ટ્રેનમાં બોમ્બ છે એવું કહી યુવકે પોલીસને દોડાવી


  • Published By :
  • Published Date : 2022-11-02 15:29:38

આજે જોધપુર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી એક શખ્સે ટ્રેનમાં બોમ્બ હોવાનો મેસેજ કરતા હડકંપ મચી ગયો હતો ત્યારબાદ સુરતના દેવેન્દ્રસિંહ રાઠોડ સામે સાબરમતી રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જોકે ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કરનારા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે 


સાબરમતી પોલીસ અને રેલવે પોલીસ હરકરતમાં આવી હતી 

ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાના કારણે સાબરમતી અને રેલવે પોલીસતંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જોકે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘણી વાર લોકો આ બાબતોને સામાન્ય સમજી મજાક મસ્તી કરતા હોય છે પણ ઘણી વાર આવા મજાકના કારણે અફરાતફરી મચી જતી હોય છે 

બનાવની વિગત મુજબ રાણકપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા દેવેન્દ્ર સિંહ રાઠોડ નામના વ્યક્તિએ રેલવે પોલીસને ફોન કરી ટ્રેનમાં બોમ્બ હોવાનો ખોટો મેસેજ કર્યો હતો. દેવેન્દ્ર સિંહ રાઠોડ મૂળ રાજસ્થાની અને હાલ સુરતનો રહેવાસી છે. આ વ્યક્તિએ આ પ્રકારનો મેસેજ અશાંતિ ઉભી કરવા અને રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ હરકતમાં આવે તેવા ઈરાદાથી કર્યો હતો. 

મેસેજ મળતા સાબરમતી પોલીસ તેમજ રેલવે પોલીસ અને અધિકારીઓએ ટ્રેનમાં શખ્સની શોધખોળ હાથ ધરી તપાસ કરતા દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. શખ્સ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 507, રેલવે એક્ટ અધિનિયમ - 145 તથા ઈન્ફોર્મેશન અધિનિયમ કલમ - 66 (એ)(બી) હેઠળ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેસેજના અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.આવા લોકો પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરી સિસ્ટમ અને સામાન્ય લોકોને હેરાન કરતા હોય આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખુબ જ જરૂરી છે 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.