ટ્રેનમાં બોમ્બ છે એવું કહી યુવકે પોલીસને દોડાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:29:38

આજે જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ મચી ગયો હતો ત્યારબાદ સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જોકે ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે 


સાબરમતી પોલીસ અને રેલવે પોલીસ હરકરતમાં આવી હતી 

ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘણી વાર લોકો આ બાબતોને સામાન્ય સમજી મજાક મસ્તી કરતા હોય છે પણ ઘણી વાર આવા મજાકના કારણે અફરાતફરી મચી જતી હોય છે 

બનાવની વિગત મુજબ રાણકપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ રેલવે પોલીસને ફોન કરી ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. દેવેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાલ સુરતનો રહેવાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હતો. 

મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ રેલવે પોલીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની શોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. શખ્સ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 507, રેલવે એક્ટ અધિનિયમ - 145 તથા ઈન્ફોર્મેશન અધિનિયમ કલમ - 66 (એ)(બી) હેઠળ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેસેજના અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આવા લોકો પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરી સિસ્ટમ અને સામાન્ય લોકોને હેરાન કરતા હોય આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.