરંતુ સમાજમાં અનેક શિક્ષકો એવા હોય છે કે ગુરૂ શિષ્યના સંબંધોને લાંછન લગાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળાથી સામે આવ્યો છે જેમાં શિક્ષકે પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. શિક્ષક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર તે કરાટે શિક્ષકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.


શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ 

મહિલાઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મહિલા કોઈના હવસનો ભોગ બની રહી છે. નાની બાળકીઓ પર પણ બળાત્કાર આચરવામાં આવે છે તેવા સમાચારો પણ સામે આવતા હોય છે. ત્યારે એક સમાચાર અમદાવાદની એક શાળાથી સામે આવ્યા છે જેમાં શિક્ષકે બાળકીને ન્યુડ વીડિયો બતાવ્યો. આ ઘટના છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક શાળાની. મળતી માહિતી અનુસાર એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં કરાટે ટીચરે વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. કરાટે શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે. 


શાળામાં પહોંચેલા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરાઈ માગ!

એકલવ્ય કેમ્પસની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષક આર્ય દુબેએ ધોરણ પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. કરાટે શિક્ષક ન્યુડ વીડિયો બતાવીને વિદ્યાર્થિનીઓને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો કરાટે ક્લાસમાં નહીં આવવા દે. પરંતુ આ ઘટના અંગેની વાત વિદ્યાર્થિનીઓએ વ્હાલીઓને કરી. ઘટનાની વાત જાણતા વાલીઓ શાળામાં આવી પહોંચ્યા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. વાલીઓ પછી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસ શિક્ષકની દરપકડ કરી લીધી છે.            



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.