Ahmedabad : Bopalમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નશાની હાલતમાં કરી દીધું ફાયરિંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 12:21:17

ગુજરાતમાં દારૂબંધી છે તે વાત કહીએ છીએ ત્યારે તે મજાક લાગે છે. દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન થતા, કાયદાના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. જો એવું કહીએ કે આ કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત થઈ ગયો છે તો અતિશયોક્તિ ન થાય, આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા જે સરકારના દાવાને ખોટા સાબિત કરી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ગઈકાલ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે મહેફિલમાં ફાયરિંગ થઈ છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.          


અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં યુવકે કર્યું ફાયરિંગ 

એક તરફ ગાંધીનગરના ગિફ્ટસીટીમાં ગાઈડલાઈન્સ પ્રમાણે દારૂની છૂટ આપવામાં આવી છે તો બીજી બાજુ અનેક દારૂડિયાઓ બેફામ બન્યા છે તેવું લાગે છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા હશે જેમને આ કાયદાથી ડર લાગતો હશે. અનેક લોકોને જોતા લાગે કે આ કાયદાને ઘોળીને પી ગયા છે પરંતુ અનેક બીજા એવા લોકો પણ છે જે આ કાયદાથી ડરે છે. જે લોકો આ કાયદાનું પાલન કરતા હશે તેમની સંખ્યા કદાચ ઓછી હશે અને કાયદા ભંગ કરનારની વધારે હશે. ત્યારે અમદાવાદથી એક ઘટના સામે આવી છે જેમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


પિસ્તોલમાંથી મળી આવ્યો જીવતો કારતુસ 

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગેની જાણકારી આપતા પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે દારૂની મહેફિલ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેણે સ્ટાટર પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. એક જીવતો કારતૂસ સ્ટાટર પિસ્તોલમાં હતો. એક યુએસએ મેઇડ પિસ્તોલ મળી આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો સીમિત થઈ ગયો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.