Ahmedabad : Bopalમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નશાની હાલતમાં કરી દીધું ફાયરિંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 12:21:17

ગુજરાતમાં દારૂબંધી છે તે વાત કહીએ છીએ ત્યારે તે મજાક લાગે છે. દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન થતા, કાયદાના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. જો એવું કહીએ કે આ કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત થઈ ગયો છે તો અતિશયોક્તિ ન થાય, આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા જે સરકારના દાવાને ખોટા સાબિત કરી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ગઈકાલ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે મહેફિલમાં ફાયરિંગ થઈ છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.          


અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં યુવકે કર્યું ફાયરિંગ 

એક તરફ ગાંધીનગરના ગિફ્ટસીટીમાં ગાઈડલાઈન્સ પ્રમાણે દારૂની છૂટ આપવામાં આવી છે તો બીજી બાજુ અનેક દારૂડિયાઓ બેફામ બન્યા છે તેવું લાગે છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા હશે જેમને આ કાયદાથી ડર લાગતો હશે. અનેક લોકોને જોતા લાગે કે આ કાયદાને ઘોળીને પી ગયા છે પરંતુ અનેક બીજા એવા લોકો પણ છે જે આ કાયદાથી ડરે છે. જે લોકો આ કાયદાનું પાલન કરતા હશે તેમની સંખ્યા કદાચ ઓછી હશે અને કાયદા ભંગ કરનારની વધારે હશે. ત્યારે અમદાવાદથી એક ઘટના સામે આવી છે જેમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


પિસ્તોલમાંથી મળી આવ્યો જીવતો કારતુસ 

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગેની જાણકારી આપતા પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે દારૂની મહેફિલ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેણે સ્ટાટર પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. એક જીવતો કારતૂસ સ્ટાટર પિસ્તોલમાં હતો. એક યુએસએ મેઇડ પિસ્તોલ મળી આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો સીમિત થઈ ગયો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.