અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 32 કરોડની કિંમતનું 3.21 કિલો બ્લેક કોકેઈન, DRIએ બ્રાઝિલિયન નાગરિકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-06-21 21:38:52

ગુજરાતમાં ડ્ર્ગ્સનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ડ્રગ્સ તસ્કરો વિવિધ ટેકનિકો અપનાવીને રાજ્યમાં ડ્રગ્સની તસ્કરી કરતા રહે છે. આજે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઈન ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 32 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો.


3.21 કિલો બ્લેક કોકેઈન પકડાયું


બ્રાઝિલના સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો એક નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની DRIને માહિતી મળી હતી. જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે DRIએ તેને રોક્યો હતો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા થાય છે.  


કઈ રીતે ઝડપાયું બ્લેક કોકેઈન


DRIના અધિકારીઓ દ્વારા બ્રાઝિલિયન પેસેન્જરની ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. DRI અધિકારીઓએ વધુ ઝીણવપૂર્વક તપાસ કરતા બે બેગની નીચે કાંઈક છુપાવાયું હોવાનું જણાયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના નાગરિકની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.