અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 32 કરોડની કિંમતનું 3.21 કિલો બ્લેક કોકેઈન, DRIએ બ્રાઝિલિયન નાગરિકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-21 21:38:52

ગુજરાતમાં ડ્ર્ગ્સનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ડ્રગ્સ તસ્કરો વિવિધ ટેકનિકો અપનાવીને રાજ્યમાં ડ્રગ્સની તસ્કરી કરતા રહે છે. આજે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઈન ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો.


3.21 કિલો બ્લેક કોકેઈન પકડાયું


બ્રાઝિલના સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો એક નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની DRIને માહિતી મળી હતી. જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે DRIએ તેને રોક્યો હતો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા થાય છે.  


કઈ રીતે ઝડપાયું બ્લેક કોકેઈન


DRIના અધિકારીઓ દ્વારા બ્રાઝિલિયન પેસેન્જરની ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. DRI અધિકારીઓએ વધુ ઝીણવપૂર્વક તપાસ કરતા બે બેગની નીચે કાંઈક છુપાવાયું હોવાનું જણાયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના નાગરિકની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.