ટ્રેનમાં બોમ્બ છે એવું કહી યુવકે પોલીસને દોડાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:29:38

આજે જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ મચી ગયો હતો ત્યારબાદ સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જોકે ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે 


સાબરમતી પોલીસ અને રેલવે પોલીસ હરકરતમાં આવી હતી 

ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘણી વાર લોકો આ બાબતોને સામાન્ય સમજી મજાક મસ્તી કરતા હોય છે પણ ઘણી વાર આવા મજાકના કારણે અફરાતફરી મચી જતી હોય છે 

બનાવની વિગત મુજબ રાણકપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ રેલવે પોલીસને ફોન કરી ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. દેવેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાલ સુરતનો રહેવાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હતો. 

મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ રેલવે પોલીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની શોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. શખ્સ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 507, રેલવે એક્ટ અધિનિયમ - 145 તથા ઈન્ફોર્મેશન અધિનિયમ કલમ - 66 (એ)(બી) હેઠળ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેસેજના અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આવા લોકો પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરી સિસ્ટમ અને સામાન્ય લોકોને હેરાન કરતા હોય આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"