માવઠાએ મજા બગાડી, અમદાવાદ એરપોર્ટની અનેક ફ્લાઈટ કેન્સલ, મુસાફરો રઝળી પડ્યા


  • Published By :
  • Published Date : 2023-01-30 16:35:50

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. માવઠાના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે માવઠાએ સૌથી વધુ ચિંતા ખેડૂતોની વધારી છે, તે ઉપરાંત બદલાયેલા વાતાવરણના કારણે હવાઈ યાત્રિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અનેક ફ્લાઈટ રદ્દ થતાં મસાફરો રઝળી પડ્યા છે.  


અનેક ફ્લાઈટ કેન્સલ


અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના કારણે આજે સવારથી વાતાવરણ ધુમ્મસવાળું બન્યું હતું. અનેક વિસ્તારમાં દૂરની વિઝિબિલિટી જ નથી, અમદાવાદ એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફલાઇટ ડિલે અને કેન્સલ થઈ હતી. ફ્લાઇટ મોડી થવાને કારણે ગત રાતથી જ એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ જ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.


તમામ એરલાઈન્સની ફ્લાઈટ મોડી 


ધુમ્મસને કારણે આ શિયાળાની સિઝનમાં સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી છે. મોડી પડેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં એર અરેબિયા, એતિહાદ, એમિરેટ્સ અને સ્પાઇસ જેટની ફ્લાઇટનો સમાવેશ થાય છે. અમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.