ઈસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ AMC તંત્રને જ્ઞાન લાદ્યું, શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV લગાવવાનો લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-20 23:04:23

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા ગમખ્વાર અકસ્માતથી સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  લોકોએ તેની બરાબરની ધુલાઈ કર્યા બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાંથી તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક મ્યુનિસિપલ તંત્ર સામે આંધળી ચિંધવામાં આવી છે. શહેરના આ વ્યસ્ત રોડ પર CCTV ન હોવાથી પોલીસને પણ આ અકસ્માતની તથ્યાત્મક તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. 


અંતે AMC તંત્ર જાગ્યું અને લીધો આ નિર્ણય


હ્રદય દ્રાવક અકસ્માત બાદ અમદાવાદ મહાનગરપાલિકાને શહેરના તમામ બ્રિજ પર CCTV લગાવવાનું જ્ઞાન લાધ્યું છે. ઈસ્કોન બ્રીજ પરની આ દુર્ઘટના બાદઅમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ  મોટો નિર્ણય લેતા શહેરના બ્રીજો પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. એસ.જી. હાઈવે ઉપરાંત શહેરના તમામ મોટા અને રાત્રે પણ વ્યસ્ત રહેતા બ્રીજ પર અમદાવાદ મહાનગરપાલિકા CCTV લગાવશે. NHAI દ્વારા એસ.જી. હાઈવે AMCને સોંપવામાં આવ્યા બાદ SG Highway પર પણ CCTV લગાવવામાં આવશે તેમજ બ્રીજ પરની સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ શહેરમાં મળેલ સ્ટેન્ડીગ કમિટી અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ બ્રિજ પર સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી હતી.


84 જેટલા બ્રિજ પર CCTV 


આજે અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યૂનિસિપલ કમિશ્નરને શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે મ્યૂનિસિપલ કમિશનરને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવવાનું પણ જણાવાયું હતું.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.