વહાલસોયાને સફેદ ચાદરમાં લપેટાયેલા જોઈ પરિવારજનોનું હૈયાફાટ રુદન, બોટાદ પંથકમાં ઘેરા શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-20 20:42:23

અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર બુધવારે મોડી રાત્રે તથ્ય પટેલ નામના નબીરાની જગુઆર કારની અડફેટે આવતા 9 નિર્દોષોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક અકસ્માતના હ્રદયદ્રાવક દ્રશ્યો જોઈને રાજ્યમાં લોકો હચમચી ગયા છે. આ ભીષણ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. તે ઉપરાંત અન્ય યુવકોને ગાડીએ કચડ્યા હતા. અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી હતી. જ્યારે અન્ય 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોકની લાગણી જોવા મળી હતી.


અંતિમયાત્રામાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો


અમદાવાદમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકોના મૃતદેહનું PM કરાવ્યા બાદ બોટાદના ત્રણ યુવાનમાંથી એક- સુરેન્દ્રનગરના ચાસકા ગામના યુવાનની ડેડબોડી વતન લાવવામાં આવી છે. 2 યુવાનની બોડી બોટાદમાં આવતાં જ સમગ્ર બોટાદ શહેર અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. કૃણાલ કોડિયાની બોડીને તેના વતન ચાસકા ગામે લઈ જવામાં આવી. યુવાનોની લાશ આવતાની સાથે જ પરિવારોએ રીતસર પોક મુકી હતી. તેમના આક્રંદે વાતાવરણને ગમગીન કરી દીધું હતું. અક્ષરની અંતિમયાત્રા ભાવનગર રોડ પરથી અને રોનકની પાળિયાદ રોડ પરથી અતિંમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોતને ભેટેલા 9 લોકોમાં બે યુવક બોટાદના હતા, જેમાં રોનક રાજેશભાઈ વિહલપરા અને કુણાલ નટુભાઈ કોડિયા બંને માસિયાય ભાઈઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે