Ahmedabad : આ શાળાના શિક્ષક વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ, વિદ્યાર્થિનીઓને બતાવતો હતો ન્યુડ વીડિયો! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-09 15:44:18

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દીધો બતાય. આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બાળકોના વિકાસમાં તેમને આગળ વધારવામાં ગુરૂ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુરૂ અને શિષ્યોના સંબંધને એકદમ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં અનેક ગુરૂ શિષ્યની જોડી છે જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ. પરંતુ સમાજમાં અનેક શિક્ષકો એવા હોય છે કે ગુરૂ શિષ્યના સંબંધોને લાંછન લગાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદની એક શાળાથી સામે આવ્યો છે જેમાં શિક્ષકે પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. શિક્ષક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર તે કરાટે શિક્ષકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.


શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ 

મહિલાઓ પર થતાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મહિલા કોઈના હવસનો ભોગ બની રહી છે. નાની બાળકીઓ પર પણ બળાત્કાર આચરવામાં આવે છે તેવા સમાચારો પણ સામે આવતા હોય છે. ત્યારે એક સમાચાર અમદાવાદની એક શાળાથી સામે આવ્યા છે જેમાં શિક્ષકે બાળકીને ન્યુડ વીડિયો બતાવ્યો. આ ઘટના છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી એક શાળાની. મળતી માહિતી અનુસાર એકલવ્ય કેમ્પસમાં આવેલી શાળામાં કરાટે ટીચરે વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવ્યો. કરાટે શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તે શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે. 


શાળામાં પહોંચેલા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરાઈ માગ!

એકલવ્ય કેમ્પસની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષક આર્ય દુબેએ ધોરણ પાંચમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. કરાટે શિક્ષક ન્યુડ વીડિયો બતાવીને વિદ્યાર્થિનીઓને ધમકી આપતો કે જો કોઈને કહેશો તો કરાટે ક્લાસમાં નહીં આવવા દે. પરંતુ આ ઘટના અંગેની વાત વિદ્યાર્થિનીઓએ વ્હાલીઓને કરી. ઘટનાની વાત જાણતા વાલીઓ શાળામાં આવી પહોંચ્યા હતા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. વાલીઓ પછી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શિક્ષક વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસ શિક્ષકની દરપકડ કરી લીધી છે.            



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.