Diwali પહેલા Ahmedabadની હવા પ્રદૂષિત બની! જાણો કયા વિસ્તારની હવા વધારે પ્રદૂષિત છે?


  • Published By :
  • Published Date : 2023-11-03 14:26:02

ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. દેશના વિવિધ રાજ્યોની આપણે વાત કરીએ છીએ કે ત્યાંની હવા ઝેરી બની છે. પરંતુ અમદાવાદની હવા પણ સતત ઝેરી બની રહી છે. અમદાવાદમાં એર ક્વોલિટીની સમસ્યા ગંભીર બની રહી છે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો . અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદુષિત રહ્યા હતા. તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.

દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી, આ વિસ્તારનું AQI પહોંચ્યું 160ને  પાર – Gujaratmitra Daily Newspaper

અમદાવાદની હવા ઝેરી બની!

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે તેવી વાત આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. પરંતુ અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે તેની ચર્ચા પણ કરવી પડશે. અમદાવાદ શહેરમાં AQI એટલે કે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો છે . બુધવારે બપોરે air quality ઈન્ડેક્સ ૨૦૦ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદૂષિત રહ્યા હતા. અમદાવાદીઓને શુદ્ધ હવા નથી મળી રહી. ઓક્ટોબરમાં પણ હવા ઝેરી જ હતી. માહિતી અનુસાર એક પણ દિવસ એવો ન હતો જ્યારે અમદાવાદીઓને ઝેરી હવાથી મુક્તિ મળી હોય.   

અમદાવાદની હવા બની પ્રદૂષિત, પાંચ વિસ્તારમાં એર ક્વોલિટી સૌથી ખરાબ | Sandesh

શહેરના અલગ અલગ વિસ્તારોનું એક્યુઆઈ 

તે ઉપરાંત રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.બીજા વિસ્તારોની વાત કરીએ તો પીરાણાનું એક્યુઆઈ 156 નોંધાયું હતું જ્યારે ચાંદખેડાનું એક્યુઆઈ 107 અને રખિયાલનું એક્યુઆઈ 162 છે. નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 એક્યુઆઈ નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે વધતા પ્રદૂષણ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વિકાસના નામ પર આપણે પર્યાયવરણને નુકસાન પહોંચાડીએ છીએ. ઝાડને કાપી નાખીએ છીએ વગેરે વગેરે..  

GPCB Liasioning Services


પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા કરોડો ખર્ચાય છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં 

હાલ શિયાળો ચાલી રહ્યો છે. શિયાળાના સમય દરમિયાન લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેને શ્વાસ લેવાની તકલીફ હોય તે માટે શિયાળાનો સમય તકલીફ ભરેલો હોય છે. ત્યારે હવે તો અમદાવાદની હવા પણ ધીરે ધીરે ઝેરી બની રહી છે. ત્યારે થોડા સમય બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. તહેવારની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે પણ પ્રદૂષણ વધે છે. હવા ઝેરી બનવાને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થતી હોય છે.  પ્રદૂષણને અટકાવવા માટે કરોડો ખર્ચવામાં આવે છે પરંતુ તે પૈસાનો પણ ધૂમાડો થઈ જાય છે. પ્રદૂષણ પર અંકુશ લાવવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય.  



પ્રદુષણથી બચવા કેવા ઉપાય કરવા જોઈએ... 

આરોગ્ય પર ખરાબ અસર ન થાય તે માટે અનેક ઉપાયો કરવા જોઈએ.  જેવા કે તડકો નીકળ્યા પછી ચાલવા જાઓ , જો તમારું ધંધા અને નોકરીનું સ્થળ તમારા રહેઠાણથી દૂર હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ન-૯૫ માસ્કનો ઉપયોગ કરો . જો ઘરમાં નવજાત છે તો એરોસોલવાળા perfume અને રૂમ ફ્રેશનરનો ઉપયોગ ન કરો . તદુપરાંત જયારે પણ ઘરની બહાર નીકળો તો AQI app પર હવાની ચકાસણી કર્યા પછી નીકળો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.