Ahmedabad : Bopalમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ, નશાની હાલતમાં કરી દીધું ફાયરિંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 12:21:17

ગુજરાતમાં દારૂબંધી છે તે વાત કહીએ છીએ ત્યારે તે મજાક લાગે છે. દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન થતા, કાયદાના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. જો એવું કહીએ કે આ કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત થઈ ગયો છે તો અતિશયોક્તિ ન થાય, આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા જે સરકારના દાવાને ખોટા સાબિત કરી રહી છે. અમદાવાદના સાઉથ બોપલમાં ગઈકાલ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે મહેફિલમાં ફાયરિંગ થઈ છે અને આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો છે તેવી માહિતી સામે આવી છે. આ કેસમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.          


અમદાવાદના બોપલમાં નશાની હાલતમાં યુવકે કર્યું ફાયરિંગ 

એક તરફ ગાંધીનગરના ગિફ્ટસીટીમાં ગાઈડલાઈન્સ પ્રમાણે દારૂની છૂટ આપવામાં આવી છે તો બીજી બાજુ અનેક દારૂડિયાઓ બેફામ બન્યા છે તેવું લાગે છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક લોકો એવા હશે જેમને આ કાયદાથી ડર લાગતો હશે. અનેક લોકોને જોતા લાગે કે આ કાયદાને ઘોળીને પી ગયા છે પરંતુ અનેક બીજા એવા લોકો પણ છે જે આ કાયદાથી ડરે છે. જે લોકો આ કાયદાનું પાલન કરતા હશે તેમની સંખ્યા કદાચ ઓછી હશે અને કાયદા ભંગ કરનારની વધારે હશે. ત્યારે અમદાવાદથી એક ઘટના સામે આવી છે જેમાં દારૂની મહેફિલમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


પિસ્તોલમાંથી મળી આવ્યો જીવતો કારતુસ 

આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગેની જાણકારી આપતા પોલીસ ઈન્ચાર્જે જણાવ્યું કે દારૂની મહેફિલ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેણે સ્ટાટર પિસ્તોલથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લગભગ વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાની શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી અને એક જીવતો કારતૂસ મળ્યો છે. એક જીવતો કારતૂસ સ્ટાટર પિસ્તોલમાં હતો. એક યુએસએ મેઇડ પિસ્તોલ મળી આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામ પૂરતો સીમિત થઈ ગયો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.